SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ અઢાર પાપસ્થાનક શબ્દાર્થ - ઘરવાસે - ગૃહસ્થજીવનમાં, પુરવ - પાછલા ભવોના, રાગ અભ્યાસે - રાગના સંસ્કારથી, વજબંધ પણ - વજના જેવું મજબૂત બંધન પણ, જસ ભલે બુટે - જેના બળથી બુટે, નેહતંતુથી - નેહરૂપી તાંતણાના બંધનથી, તેહ - તે જીવો, ન છુટે - છુટી શકતા નથી. || ૭ || ગાથાર્થ - બાવીસ તીર્થકર ભગવંતો પણ પૂર્વભવોની રાગદશાના અભ્યાસથી ગૃહસ્થ જીવનમાં રહ્યા, (પરિવારવાળા બન્યા), જેઓ પોતાના ભૂજબલથી વજના જેવું મજબૂત બંધન તોડી શકે છે, તેઓ સ્નેહના એક તાંતણાના બંધનથી છુટી શકતા નથી. [ ૭ / વિવેચન - વર્તમાન અવસર્પિણીના કાળમાં ત્રીજા આરાના અંતે ઋષભદેવ પ્રભુ અને ચોથા આરામાં અજિતનાથ પ્રભુથી મહાવીર સ્વામી પ્રભુ સુધીના ૨૩ પ્રભુ, એમ સર્વે મળીને ૨૪ તીર્થકર પ્રભુ થયા. તેમાં નેમનાથપ્રભુ અને મલ્લીનાથ પ્રભુ આ બે અપરિણીત હતા. બાકીના ૨૨ પ્રભુ વિવાહીત હતા. આમ શ્વેતાંબર આમ્નાય પ્રમાણે સમજવું. (દિગંબર આમ્નાયમાં વાસુપૂજ્ય સ્વામી, મલ્લિનાથ, નેમનાથ અને મહાવીર સ્વામી એમ ૪ પ્રભુ અવિવાહીત હતા અને બાકીના ૨૦ પ્રભુ વિવાહીત હતા એમ તેઓની આમ્નાયમાં માનવામાં આવે છે.) આ ૨૨ તીર્થંકર પરમાત્મા તદ્ભવમોક્ષગામી છે. કેવલજ્ઞાન પામવાવાળા છે. તીર્થની સ્થાપના કરવાવાળા છે. અને અનેક ભવ્ય જીવોને સંસારમાંથી તારવાવાળા છે. અને પોતે પણ સંસારનો પાર પામીને મોક્ષે જનારા છે. આટલી ઉંચી પુચાઈવાળા હોવા છતાં પણ પૂર્વભવોમાં બાંધેલા મોહનીયકર્મના ઉદયથી પ્રગટેલી રાગદશાના અભ્યાસને લીધે વિવાહીત જીવનવાળા અર્થાત્ ગૃહસ્થ જીવનવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy