SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સઝાય અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીયા ન ઈદ નર્વેિદ, સલુણે, સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ-સમ કંદ, સલુણે, પરિગ્રહ મમતા પરિહરો | ૮ | શબ્દાર્થ - અસંતુષ્ટ - સંતોષ નહીં પામેલા, સુજસ-સમકંદ - સારા યશના અને સમતાના મૂલકંદ સમાન || ૮ || ગાથાર્થ - પશ્ચિમથી ભરેલા ઇંદ્ર હોય કે નરેન્દ્ર હોય, પણ બધા જ અસંતોષી છે તેથી જ સખીયા નથી. સુખી તો એક અપરિગ્રહી સાધુ જ છે કે જેઓ સારા યશના અને સમતાના મૂલ છે II & I વિવેચન - આ સંસારમાં ઇંદ્ર મહારાજ હોય, કે માનવોના કોઈ રાજા હોય, પરંતુ પરિગ્રહથી ભરેલા હોવાના કારણે અસંતુષ્ટ હોવાથી સુખીયા નથી. જેમ લખપતિ માણસ કરોડપતિને દેખીને પોતાનું ધન ઓછું લાગવાથી દરરોજ બળ્યા જ કરે છે અર્થાત્ દુઃખી છે. તેમ કરોડપતિ જીવ અબજપતિને જોઈને દુઃખી થાય છે. અબજપતિ મનુષ્ય રાજાના રાજ્યને જોઈને મારે હજુ તેવું રાજ્ય નથી એમ દુઃખી થાય છે. નાનો રાજા મોટા રાજાના રાજ્યને જોઈને દુઃખી થાય છે. મોટો રાજા ચક્રવર્તીના રાજ્યને જોઈને અસંતુષ્ટ થયા છતાં દુઃખી છે અને ચક્રવર્તી રાજા ઇન્દ્રની સમૃદ્ધિ જોઈને દુઃખી થાય છે તથા ઇંદ્ર પણ ઉપર-ઉપરના ઈંદ્રને જોઈને અસંતુષ્ટ થયા છતા દુઃખી થાય છે. આમ સર્વે સુખી જીવો પણ પોતાના સુખને ઓછું દેખતા છતા બીજાના સુખથી બળ્યા છતા દુઃખી દુઃખી જ હોય છે. આ સંસારમાં સાધુ જ એક સુખી છે કે જે અપરિગ્રહી છે. કોઈ પણ જાતની ચિંતા-બળતરા-ઈર્ષ્યા જેઓને નથી તેઓ જ સાચા યશના અને સમતા સુખના મૂલ કંદભૂત છે. જેમનામાં યશ અને સમતાસુખ ભરેલાં છે. તથા દિન પ્રતિદિન જેનો વધારો જ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy