SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ અઢાર પાપસ્થાનક પણ હોય છે. પરંતુ સામાન્યથી પુરુષની પ્રકૃતિ કઠોર વધારે હોય છે. અને સ્ત્રીની પ્રકૃતિ માયાવી વધારે હોય છે. પરંતુ આવા પ્રકારનું માયાવીપણું આચરવું તે નરક-નિગોદ જેવી દુર્ગતિમાં જવાની ચીટ્ટી આવી છે, નોટીસ આવી છે એમ જાણવું. દુર્ગતિગમનની નિશાની છે. તેથી હે જીવ ! આ સઘળું ત્યજવા જેવું છે. તે ૬ . જે જૂઠો દિએ ઉપદેશ, જનરંજને ધરે વેશ, તેહનો જૂઠો સકલ ક્લેશ, હો લાલ, માયા-મોસ નવી કીજિયે. || 9 || તેણે ત્રીજો મારગ ભાગો, વેષ નિંદે દંભે રાખ્યો, શુદ્ધ ભાષકે શમસુખ ચાખ્યો, હો લાલ, માયા-મોસ નવી કીજિયે. | ૮ || શબ્દાર્થ - જનરંજને - લોકોને ખુશ કરવા માટે જ, ધરે વેશ - સાધુના વેશને ધારણ કરે, કલેશ • પ્રવૃત્તિ, દંભે રાખ્યો - માયાથી જ વેશ રાખ્યો હોય, શુદ્ધભાષક - પરમાત્માનાં વચનોની શુદ્ધ પ્રરૂપણા કરનારા, સમસુખ - સમતાસુખ. || ૭-૮ || ગાથાર્થ - આવા પ્રકારના માયામૃષાવાદ સેવનારા લોકો ખોટો ઉપદેશ આપે છે. લોકોને ખુશ કરવા માટે સાધુનો વેશ ધારણ કરે છે. તેઓની બધી જ પ્રવૃત્તિ જડી (માયામય) જ હોય છે. તેઓએ આ બીજો માર્ગ ચલાવ્યો છે. વેશની પણ નિંદા થાય તેવું જીવન જીવતા હોય છે. દંભ કરવા પુરતો જ વેશ રાખ્યો હોય છે. જે શુદ્ધ પ્રરૂપક છે તે જ સાચા સમતાના સુખને પામનારા હોય છે. I ૭-૮ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy