________________
૧૬૬
અઢાર પાપસ્થાનક
ખાય છે. બજારમાં તલ વેચીને સારાં નાણાં ઉપાર્જન કરે છે. પરંતુ
જ્યારે તે તલમાંથી ઘાણી દ્વારા તેલ કાઢી લેવામાં આવે છે. ત્યારે તે તલની કોઈ જ કિંમત રહેતી નથી. તેને કોઈ માણસ ખાતું નથી, સારા વાસણમાં કોઈ માણસ ભરતું નથી. બજારમાં વેચાતું નથી. “તલ છે તલ છે” આમ કહીને જે બહુમાનથી બોલાવતા હતા, તેને બદલે હવે “ખોળ” કહેવાય છે. (ખોળ એટલે કે ફક્ત પશુઓને જ ખાવાયોગ્ય તુચ્છ અનદ્રવ્ય). જેનું ઘણું જ માન હતું તે જ હવે તુચ્છ દ્રવ્યપણાને પામે છે. તેવી જ રીતે પિશુનક પુરુષનું હૃદય સ્નેહ વિનાનું (પ્રેમ-વાત્સલ્ય વિનાનું) છે અને તેના જ કારણે દયા વિનાનું પણ છે. તેથી તે હલકામાં હલકાં કામો કરવામાં જરા પણ ખચકાતા નથી. “ખોળ” ના જેવી તેની તુચ્છ સ્થિતિ હોવાથી તે કેવાં કેવાં નુકશાનકારક કામો કરે છે ? તેની વાર્તા ગમે તેટલી કહીએ તો પણ પુરી ન થાય તેવી છે. અર્થાત્ શબ્દોથી અવાચ્ય છે.
જેમ તેલવાળા તલ કિંમતી, અને તેલ વિનાના તલ તે “ખોળ” કહેવાય, તેમ સ્નેહ અને દયા વિનાનો પિશુનક પુરુષ પણ “ખોળ” જેવો તુચ્છ છે. હે જીવ ! તેવાની સોબત કરવી નહીં. ૩ ચાડી કરતાં હો કે વાડી ગુણ તણી,
સૂકે ચૂકે હો કે ખેતી પુણ્ય તણી, કોઈ નવિ દેખે હો કે વદન તે પિશુનતણું, નિરમલ કુલને હો કે દીયે તે કલંક ઘણું.
છું. | ૪ || શબ્દાર્થ - ચાડી કરતાં - બીજાની ચાડી ખાવાથી, વાડી ગુણ તણી - ગુણોની વાડી, ગુણોનું ઉધાન, સૂકે - સૂકાઈ જાય છે. ચૂકે - રહી જાય છે, ખેતી પુણ્ય તણી - પુન્યની ખેતી, વદન - મુખ, પિશુનતણું - ચાડીયા માણસનું. II 8 II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org