________________
૨૪
ગાથાર્થ - જે જે આત્માઓ જૂઠ્ઠું બોલતા નથી. યોગ્ય યોગ્ય સ્થાને ઉચિત જ બોલે છે. આવું સત્ય બોલવાનું વ્રત (નિયમ) જે રાખે છે. તેઓ ઉત્તમ વિવેકપૂર્વક જીવન જીવતા છતા સારો યશ અને આત્મસુખને વરે છે. || ૬ II
અઢાર પાપસ્થાનક
વિવેચન – “સત્યવ્રતનો” ઉત્તમ પ્રભાવ છે. તેનાથી જીવન ધન્ય બને છે. નિર્ભય બને છે. લોક-લોકોત્તર માર્ગમાં વિશ્વસનીય બને છે. કર્મોની નિર્જરા કરાવનારૂં અને બંધની અલ્પતા કરનારું બને છે. તે માટે “સત્ય” બોલવાનું અને સત્ય જીવન જીવવાનું માણસે વ્રત પાળવું જોઈએ. તો જ તે ઉત્તમ કલ્યાણ કરનાર અને મોક્ષસાધક બને છે.
જે જે મહાત્મા પુરુષો અલીકવચન (મિથ્યાવચનો) બોલતા નથી અને સ્થાને સ્થાને (અવસરે અવસરે) ઉચિત અને યથાર્થ વચન બોલે છે. તે મહાત્મા પુરુષો આવા પ્રકારની ટેકથી (ટેવથી) વિના પ્રયત્ને ઉત્તમ વિવેકવાળા જ થઈ જાય છે. વિવેકવાળા બનાવવા પડતા નથી પણ સ્વયં બની જાય છે તથા દુનિયાના લોકોમાં પણ તેઓનો “સુયશ” સારો યશ સ્વયં પ્રસરે છે અને સત્યવ્રતમાં વર્તવાપણાનો, તેના દ્વારા પોતાના જીવનને ધન્ય બનાવવાપણાનો જે આનંદ થાય છે. તે આનંદના સુખને વરનારા બને છે તેના કારણે કર્મબંધની અલ્પતા અને નિર્જરાની અધિકતા થતાં કાલાન્તરે મોક્ષસુખને વરનારા પણ બને છે.
તથા “સુજસ” શબ્દ વાપરીને પૂજ્ય ગ્રંથકારશ્રીએ પોતાનું “યશોવિજયજી” એવું નામ પણ ગર્ભિતપણે સૂચવ્યું છે ॥ ૬ ॥
આ પ્રમાણે “મૃષાવાદ” નામનું જે બી પાપસ્થાનક છે તેની સજ્ઝાય સમાપ્ત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org