SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૮ ) [ગિરનાર પર્વત ખરી નષ્ટભ્રષ્ટ થઈ ગઈ છે. વસ્તુપાલના કૈટુંબિકની મૂર્તિઓ વિગેરે માંનું આજે કશું દેખાતું નથી. અંબા અને અવેલેકિન આદિ શિખરે ઉપર જે દેવ કુલિકાઓ કરાવી હતી તે પણ કાલના કરાલ ગાલમાં ગર્ક થઈ ગયેલી છે. નેમિનાથના મહાન મંદિર આગળ જે “ઈન્દ્ર મંડ૫” અને “સુખદઘાટનકસ્તભ કરાવ્યો હતો તે પણ દષ્ટિગોચર થતું નથી. ફક્ત શવ્યાવતાર, સમેતાવતાર, અષ્ટાપદાવતાર અને કપદિયક્ષવાળું એમ જ મૂળ મંદિરેજ આજે વિદ્યમાન છે અને તેને લેકે “ વસ્તુપાલ-તેજપાલની ટુક”ના નામે ઓળખે છે. ( ૯ ) નેમિનાથના મહાન મદિરના ઉત્તર તરફના દરવાજા તરફ આવેલા “ઘડીઘટુકાના મંદિરની અંદરના ન્હાના દરવાજા પાસેની દેવકુલિકાની દક્ષિણે આવેલી દિવાલ ઉપર નં. અને લેખકોતરેલ છે. મિતિ સં. ૧૨૧૫ ના ચૈત્ર સુદી ૮ રવિવાર, છે. એ દિવસે આ ઉયંત (ગિરનાર) પર્વત ઉપર, સંઘવિ ઠ૦ સાલવાહણની દેખરેખ નીચે સૂત્રધાર જસડના પુત્ર સાવેદેવ, જગતી (કોટ)ની સઘળી દેવકુલિકાઓને છાજા, કુવાલિ (?) અને સંવિરણી (?) પૂર્ણ ર્યા. તથા ઠ૦ ભરથના પુત્ર ઠ૦ પંડિત સાલિવાહણે નાગઝર નામના કરા (?)ની આસપાસ ચાર બિંબ યુક્ત કુંડ કરાવ્યો અને તેની અધિષ્ઠાત્રી અંબિકાદેવીની પ્રતિમા અને દેવકુલિકા કરાવી. * (૫૦૫૧) સુવાવડી પરબની પાસે “ખબુતરી–ખાણના નામે ઓળખાતી જે ખાણ છે ત્યાં આગળ, પર્વતના રસ્તાની ઉત્તર બાજુની દિવાલ ઉપર આ નં. ૫૦ અને ૫૧ ના લેખે કતરેલા જોવામાં આવે છે. પહેલાની સાલ ૧૨૨૨ ની અને બીજાની ર૩ની છે. બંનેની મતલબ એક જ છે. શ્રીમાલજ્ઞાતિના મહં૦ શ્રીરાણિગના સુત માં શ્રીઆંબાંકે પદ્યા (પાજ) કરાવી. એ કથન આ બંને લેખોમાં છે, ૪ આ લેખની પૂરેપૂરી મતલબ સ્પષ્ટ રીતે સમજાતી નથી. ४८८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy