SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજનલેખસંગ્રહ, ( ૪૨ ) [ શત્રુંજય પર્વત સાહેબ પિતે ત્યાં ગયા અને આવી રીતે એકાએક પ્રયાણ કરવાનું સેઠને કારણ પુછ્યું. સેઠે જે હકીકત બની હતી તે નિવેદન કરી. ત્યારે જામસાહેબે આશ્ચર્ય સહિત કહ્યું કે હે તે ફક્ત નેવું હજાર કોરીની ચીઠ્ઠી લખી આપી હતી. આ વાત જાણી કારભારી પર જામ સાહેબનો ઘણેજ ગુસ્સો ચઢયો. જામ સાહેબ સેઠને મનાવી એકદમ પાછા જામનગર આવ્યા. ત્યાં કલ્યાણજી હેઠે તે કારભારી જામસાહેબને મળ્યો. જામ સાહેબે એકદમ ગુસ્સામાં જ ત્યાં તેને જંબીયાથી પિતાના હાથે મારી હાંખી યમને દ્વારે પહોંચાડ્યો. એ લુહાણું કારભારીને પાળીઓ હાલ પણ ત્યાં ( જામનગરમાં ) કલ્યાણજીને મંદિરમાં મોજુદ છે. જે વખારમાં વર્ધમાન સાહે તેને નવલાખ કરી તળી આપી હતી તે વખારનું, જામનગરમાં માંડવી પાસે રહેલું મકાન, હાલ પણ નવલખાના નામથી ઓળખાય છે. તેમનાં ચણેલાં અત્યંત મનોહર જિનમંદિરો પણ હાલ તે સમયની તેમની જાહેરજલાલી દષ્ટિગોચર કરે છે. તેમનું રહેવાનું મકાન પણ હાલ જામનગરમાં જીર્ણ અવસ્થામાં હયાત છે. તેમણે અનેક ધર્મકાર્યો તથા લોકપકૃતિનાં કાર્યો કરેલાં છે.” | પૃષ્ઠ. ૩૬ ૨-૬૫. : - (૨૨) આ લેખ, ન ૬ અને ૭ વાળી લેખો જે દેહરીમાં છે તેની પાસે આવેલી અને આદીશ્વરના હેટા મંદિરના ઇશાન ખૂણામાં રહેલી દેહરમાં આવેલ છે. મિતિ સં. ૧૨૭૫ વૈશાખ શુકલ ૧૩ શુકવાર અચલગચ્છના કલ્યાણસાગરસૂરિના સમયે અમદાવાદના શ્રીમાલજ્ઞાતીય સાભવાન ( સ્ત્રી રાજલદે) ના પુત્ર સા. ખીમજી અને સૂપજી-બનેએ શત્રુજયુ. ઉપર. આ દેહરી કરાવી. ( ર૩ ) ખરતરવહિ ટુંકમાં મહેટા ચતુર્મુખ-પ્રાસાદના ઈશાન ખુણામાં આવેલી પ્રતિમાની નીચે, 4 પંકિતમાં, આ લેખ કતરેલે છે તારીખ ઉપર પ્રમાણેજ ન. ૧૭ થી ર૦ વાળા લેખમાં વર્ણવેલા સં. રૂપજીના પિતા મહ સં. નાથ ( સ્ત્રી નારિગદ) ના પુત્ર સં. સૂરજીએ, પિતાની ૪૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy