________________
ઉપરના લેખે. નં. ૧૨
(૧૪૪)
અવલોકન
વિભાગ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ (કડી –૧૩) માં અબુંદ પર્વતની
પ્રશસ્તિ” આપેલી છે; અને એ પ્રદેશ તથા અંબિકા અને શ્રીમાતા વિગેરેનાં વખાણ કર્યા પછી દેવાલય વિશેની કેટલીક ઐતિહાસિક બાબતો તેમાં છે. વળી તેમાં વિમલના આદિનાથના દેવળના વિક્રમ સંવત. ૧૦૮૮ માં પાયે નાંખ્યાની વિગત પણ આવે છે. બીજા વિભાગ ( કડી ૧૪–૨૩ ) માં આ મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યાના વખતે પર્વતના માલીક જે રાજ્ય કર્તા હશે તેઓની “ રાજાવલી” આવે છે. અને ત્રીજા વિભાગમાં (કડી ૨૪–૩૮ ) જીર્ણોદ્ધાર કરાવનાર માણસોના વંશનું વર્ણન છે. અંતમાં ( કડી ૩૯-૪૨) ઉદ્ધાર કરેલા દેવાલયની પ્રતિષ્ઠા કરનાર આચાર્યાનું નામ તથા તેમના વંશ અને મિતિ આપેલાં છે.
ઐતિહાસિક રસ વિનાની બાબતે બાદ કરતાં, પ્રથમ વિભાગમાં અબ્દ ઉપર વસિષ્ઠ રૂષિના અનલકુંડમાંથી પરમારની ઉત્પત્તિની વિગત આવે છે. તેના વંશમાં કાન્હડદેવ કરીને પ્રતાપી રાજા થયો; તેના વંશમાં ધંધુ (ધંધુરાજ) નામનો એક રાજા થયો જે ચંદ્રાવતીને અધિપતિ હતો, અને જે ( ચાલુક્ય ) રાજા ભીમદેવ પહેલાને નહિ નમતાં અને તેના ક્રોધમાંથી બચવા ધારાના રાજા ભેજને પક્ષમાં ગયે. ત્યારબાદ એકદમ કર્તા આપણને કહે છે કે, વિમલ નામનો એક પ્રખ્યાત માણસ પ્રાગ્વાટ વંશમાં થયે જેનામાં તે વખત ચાલતી દુષ્ટતાના અંધકારમાંથી ધર્મની પ્રજવલિત જીવાળા ઝળકી ઉઠી. તેને ભીમે રાજાએ “દંડપતિ'(સેનાપતિ) નિમ્યો અને ત્યાં એક પ્રસંગે રાત્રે શ્રી અંબિકાએ પર્વત ઉપર યુગાદિભર્તા ( યુગાદિજિન, આદિનાથ ) નું એક સુંદર દેવાલય બાંધવાનું તેને ફરમાન કર્યું. આ આજ્ઞાને વિમલ આધીન થયે એ વાત પદ્યમાં કર્તાએ આ પ્રમાણે મૂકી છે –
“ વિક્રમાદિત્યના વખતથી ૧૦૮૮ વર્ષ પછી શ્રી વિમલે અબ્દના શિખર ઉપર સ્થાપિત કરેલા શ્રી આદિનાથની હું પ્રશંસા કરૂં .” ' ઉપર કર્યો તે ધધુ અગર ધન્ધરાજ, ઉપર પાન ૧૧ માં કહેલ પ્રમાર (પરમાર) ધન્ધક છે. જેને પુત્ર પૂરું પાળ વિ. સં. ૧૦૮૯ અને ૧૧૦૨ ૧માં અબુંદ પ્રદેશમાં રાજ્ય કરતા હતા. ખરેખર તે ચાલુક્ય ભીમદેવ પહેલા તથા માળવાના પરમાર ભેજદેવના વખતમાં થયો હશે.
ધન્યુનું નામ ચંદ્રાવતીના પરમારની વરાવલીમાં પણ આવે છે (પુ. ૮. પાન ૨૦)
પપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org