SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ લોભ નામના નવમા પાપસ્થાનકની સઝાય ૧૦૧ “લોભ” નામના નવમા પાપસ્થાનકની સક્ઝાયજીરે મારે, લોભ તે દોષ અથોભ, પાપસ્થાનક નવમું કહ્યું જીરે મારે, સર્વ વિનાશનું મૂલ, એહથી કૂખે ન સુખ લહ્યું, જીરે જી,૧ શબ્દાર્થ અથોભ- અટકે નહીં તેવો, એહથી-આ લોભથી. IIના ગાથાર્થ - કદાપિ અટકે નહીં એવો આ લોભદોષ છે અને તે નવમું પાપાનક કહ્યું છે. આ લોભ સર્વ વિનાશનું મૂલ છે તેનાથી કોઈએ સુખ મેળવ્યું નથી / ૧ / વિવેચન - હવે લોભ નામના નવમા પાપસ્થાનકને સમજાવે છે. લોભ વણથંભ્યો કહેવાય છે. એટલે કે ક્યારેય પણ અટકતો નથી. ગમે તેટલી ધનસંપત્તિ આવે તો પણ તેને વધારવાની જ મનોવૃત્તિ દરેક જીવોની રહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે નાદે નોરો વઢ-જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધતો જ રહે છે તેથી તે લોભ “અથોભ” થોભે નહી તેવો કહેવાય છે. આ લોભ જ જીવને ઘણા પાપમાં, ઘણા દુસ્સહ કાર્યો કરવામાં, અને ઘણાં કર્મલેશો કરવામાં લઈ જાય છે. તેથી પાપ વધતાં મૂલથી જ સર્વ ધનાદિનો નાશ થાય છે એટલે આ લોભ એ જ સર્વનાશનું મૂલ છે. આ લોભથી આખી જિંદગી પૈસા કમાવા માટે જીવ બહારને બહાર ભટકે છે. દરિયા પાર કરે છે. અરણ્યવાસ સ્વીકારે છે. ભૂખતરસ સહન કરે છે. કુટુંબીઓના વિયોગને પણ સહન કરે છે. આમ આ લોભથી જીવ દુઃખી દુઃખી થાય છે. કોઈએ પણ આ લોભથી સુખ મેળવ્યું નથી. સુખ મેળવતા પણ નથી અને મેળવશે પણ નહીં. માટે હે જીવ ! આ લોભ ત્યજવા જેવો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy