________________
૧00
અઢાર પાપસ્થાનક
શબ્દાર્થ - અલગા - દૂર, ટલો - રહો, મુક્તિસ્યું - મુક્તિની સાથે, રંગ - ઉત્સાહ - ઉમંગ. || ૮ ||
ગાથાર્થ - હે ભવ્ય આત્માઓ ! માયાથી તમે દૂર રહો, જેથી મુક્તિની સાથે ગ (પ્રેમ-ઉત્સાહ) લાગે અને ઉત્તમ લક્ષણો (ગુણો) આ શરીરમાં (શરીરધારી આત્મામાં) આવે. જેથી સદા યશવાળા થયા છતા સ્વભાવદશાના આનંદના વિલાસવાળા થઈને સદાકાળ સુખી જ થઈને રહે I ૮ /
વિવેચન - “માયા એ સાક્ષાત્ રાક્ષસી છે' એમ સમજીને તે ભવ્ય જીવો ! માયાથી સદાકાળ દૂર જ રહો. માયા એ સાપથી પણ ભયંકર વસ્તુ છે. સાપ એક ભવમાં મારે છે. માયા ભવોભવમાં આ જીવને સગુણોથી પછાડે છે. તેથી માયાને છોડીને સરળ સજ્જન અને સંત બનો. માયા એ પાપનું જ પોટલું છે એમ સમજીને તેને છોડી દો. જો માયાને છોડશો તો જ સારા યશવાળા બનશો, દુનિયાના કોઈ પણ જીવો તમારી સામે અપયશની આંગળી નહીં ચિંધી શકે. તથા તમે પણ નિશ્ચિત થયા છતા સદા આનંદી અને સુખી થશો કારણ કે માયાવી માણસો સદાકાળ ચિંતાતુર જ હોય છે અને સરળ હૃદય રાખવાથી સમ્યકત્વ, વ્રત આદિ અનેક ગુણો આ આત્મામાં આવે છે. માયા એ મિથ્યાત્વનું મૂળ છે. તેથી તેના ત્યાગથી જ આ જીવમાં ગુણો આવે છે. અહીં છેલ્લી ગાથાની અંતિમ પંક્તિમાં “સુજસ રહો” એ પદમાં “સુજસ” શબ્દ લખીને ગ્રંથકર્તાએ પોતાનું “યશોવિજયજી” એવું નામ પણ ગર્ભિત રીતે સૂચવ્યું છે. | ૮ | આ પ્રમાણે “માયા કષાય” નામવાળું જે આઠમું પાપસ્થાનક છે
તેનાં વર્ણનની સઝાય સમાપ્ત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org