________________
ઉપરના લેખે. ન. ૪૭-૪૮ ]
( ૭૭ )
અવલોકન,
મહું શ્રીલલિતાદેવીની મૂર્તિ ” અને બીજામાં “મહામાત્ય શ્રી વસ્તુપાલ અને (?) અને મહં. શ્રીસોખુની મૂતિ ” છે.
(૪૭-૪૮) ગિરનારના રસ્તામાં પહાડ ઉપર બે ઠેકાણે આ બંને કો ખેદેલા છે અને તે નં. ૪૪ ના લેખના પ્રારંભમાં જે છે, તેજ છે.
આ લેખે ઉપરથી જણાશે કે, આ બધામાં વસ્તુપાલે ગિરનાર ઉપર જે જે ધર્મસ્થાન કરાવ્યાં અથવા તેઓમાં જે જે કેતર કામો કરાવ્યાં, તેમનો સંક્ષેપમાં ઉલ્લેખ છે. લેખત વર્ણન સંક્ષિપ્ત છેવાથી અસ્પષ્ટ અને કેટલાકને પૂરેપૂરું નહિ સમજાય તેવું છે. તેથી એ વિષયમાં સ્પષ્ટ કથનની આવશ્યકતા છે. પંડિત જિનહર્ષ ગણિએ પિતાના વસ્તુપ વરિત્ર ના, છઠ્ઠા પ્રસ્તાવમાં, ૬૯૧ ના લેકથી તે ૭૨૯ સુધીના કેમાં, વસ્તુપાલે ગિરનાર પર્વત ઉપર શું શું બનાવ્યું તેની સવિસ્તર નેંધ આપી છે અને તે આ લેખની સાથે પૂરેપૂરી મળતી આવે છે. તેથી એ ધને સાર અત્રે આપ ઉપયોગી થઈ પડશે.
ગિરનાર તીર્થપતિ શ્રી નેમિનાથના મંદિરના પાછળના ભાગમાં પિતાના કલ્યાણ માટે શત્રુંજયસ્વામી આદિનાથને પ્રસાદ બનાવ્યું અને તેનું “વસ્તુપાલ વિડાર” એવું નામ આપ્યું. આના ઉપર સુવર્ણનું દેદિપ્યમાન કલશ સ્થાપન કર્યું અને સુંદર સ્ફટિક સમાન નિર્મલ પાષા
* આ લેખની મતલબ એવી જણાય છે કે, આ બંને ગેખલાઓમાં વસ્તુપાલે પોતાની પ્રતિમાઓ સ્થાપના કરી હશે અને સાથે એકમાં પિતાની પ્રથમ પત્ની લલિતાદેવીની અને બીજામાં દ્વિતીય પત્ની સોબુકાની મૂર્તિ સ્થાપિત કરાવી હશે. આ ગોખલાઓમાં હાલ તે ભૂતિઓ નથી પરંતુ આબુ ઉપરના તેજપાલના મંદિરમાં વસ્તુપાલ અને તેની બંને સ્ત્રીઓની મૂર્તિઓ સાથેજ સ્થાપન કરેલી વિદ્યમાન છે. આ મૂર્તિઓનું ચિત્ર “ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ ' માં પ્રગટ થયેલા નરનારાયનન્દ નામના વસ્તુપાલના રચેલ, કાવ્યમાં પ્રકટ થયું છે,
૪૮૫
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org