SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સઝાય ૩પ અનિચ્છાએ ભગવાનનાં બે વચનોએ મારા પ્રાણ બચાવ્યા તો સમગ્ર દેશના સાંભળું તો મારું કલ્યાણ જ થાય એમ વિચારી પ્રભુ પાસે ગયો. દેશના સાંભળી સમર્પિત ભાવવાળો થઈને દિક્ષીત થયો અને મરીને દેવ થયો. આ રીતે આ અદત્તાદાનવિરમણવ્રત નામના વ્રતપાલનથી આ જીવ સુખને પામે છે, યશને પામે છે અને પુણ્યકર્મને બાંધનાર બને છે. અર્થાત્ દોષમુક્ત થવાના કારણે તે જીવની ચઢતી થાય છે. આવા પ્રકારના દોષોનો ત્યાગ એ જ આત્મકલ્યાણનું પરમ કારણ બને છે. તથા “સુખ જસ લહે” આ પદમાં જસ શબ્દ લખીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પોતાનું “યશોવિજયજી” આવું નામ પણ ગર્ભિતપણે સૂચવ્યું છે | ૬ | આ પ્રમાણે “અદત્તાદાન” નામનું જે ત્રીજું પાપસ્થાનક છે તેની સઝાય સમાપ્ત થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy