SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ નામના દસમા પાપસ્થાનકની સઝાય ૧૨૭ બન્યા. અને અનેક પુત્ર-પુત્રીના પરિવારવાળા બન્યા. આવી મહાભયંકર રાગદશા છે. જે મહાત્મા પુરુષો અતુલબલવાળા છે. જેનાથી વજન જેવાં મજબૂત બંધનો પણ એક ક્ષણમાત્રમાં જ તુટી જાય છે. તેવા અતુલબલી મોટા માણસો પણ નેહતંતુને (રાગદશારૂપી એક તાંતણાને) તોડી શકતા નથી. નેહતંતુથી તેઓ છુટી શકતા નથી. આવી મોહદશાને જીતવી ઘણી દુષ્કર છે. જેનાથી વજબંધન જેવાં મજબૂત બંધનો તુટે છે. તેનાથી રાગદશા રૂપી તાંતણો તુટતો નથી. તેથી હે જીવ ! તું રાગદશામાં ન અંજાઈ જા. | ૭ || દેહ ઉચ્ચાટન અગ્નિનું દહવું રે, ઘણકુટ્ટન એ સવિ દુઃખ સહવું રે ! અતિ ઘણું રાતી જે હોય મજિઠ રે, રાગ તણો ગુણ એહ જ દિ રે | ૮ || શબ્દાર્થ - દેહ ઉચ્ચાટન - ચામડીનું ઉખેડવું, ચામડીને છોલવી, અગ્નિનું દહનું - અગ્નિમાં ઉકળવું, આગમાં બળવું, ઘણકુટણ - ઘણથી કુંટાવું, અતિઘણું રાતી - અતિશય ઘણી લાલ એવી, મજિક - મજીઠ. | ૮ | ગાથાર્થ - ચામડીને છોલવી, આગમાં બળવું અને ઘણથી કુટાવું ઈત્યાદિ સર્વે દુઃખો મજિઇને જે સહેવાનાં આવે છે તેમાં મજિઠનો અતિશય ઘણો લાલ જે રંગ છે તે (જ્ઞ = રાગ) ગુણનો જ દોષ સમજવો. | ૮ | વિવેચન - જ્યાં જ્યાં રાગદશા ગાઢ હોય છે ત્યાં ત્યાં કેવાં કેવાં દુઃખો આવે છે. તે ઉપર મજિઠનો દાખલો આપીને ગ્રંથકારશ્રી સમજાવે છે કે – મજિઠનો રંગ ઘણો પાકો હોય છે. અને તે લાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy