________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
( ૬ )
[ શત્રુંજય પર્વત
સિંધજી, (ન. ૬૮ ને ૬૯,) વિ. સં. ૧૮૯૧૯૨. (૪) નોધણજી અને તેને પુત્ર પ્રતાપસિંધજી, (નં. ૬) વિ.
સં. ૧૯૧૦; અને (૬) પ્રતાપસિંઘજી, વિ. સં. ૧૯૧૬ (નં. ૧૦૩). (૫) સુરસિંઘજી, (નં. ૧૧૧,) વિ. સં. ૧૯૪૦.
આ લેખમાં આપેલી હકીકત તથા બબ્બે ગેઝટીઅર ( Bombay Gazetteer ) પુ. ૮, પૃ. ૫૫૯ માં આપેલી નવાનગર અને પાલિતાણાની હકીકત એ બંને મળતી આવે છે. ગેઝેટીઅર પ્રમાણે જામ સતાજીના પુત્ર જામ જસાજીએ ઇ. સ. ૧૬૦૮ થી ૧૬૨૪ સુધી રાજ્ય કર્યું. જસોજી ને જસવઃ માનેવો એ કઠણ નથી. સતાજી એ સત્રસાલ, જેનું સં. શત્રુશલ્ય ( શત્રુઓને બાણું તુલ્ય ) થાય છે તેનું ટુંકે રૂ૫ છે. ગોહેલ વિષે આપણો જોવામાં આવે છે (પૃ. ૬૦૪) કે ખન્દજી બીજા પછી સવજી બીજો ૧. લેખમાં સાથે વર્ણવેલા આ બે છે, કારણ કે સવજીને ઇ. સ. ૧૭૬૬ ની પહેલાં પાંચ જમાના આગળ મૂકયો છે. લેખમાં બીજા વર્ણવેલા માણ સેને ગેઝટીઅરમાં ઉનડજી ઈ. સ. ૧૭૬૬-૧૮૨૦. ખોજી એથે, ૧૮૨૦ –૧૮૪૦. ઘણુજી ચેાથો, ઈ. સ. ૧૮૪૦-૧૮૬૦. પ્રતાપસિંધછ, ૧૮૬૦. સુરસિંઘજી, ૧૮૬૦ થી ચાલુ. જો કે પાલીતાણું રાજ્ય કાઠીયાવાડના બીજા રાજાઓને ખંડણી આપે છે છતાં પણ નં. ૯૬ માં નોઘણને રાજરાજેશ્વર તથા મહારાજાધિરાજ કહેલા છે. વળી, ગેઝેટીઅરમાં કહ્યા પ્રમાણે, ઠાકુર નોધણજીને એટલી બધી આવક નહોતી; તેના વારસને પાંચ લાખની આવક હતી; કારણ કે જ્યારે પ્રતાપસિંઘજીએ એ રાજ્ય પિતાના તાબામાં લીધું ત્યાંસુધી અમદાવાદના નગરશેઠ વખતચંદે ઇ. સ. ૧૮૨૧–૧૮૩૧ સુધી તેની જાગીર રાખી હતી. અમદાવાદ, મુંબઈ અને બીજા મોટા શહેરોના દાતાઓએ અંગ્રેજ સરકારનું નામ આપ્યું નથી. પણ હરષચંદ અગ૨ હરખચંદ જે દમણબંદર અગર દમણનો હતો તેણે નં, ૪૫, વિ. સં. ૧૮૬૦ ના લેખમાં એમ કહેવું છે કે “ શિinfrગતિપુરતા ફલાહ ” એટલે કે પિતું. ગાલના રાજાએ તેને માન આપ્યું હતું. આની સાથે સરખાવતાં અમદાવાદના નગરશેઠની કૃતનતા જણાઈ આવે છે.
બીજી ઉપયોગી બાબત એ છે કે આ લેખોમાં જૈનસંપ્રદાઓ જેવા કે ખરતર, તપા, આંચલ અને સાગર આદિ ગચ્છો વિષેની ઘણીજ માહિતી આપી છે.
૪૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org