________________
ઉપરના લેખે. ન. ૩૮-૪૩ ]
( ૭૧ )
અવલોકને,
લેખ પૂર્ણ કરવામાં આવે છે. દરેક પંકતિમાં સુમારે ૧૨૦ લગભગ અક્ષરે છે. અક્ષરે સુંદર અને સ્પષ્ટ છે. લેખ બિલકુલ શુદ્ધ છે.
પ્રારંભના પદ્યમાં નેમિનાથતીર્થકરની સ્તુતિ છે. કેટલાક અક્ષરે ઘસાઈ ગયેલા હેવાથી વાંચી શકાતા નથી. પછી ગદ્ય પ્રારંભ થાય છે. મિતિ શ્રીવિક્રમસંવત્ ૧૨૮૮ને ફાલ્ગણ શુદિ ૧૦ અને બુધવારની છે. ગદ્યનો અનુવાદ આ પ્રમાણે છે
અણહિલપુરમાં વસનારા, પ્રાગૂવાટ જ્ઞાતિના ઠ૦ ( ઠકુર ) શ્રીચંડપને પુત્ર ઠ૦ શ્રીચંડપ્રસાદને પુત્ર ઠ૦ ગ્રીસમને પુત્ર ઠ૦ શ્રીઆશારાજ તથા તેની સ્ત્રી કુમારદેવીને પુત્ર મહામાત્ય વસ્તુપાલ થયે કે જે ઠ૦ શ્રીલુણિગ તથા ઠ૦ શ્રી માલદેવને ન્હાનભાઈ અને મહે. શ્રી તેજપાલને મહેટેભાઈ હતું. તેને મહં. શ્રી લલિતાદેવીથી મહું. શ્રી જયસિંહ નામને પુત્ર થયે જે સં૦ ૭૯ ના વર્ષ પહેલાં સ્તભતીર્થ (ખંભાત) માં મુકાવ્યાપાર (નણિને વ્યાપાર–નાણાવટીને ઘ) કરતે હતે. વસ્તુપાલ, કે જે, ૭૭ ની સાલ પહેલાં, શત્રુંજય અને ગિરનાર આદિ મહાતીર્થોની યાત્રા કરી તથા હેટાં મહેન્સ કરી દેવાધિદેવ (તીર્થંકર-પરમાત્મા) ની કૃપાથી “ સંઘાધિપતિ” નું પદ પ્રાપ્ત કર્યું હતું. તથા ચાલુક્યકુલદિનમણિ મહારાજાધિરાજ શ્રીલવણપ્રસાદદેવના પુત્ર મહારાજ શ્રીવરધવલદેવની પ્રીતિથી જેણે “ રાજ્યસર્વશ્વર્ય” (રાજ્યનું સર્વાધિકારત્વકારભાર) પ્રાપ્ત કર્યું હતું. અને જેને સરસ્વતીએ પિતાના પુત્ર તરીકે સ્વીકાર કર્યો હતે (અર્થાત્ જે સરસ્વતીપુત્ર-કવિ કહેવાતું હતુંતેણે, તથા તેના ન્હાના ભાઈ તેજપાલે, કે જે પણ સં. ૭૬ ની સાલ પહેલાં, ગુજરાતના ધવલકફક (ધોળકા) આદિ નગરોમાં મુદ્રા વ્યાપાર કરતું હતું, એ બને ભાઈએ શત્રુંજય અને અબુદાચલ (આબુ) પ્રમુખ મહાતીર્થોમાં, તથા અણુહિલપુર ( પાટણ ), ભૃગુપુર ( ભરૂચ), સ્તંભનકપુર, સ્તંભતીર્થ
* “ સ્તંભનકપુર ” તે ખેડા જીલ્લાના આણંદ તાલુકામાં આવેલા ઉમરેડ નામના ગામની પાસે આવેલું અને સેઢી નદીના કાંઠે રહેલું જે “ઘાંભણ”
૪૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org