SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રાચીન જૈન લેખ સંગ્રહ (ભાગ-૨ શ્રી સિદ્ધાચલમહાતીર્થ પર કલાકો ગાળી ખૂણે-ખાંચરે ફરી ફરીને એક એક જિન પ્રતિમાઓ, શ્રી સિદ્ધચક્રજી, દેરીઓ અને ભીત કે થાંભલાના નાનામોટા બધા લેખો ઉતારી વ્યવસ્થિત કરી શ્રી શત્રુંજય તીર્થ દર્શન – (પ્રકા શ્રી ગોદ્ધારક ગ્રંથમાળા, કપડવંજ)માં પરિશિષ્ટ ૧માં પા ૧થી ૧૧૦માં પ00 શિલાલેખો સંસ્કૃત મોટા શિલાલેખોના ગુજ ભાષાંતર સાથે આપ્યા છે. તે બધાનો અભ્યાસ કરતાં એક પણ પાષાણની જિન-પ્રતિમાજી પર અષાડ સુદ ૧૪ થી કા. સુ. ૧૪ દરમિયાન પ્રતિષ્ઠાનો લેખ નથી. ફક્ત વિરલ અપવાદ તરીકે બે-ચાર ધાતુમૂર્તિ અને શ્રી સિદ્ધચક્રજી ગટ્ટી પર શ્રાવણ, આસો અને કારતક સુદના લેખો છે. તે માટે જ્ઞાની મહાપુરુષોનાં ચરણોમાં બેસી વિચારતાં સમજાય છે કે ચોમાસા દરમિયાન પોતાના ગામમાં અંજનન શલાકા કરાવી અહીં પધરાવ્યા હોય. વળી તે લેખોમાં સિદ્ધગિરિનો ઉલ્લેખ પણ નથી, તે પરથી તે પ્રતિષ્ઠા ચોમાસામાં ગિરિરાજ પર જઈને કરી હોય તેવું માની શકાય તેમ નથી. વળી શ્રાવણ, આસોના બે ત્રણ લેખો દેરી પર મળે છે. તેનો સંબંધ ગિરિરાજની ચોમાસાની યાત્રા સાથે સંભવિત નથી. એ તો જીર્ણોદ્ધારનું કામ ચાલતું હોય ને કો'ક પુણ્યવાનને પોતાના તરફથી લાભ લેવા ભાવના જાગી હોય તે નામ લખાવે. તેથી ચોમાસામાં ગિરિરાજની યાત્રાનું સમર્થન થતું નથી. એટલે પૂબ ત્રિપુટી મહારાજ સામે બધા શિલાલેખો ન હોઈ તેમણે આપવાદિક કે મુગલકાળની વિષમતાની કલ્પના આગળ કરી કદાચ કાર્તિકમાં શત્રુંજયની યાત્રા અગર આપવાદિક રીતે ચોમાસામાં પ્રતિષ્ઠાની વાત રજૂ કરી છે. પણ હકીકતે ઉપર લખ્યા મુજબ આષાડ સુદ ૧૪ થી કારતક સુદ ૧૪ સુધીમાં એકપણ પાષાણની જિનપ્રતિમાની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ શિલાલેખોમાં નથી જ. એટલે ચોમાસામાં ગિરિરાજની યાત્રા ન થાય એ ચાલી આવતી જુગજૂની પરંપરા પર હાલમાં કેટલાક ત્યાગી વર્ગ તરફથી પણ ચોમાસામાં ગિરિરાજ પર પ્રતિષ્ઠાના શિલાલેખોના નામે ભ્રમ ફેલાવાય છે તે વાજબી નથી. તા. ક શિલાલેખોમાં અષાડ વદના કેટલાક શિલાલેખો પાષાણના પ્રતિમાજી પર મળે છે. પણ તે પ્રતિષ્ઠા કરાવનાર આચાય—ગૃહસ્થો મારવાડ તરફના છે એટલે મારવાડી રીત પ્રમાણે અષાડ વદ-જેઠ વદ જાણવી. તેથી અષાડ વદના શિલાલેખોથી અષાડ સુદ ૧૫ પછી ગિરિરાજ પર પ્રતિષ્ઠા થયાના શ્રમમાં કોઈ ન પડે. '' જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪ના સંપાદકશ્રી અભયસાગરજી મ. પોતાની માન્યતામાં તણાઈ જવાના કારણે પરસ્પર વિરોધી વાતો તેમણે લખી નાખી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy