SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ તિ-અરિત નામના પંદરમા પાપસ્થાનકની સજ્ઝાય “રતિ-અરતિ” નામના પંદરમા પાપસ્થાનકની સજ્ઝાય જિહાં રતિ કોઈક કારણેજી, અરતિ તિહાં પણ હોય, પાપસ્થાનક તે પનરમુજી, તિણે એ એક જ જોય, સુગુણ નર, સમજો ચિત્તમઝાર. ॥ ૧ ॥ શબ્દાર્થ - રતિ પ્રીતિ, અરતિ અપ્રીતિ, તિણે તે કારણથી || ૧ || ૧૭૧ - Jain Education International ગાથાર્થ જ્યાં રતિ (પ્રીતિ) થાય છે ત્યાં કોઈને કોઈ કારણે અપ્રીતિ પણ અવશ્ય થાય જ છે. તે કારણથી “રતિ-અરતિ’ આ બન્નેનું સાથે પનરનું એક જ પાપસ્થાનક છે. || ૧ || વિવેચન - હવે “રતિ-અતિ” નામના પન્નરમા પાપસ્થાનકની વાત સમજાવે છે. તિ એટલે પ્રીતિ અને અરતિ એટલે અપ્રીતિ, આમ રિત-અરિત નામનું બન્નેનું એકીસાથે એક પાપસ્થાનક કહ્યું છે. કારણ કે જ્યાં રતિ હોય છે ત્યાં અતિ પણ અવશ્ય સાથે જ હોય છે. જેમકે કોઈ કોઈને ફાઈવ સ્ટાર હોટલમાં જ ઉતરવાનું ગમતું હોય છે. તેને તે જ કાલે બીજી સાદી હોટલમાં ઉતરવાની અપ્રીતિ પણ સાથે જ હોય છે. જેને સટ્ટાના વ્યવસાયની પ્રીતિ હોય છે તેને વધારે મહેનત-મજુરીવાળા ધંધાની અપ્રીતિ પણ સાથે જ હોય છે. જેને એક વ્યક્તિ ઉપર પ્રીતિ થઈ હોય છે. તેને તેના બદલે બીજી વ્યક્તિ બતાવવામાં આવે, તો તેને તે બીજી વ્યક્તિ ગમતી નથી. અર્થાત્ ત્યાં અપ્રીતિ પણ અવશ્ય હોય જ છે. આમ એકકાલે જુદી જુદી વસ્તુના વિષયવાળી પ્રીતિ-અપ્રીતિ સાથે જ હોય છે. - For Private & Personal Use Only - અથવા જે વસ્તુ ઉપર આજે પ્રીતિ હોય છે તે જ વસ્તુ ઉપર કાળાન્તરે કોઈને કોઈ કારણે અપ્રીતિ પણ થઈ શકે છે. જેમકે પતિપત્ની જ્યારે લગ્ન કરે છે ત્યારે પ્રીતિ હોય છે. છતાં કાલાન્તરે કોઈ www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy