SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ એપોલોયાનની અપરંપાર સમસ્યાઓ અમેરિકાની ‘નાસા’ સંસ્થા તરફથી ‘ચંદ્ર' ઉપર જે અવકાશયાનો મોકલવામાં આવતાં હતાં તેમાં પ્રારંભથી જ એવી ગંભીર ટેક્નિકલ સમસ્યાઓ પેદા થઈ હતી, જેના કોઈ ઉપાયો ‘નાસા’ પાસે નહોતા. એપોલો પ્રોજેક્ટના પ્રારંભમાં ‘નાસા’ના ચીફ એડ્મિનિસ્ટ્રેટર જો શિયાએ નિર્ણય કર્યો હતો કે એપોલો યાનને તેની ધરી ઉપર ફરતું રાખવું જોઈએ, જેથી તેને એકસરખી રીતે સૂર્યની ગરમી મળતી રહે. અવકાશયાનને ફરતું રાખવાથી તેને વધુ ગરમી નથી મળતી પણ સૂર્યની જેટલી ગરમી મળતી હોય તેની બધા ભાગો ઉપર સમાન રીતે વહેંચણી થાય છે. હકીકતમાં એપોલો યાન જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પાછું ફરે છે ત્યારે તેનું ઉષ્ણતા કવચ (હીટ શીલ્ડ) સર્વિસ મોડ્યુલથી વીંટળાયેલું હોય છે. તો પછી એપોલો યાનને પોતાની ધરીની આજુબાજુ ફરતું રાખવાનો હેતુ પ્રજાને ચક્કરમાં નાખવાનો હતો? અવકાશયાનને પોતાની ધરી ઉપર ફરતું રાખવાને કારણે હકીકતમાં તેને હંકારવાનું કામ અત્યંત મુશ્કેલ બની જતું હતું. એપોલો યાનને ‘ચંદ્ર’ ઉપર પહોંચવામાં આશરે ૯૦ કલાક લાગ્યા હતા અને પાછા આવવામાં પણ લગભગ એટલા જ કલાક લાગ્યા હતા. ‘નાસા'એ એવો દાવો કર્યો હતો કે આ બધો સમય યાનમાં એરકન્ડિશનર ચાલુ રાખવામાં આવ્યું હતું. આ માટેની ઊર્જા સર્વિસ મોડ્યુલની બેટરીમાંથી અને તેની ઉપર બેસાડેલા અન્ય ઉપકરણમાંથી મેળવવામાં આવતી હતી. આ વાત ગળે ઉતારવી ખૂબ મુશ્કેલ છે, પણ ‘નાસા’ તરફથી આ બાબતમાં કોઈ ટેક્નિકલ વિગતો અપાતી નથી. અવકાશયાત્રીઓ પૃથ્વીથી ‘ચંદ્ર’ સુધી એપોલો યાનમાં ગયા હતા. ત્યાર પછી મુખ્ય એપોલો યાન ‘ચંદ્ર’ની Jain Education International આજુબાજુ પ્રદક્ષિણા કરતું હતું અને તેમાંથી છૂટું પડેલું એક નાનકડું ચંદ્રયાન (એલઈએમ) ‘ચંદ્ર'ની ધરતી ઉપર ત્રણ અવકાશયાત્રીઓને લઈને ગયું હતું. આ ચંદ્રયાન એટલું નાજુક હતું કે પૃથ્વી ઉપર તે પાયાઓ ઉપર ઊભું પણ રહી શકતું નહોતું. પૃથ્વીના વાતાવરણમાં તેની જ્યારે પણ ચકાસણી કરવામાં આવી ત્યારે તેમાં ધડાકાઓ થયા હતા. તેથી વિરુદ્ધ આ ચંદ્રયાને આઠ વખત ‘ચંદ્ર’ની સપાટી ઉપર સહીસલામત ઉતરાણ કર્યું હતું અને તે આઠેય વખત ચંદ્રની ધરતી ઉપરથી કોઈ પણ જાતની ચૂક વિના પાછું આવ્યું હતું એ ન માની શકાય તેવી વાત છે. આ ચંદ્રયાનના દીદાર જોઈને જ ખાતરી થતી હતી કે ચંદ્રયાનની વાત ‘નાસા’એ ઉપજાવી કાઢી છે. અત્યારના વિજ્ઞાનીઓ ચંદ્રનું જે રીતે વર્ણન કરે છે તે મુજબ ચંદ્ર ઉપર બે સપ્તાહનો દિવસ હોય છે અને બે સપ્તાહની રાત હોય છે. એપોલો-૧૧ યાન જ્યારે ચંદ્ર ઉપર ઊતર્યું હોવાનું કહેવાય છે ત્યારે સૂર્ય ચંદ્રની ક્ષિતિજ ઉપર ૧૦ ડિગ્રી જ ઉપર હતો તેમ કહેવાય છે. સૂર્યનાં કિરણો બહુ ઉગ્ર ન જણાય તે માટે આમ કરવામાં આવ્યું હતું. ત્યાર પછીની ‘ચંદ્રયાત્રા’ ઓ પણ દિવસ દરમિયાન કરવામાં આવી હતી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૯૧ For Private & Personal Use Only શ્રીમાન નોબલ નામના લેખક ચંદ્રની ધરતી ઉપરના તાપમાન માટે લખે છે કે “ચંદ્ર ઉપર મધ્યાને આશરે ૨૪૩ ડિગ્રી ફેરનહીટ અને મધ્યરાત્રિએ માઇનસ ૨૭૯ ડિગ્રી ફેરનહીટ જેટલું ઉષ્ણતામાન હોય છે. ચંદ્ર પર મધ્યાહ્નનું ઉષ્ણતામાન ઊકળતા પાણી કરતાં પણ વધુ હોય છે એમ આ લેખક કહે છે. જો આ વાત સાચી હોય તો એપોલો યાનના કોઈ અવકાશયાત્રીએ તેનું વર્ણન કેમ ન કર્યું? આટલી ભીષણ ગરમીમાં તેઓ ચંદ્રની ધરતી ઉપર કેમ આરામથી ફરી શક્યા તેનાં બે કારણો સંભવિત છે. ક્યાં તો ચંદ્રની ધરતી ઉપર એટલું ઉષ્ણતામાન નથી www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy