________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૧૫)
[ આબુ પર્વત
એ દેવાલયના બીજા લેખમાં વિમળનું નામ આવે છે, આ લેખની મિતિ વિ. સં ૧૨૦૧ છે. એ લેખ ૧ ( કાઉસેન્સ લીસ્ટ નં. ૧૭૬૭) માં ૧૦ લીટીઓ છે અને તે ૨ ૬ ” લબે તથા પઉંચે છે, તેમાં ૧૭ કડીઓ છે. શાહીથી પાડેલી અનુકૃતિમાં પહેલી બે લીટીઓ ચોક્કસપણે વાંચી શકાય તેમ નથી. પણ હું જોઈ શકું છું તેમ તેમાં એક માણસ વિષે કહ્યું છે જે શ્રીમાલ કુલને અને પ્રાગ્રાટ વંશને હતો. તેને પુત્ર લહધર હતો જેનો મૂલ રાજા (ચાલુક્ય મૂળરાજ પહેલા) સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હતો અને જે “વીરમહત્તમ ” ના નામથી પણ ઓળખાતું હતું. લહધરને બે પુત્રો હતા. પહેલો પુત્ર પ્રધાન નેઢ હતું તથા બીજે વિમલ હતા જેના વિષે ૭ મી કડીમાં આ પ્રમાણે છે:દ્વિતીય તમતી (વ)(?) યઃ શ્રી વિમો ૨ (૪)મવા येनेदमुच्चैभवसिन्धुसेतुकल्पं विनिर्मापितमत्र वेश्म ॥
નેનો પુત્ર લાલિગ હતો. તેને પુત્ર મહિદુક પ્રધાન હતો. ૨ વળી તેને બે પુત્રો હતા, હેમ અને દશરથ. આ લેખનો હેતુ આ પ્રમાણે છે.–ષભના મંદિરમાં દશરથે નેમિજિનેશ ( નેમિતીર્થકર એટલે કે નેમિનાથ ) ની પ્રતિમા બેસાડી, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૦૧ ના જયેષ્ઠ પડવાને શુક્રવારે
* પ્રે. કલહોર્નનું આ કથન અસંબદ્ધ જેવું છે. કારણ કે શ્રીમાલ અને પ્રાગ્વાટ બંને જુદી જુદી શ્વતંત્ર જાતો છે. એકજ મનુષ્ય શ્રીમાલકુલ અને પ્રાગ્રાટ વંશનો હેઈ ન શકે. બે કીલોના વાંચનમાં ગડબડ થઈ છે. જે લેખના વિષયમાં આ કથન છે તે બહાર જવામાં આવ્યો નથી તેથી તેના વિષયમાં હું કાંઈ કહી શકું તેમ નથી. નીચે જે લેખનો હવાલો છે. કલહન આપે છે તેમાં તે વીર મહામંત્રીને સ્પષ્ટ શ્રીમાલકુલોભવ લખ્યો છે ( એ લેખ આ સંગ્રહમાં પણ નં. ૧૫૨ નીચે આપેલો છે) તેથી વીર મહામંત્રી અને નેઢ આદિ તેના પુત્ર-પત્રો પ્રાગ્વાટ નહિ પણ શ્રીમાલજ્ઞાતિના હતા -સંગ્રાહક.
૧ મી. કાઉસેન્સના કહેવા પ્રમાણે આ લેખ વિમળના દેવાલયના અગ્રભાગમાં ન. ૧૦ના ભોંયરાના દ્વાર ઉપર છે તેના વિષે એશીયાટીક રીસર્ચીસ પુ. ૧૬ ૫ ૩૧૧ માં ઉલ્લેખ છે–એક લેખની મિતિ સં ૧૨૦૧ છે પણ તેમાંનું કાંઈ પણ વાંચી શકાય તેવું નહી હોવાને લીધે તે બહુ જરૂર નથી. - ૨ છંદ ઉપરથી જણાય છે કે નામ ખરૂ છે ૪ અગ્રભાગમાં નં. ૧૦ ના ભેાંયરાની એક પ્રતિમાની બેઠક ઉપર આ લેખે કોતરેલા છે.
પપ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org