SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૫૭) [ આબુ પર્વત જાના લેખમાં બીજે નબર ૧૮૪ બરવાળા લેખને છે. કારણ કે તે સં. ૧૧૮૭ ની સાલને છે. ભદ્રસિણક નામના ગામ નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના કેટલાક શ્રાવકોએ (નામો આપ્યાં છે) મળીને આબુ તીર્થ ઉપર આદિનાથની પ્રતિમા બનાવી જેની પ્રતિષ્ઠા બૃહદુગચ્છના વિજ્ઞવિહારી આચાર્ય વર્ધમાનસૂરિના પટ્ટધર પદ્મસૂરિના શિષ્ય ભદ્રેશ્વરસૂરિએ કરી; એટલે ઉલ્લેખ કરેલો છે. ૨૩૫ ના નંબર નીચે આપેલા નામે વિગેરે, જુદી જુદી સ્ત્રીપુરૂની મૂતિ ઉપર કોતરેલા છે જે મૂલમદિરના રંગમંડપમાં બેસાડેલી છે. નંબર ૨૩૯ અને ૪૦ વાળા લેખે, એજ રંગમંડપમાં ગભારાના દરવાજાની બંને બાજુએ બે કાર્યોત્સર્ગસ્થ પ્રતિમાઓ વિરાજિત છે તેમના ઉપર કતરેલા છે. સં. ૧૪૦૮ છે. કેટગચ્છના મહં. ધાંધુકે પોતાના કુટુંબના શ્રેયાર્થે, [ આબુ ઉપરના] યુગાદિદેવ (આદિનાથ) ના મંદિરમાં આ “જિનયુગલ” કરાવ્યું છે, અને જેની પ્રતિષ્ઠા કકકસૂરિએ કરી છે, એવું લેખનું તાત્પર્ય છે. મૂળ ગભારામાંથી બહાર નિકળતાં ડાવી બાજુએ જે ગોખલે છે તેમાં રહેલી પ્રતિમાના પદ્માસનની નીચે પત્થર ઉપર ૨૪ર નંબરનો લેખ કેતરે છે. આ લેખ વસ્તુપાલન છે. સંવત્ ૧૨૭૮ ની સાલમાં, મહામાત્ય વસ્તુપાલે પોતાના ભાઈ મલ્લદેવના પુણ્યાર્થે મલ્લિનાથદેવસહિત ખત્તક (ગોખલે) બનાવ્યું છે. એમ એ લેખમાં ઉલ્લેખ છે. બાકીના કેટલાક લેખમાં સાધારણ રીતે મૂર્તિ કરાવનાઓનાં નામે શિવાય વિશેષ કાંઈ નથી. ( ર૪૯-૨૫૬) તેજ પાલના મંદિરની પાસે જે ભીમસિંહનું મંદિર કહેવાય છે તેમાં મૂલનાયક તરીકે પિત્તલમય આદિનાથ તીર્થંકરની પ્રતિમા પ્રતિછિત છે તેની નીચે નં. ૨૪૯ નો લેખ, તથા તેની બંને બાજુએ પ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy