SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજૈનલેખસ ગ્રહ (૧૦૦) [ગિરનાર પર્વત ગઢના દરવાજાથી જરાક આગળ જતાં, મુખ્ય રસ્તાની ડાબી બાજુ ઉપર, નેમિનાથના મ્હોટા મંદિરના પ્રથમ દ્વાર સમીપની દિવાલ ઉપર એક મ્હોટા શિલા લેખ લાગેલે છે, કે જેમાં ૨૪ ૫ક્તિએ કાતરેલી છે. આ લેખ સૈારાષ્ટ્રના ચૂડાસમા રાજપૂતાના ઇતિહાસ ઉપર કેટલાક સારા પ્રકાશ પાડે છે. આ લેખની નકલ, જે પુસ્તકમાંથી ઉપરના બધા લેખા લેવામાં આવ્યા છે તેમાં તથા ડા. ખરેસના ઉક્ત રીપો માં પ્રકટ થયેલી છે. પ્રથમ રાયલ એસીયાટિક સેાસાયટીના ચેાપાનીમાં પણ એ પ્રકટ થઇ ચૂકયા છે. પરંતુ આ લેખ બહુજ અપૂર્ણ છે, એમ જોનારને તુરતજ જણાઈ આવે છે. કારણ કે, આમાં ફકત એકલેા પ્રાર‘ભના ‘રાજવંશ વર્ણન’ જેટલાજ ભાગ ઉપલબ્ધ છે. આ લેખ કયાંના અને કેની પ્રશસ્તિ રૂપે છે, તે, એ ઉપલબ્ધ ભાગ ઉપરથી બિલ્કુલ જણાતું નથી. ઉપલબ્ધ ભાગમાં જે વિસ્તૃતરૂપે ‘રાજવ’શ વર્ણન ' કરવામાં આવ્યુ છે તે ઉપરથી સહજે જણાઈ આવે છે, કે એ લેખ બહુજ મ્હોટા હોવા જોઇએ. અને વાસ્તવિકમાં પણ એમજ. આ લેખના કેટલાક ભાગ મ્હને અન્યત્ર પ્રાપ્ત થયા છે તે ઉપરથી કહી શકાય છે કે એ શિલાખંડ, આખા લેખના અર્ધા ભાગ કરતાં પણ ન્યૂન છે. ૧૫ માં સૈકાની અંતમાં, ખભાતમાં શાણુરાજ નામના એક મઙાન્ નિક અને પ્રભાવક શ્રાવક થઈ ગયા. તેણે ગિરનાર ઉપર વિપુલ દ્રવ્ય ખચી, વિમલનાથ પ્રસાદ નામના એક મહાન્ મદિર અનાળ્યા હતા. તેનીજ પ્રશસ્તિરૂપે આ લેખ કાતરવામાં અવ્યા છે. પરતુ પાછળથી આ સપૂર્ણ લેખ, કાઈ કારણથી, મૂળસ્થાનથી ભ્રષ્ટ થઈ એના બીજા શિલાખંડા અસ્તવ્યસ્ત થયા અને ફકત આટલાજ ભાગ બચવા પામ્યા છે. આ લેખને વિસ્તૃત વિવેચન સાથે એક સ્વતંત્ર જુદા પુસ્તક રૂપે હું પ્રગટ કરવા વિચાર રાખું છુ, તેથી, અત્ર સ્થાન આપવામાં આવ્યું નથી. છે કદાચ, આ પુસ્તક પ્રકટ થતાં પહેલાંજ એ લેખ જુદા પુસ્તક રૂપે પ્રકટ થઈ જશે. Jain Education International ૫૦૮ ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy