SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ થંભી જતી નથી? ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ મુજબ ગતિમાન વસ્તુ શૂન્યાવકાશમાં હોય તો તે અનંત કાળ સુધી ગતિમાન જ રહે છે પણ અવકાશમાં તો ઇથર ભરેલું છે, એવું વિજ્ઞાનીઓ માને છે. આ પદાર્થ સાથે ઘર્ષણના કારણે પૃથ્વીની ગતિ ઓછી થવી જોઇએ અને છેવટે તે ઊભી રહી જવી જોઇએ. આવું કેમ નથી બનતું? તેનો જવાબ કોઇ વિજ્ઞાનીઓ આપી શકતા નથી. આપણે કેમ પડી જતા નથી? એક લાકડાના ગોળાની ટોચ ઉપર જો અનાજના દાણા રાખવામાં આવે તો કેટલાક દાણા ટોચ ઉપર રહી જાય છે પણ બાકીના દાણા નીચે સરકી પડે છે. આ રીતે પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો તેની ટોચના જ કેટલા ભાગ ઉપર માણસો વસી શકે. આ ગોળાની બાજુઓ ઉપર અને નીચે તરફ વસતા લોકો તો અવકાશમાં ગબડી પડવા જોઇએ, જે બનતું નથી. આ માટે આધુનિક વિજ્ઞાનીઓ એવી સમજૂતી આપે છે કે પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ કેન્દ્રમાં છે એટલે તે બધા જ પદાર્થોને કેન્દ્ર તરફ ખેંચી રાખે છે અને લોકોને ગબડી પડતા અટકાવે છે. આ સમજૂતીમાંથી ચોથો પ્રશ્ન પેદા થાય છે. ગતિમાન પદાર્થ કેવી રીતે પૃથ્વીના કેન્દ્રબિંદુ તરફ આકર્ષિત થાય? આપણે માની લઇએ કે સ્થિર પદાર્થો પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ કેન્દ્ર તરફ ખેંચાયેલા રહે છે, એટલે પડી જતા નથી. હવે વિચાર કરીએ પૃથ્વીના ગોળા ઉપર ધસમસતા વેગથી પ્રવાસ કરતી મોટર કારોનો અને ટ્રેઇનનો. તેઓ જે ઝડપે પૃથ્વીના ગોળા ઉપર પ્રવાસ કરી રહ્યા છે તે ઝડપે તેમના ઉપર લાગુ પડતું પૃથ્વીનું ગરૂત્વાકર્ષણ બળ દિશા બદલે અને વસ્તુની પોતાની પોલારિટી Jain Education International (ધ્રુવીકરણ) બદલાય તે પણ શક્ય નથી. આ કારણે ધસમસતા પદાર્થો પૃથ્વીના કેન્દ્રગામી ગુરૂત્વાકર્ષણ બળની અસરમાંથી બહાર નીકળી અવકાશમાં ફંગોળાઇ જવા જોઇએ, જે હકીકતમાં બનતું નથી. મહાસાગરોનું પાણી કેવી રીતે પૃથ્વીના ગોળાને વળગી રહે છે? પાણી તો હમેશાં સપાટી શોધે છે. પાણીને ક્યારેય દડાના આકારમાં ઢાળીને સ્થિર રાખી શકાય નહિ. ફૂટબોલના દડા ઉપર પાણીનાં ટીપાં ઢોળવામાં આવે તો તે નીચે જ પડી જાય. તો પછી આટલા બધા મહાસાગરોનાં પાણીને પૃથ્વી શી રીતે દડાના આકારમાં ઢાળીને પોતાની સપાટી ઉપર પકડી રાખી શકતી હશે? આ પાણી જો સ્થિર હોય તો હજી પેલા કેન્દ્રગામી ગુરૂત્ત્વાકર્ષણ બળની અસર માની શકાય પણ અહીં તો મહાસાગરોમાં હંમેશાં ભરતી ઓટ અને પ્રવાહો ચાલ્યા કરે છે. આ ગતિમાન પ્રવાહીને દડાના આકારમાં જ ઘૂમવાની ફરજ કેવી રીતે પાડી શકાય? પૃથ્વી દડા જેવી ગોળ છે કે થાળી જેવી ગોળ છે, તેનો વિવાદ આશરે એક હજાર વર્ષથી ચાલી રહ્યો છે. જે રીતે ખ્રિસ્તી ધર્મના બાઇબલમાં પૃથ્વીને સપાટ દર્શાવવામાં આવી છે તે રીતે જ મુસ્લિમોના કુરાનમાં અને હિન્દુઓના ભાગવતમાં પણ પૃથ્વીને સપાટ જ બતાવવામાં આવી છે. પૃથ્વીને દડા જેવી ગોળ માનનારાઓ આજે પણ અમુક પ્રશ્નોનાતર્કબદ્ધ જવાબો આપી નથી શકતા તેનાથી એટલું જ ફલિત થાય છે કે આ વિષયમાં આપણે પણ આપણું માઇન્ડ ઑપન રાખવું જોઇએ અને કોઇ પણ થિયરી ઉપર આંધળો વિશ્વાસ તો ન જ મૂકી દેવો જોઇએ. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૮૦ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy