________________
ઉપરના લેખા. ન. ૧૩૨]
( ૧૫ )
આવલેાકન,
લેખામાં જ્ઞાનચંદ્રને ધમસૂરી અગર ધમ ધોષસૂરીના પટ્ટ ઘર તરીકે ઓળખાવ્યા છે. કાઉસેન્સના લીસ્ટના નં. ૧૭૮૬ ના એક લેખ જેના ઉપર મિતિ નથી તેમાં આરંભમાં આવા અક્ષશ છેઃ—
-
श्रीमद्धर्मघोषसूरिपट्टे श्रीआण (न) न्दसूरि श्रीअमरप्रभसूरिपट्टे श्री ज्ञानचन्द्रसूरिઆમાં વણુ વેલા આનંદસૂરી એજ વિ. સં. ૧૩૦૯ ના ઉપર કહેલા આનંદસૂરી હશે; અને એ લેખના આન ંદસૂરી તથા અમરપ્રભસૂરી તે, તે આનંદસૂરી અને તેના શિષ્ય અમરપ્રભસૂરી હશે જે પ્રેા. પીટરસનના ચતુર્થી રીપોટ પાન ૧૧૦, લી. ૧ માં કહ્યા પ્રમાણે, અમરચંદ્રસૂરીની સૂચનાથી [ વિ. ] સ. ૧૩૪૪ માં લખાયલા એક હસ્તલિખિત પુસ્તકમાં વધુ વેલા છે. આ પુસ્તકમાં ૧૦૯ મા પાને આનંદસૂરિની પહેલાં ધમ`સૂરી (રાજગચ્છના શીલભદ્રસૂરના શિષ્ય) વણુ રા વેલા છે, જે ઉદ્ધૃત વિવાદ કરનારાઓ તરફ જેમ હાથીને સિંહની ગર્જના તેમ હતા અને જેમણે રાજા વિગ્રહના ચિત્તને ચમકૃત કર્યું હતું. પ્રે. પીટરસનના ત્રીજા રીપોર્ટના અપેન્ડીકસ, પાન ૧૫ ને ૩૦૭ ઉપર્ આજ માણસને ધમ વાપસૂરીનું નામ આપ્યુ છે અને તેમાં તે શાકમ્હરિના રાજાને બોધ આપતા હાય તેમ વર્ણવ્યા છે. વળી આજ પુસ્તકના પાન ૨૬૨ ઉપર તેમણે સપાદલક્ષ દેશના રાજાની સમક્ષમાં ઘણા વાદ કરનારાઓને હરાવ્યા હતા એમ કહેલું છે. આ ઉપરથી નિઃસંશય એમ કહી શકાય કે આ લેખમાં વર્ણવેલા ત્રણ રાજાએમાં એક શાકમ્બરિના રાજા વિગ્રહરાજ છે. ( આ શાકરિ સપાદલક્ષ દેશનું મુખ્ય શહેર છે ) હું ધારૂં છું. એ રાજા તે વીસળદેવ—વિગ્રહરાજ હશે જેના દિલ્હી સિવાલિક સ્તંભ લેખા ( મારા તે ન લીસ્ટને ન. ૧૪૪) માં [ વિક્રમ ] સંવત ૧૨૨૬ એટલે કે ( ઇ. સ. ૧૧૭૦ ) મિતિ આપેલી છે. મે રાજાએ કયા તે હું ઓળખી શકતેા નથી, તેમજ વાદિચંદ્ર અને ગુણચંદ્ર જેમને ધર્મસૂરિએ હરાવ્યા તે કેણુ તે કહી શકતા નથી,
૪૨ મી કડીમાં આપેલી મિતિ આ પ્રમાણેઃ
વસુએ ( ૮ ) મુનિ ( ૭ ) ગુણા ( ૩ ) અને ચંદ્ર ( ૧ ) થી બનેલા વમાં એટલે કે [ વિક્રમ ] સ’. ૧૩૭૮ માં જ્યેષ્ઠ સિતિ ' ( દ્દિ ) નવમી
,
૧ મી. કાઉન્સેસના લીસ્ટના ન, ૧૯૫૬, ૧૭૫૮ ૧. ૧૭૬૪ ને ૧૭૯૩,
૨ એક વાદચદ્ર તે છે કે જેણે ‘ જ્ઞાન સૂર્યોદય' રચ્યુ છે; આ લેખમાં વર્ણવેલા વાદિચદ્ર તે એ હશે કે કેમ તે કહી રાકાય નહિ.
Jain Education International
૫૫૮
For Private & Personal Use Only
www.jainelibrary.org