SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર્લ્સ કે. જોન્સન ખૂબ જ રસપ્રદ દલીલ કરતા કહે છે કે, ‘‘જેમણે વિશ્વના ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, તેવા અનેક મહાનુભાવો પૃથ્વી સપાટ જ છેએવું માનતા હતા. મોઝિસ પણ તેમાંના એક હતા. તેઓ ઇઝરાયલનાં બાળકોને ઇજિપ્તની બહાર લઇ ગયા અને માઉન્ટ સિનાઇ ઉપર તેમને ટેન કમાન્ડમેન્ટ્સ આપ્યા હતા.’' આ ઘટના ઇ.સ. પૂર્વે ૧૪૯૧માં બની હતી, એટલે ફ્લેટ અર્થ સોસાયટીની સ્થાપના હકીકતમાં તો ઇ.સ. પૂર્વે ૧૪૯૧માં થઇ હતી એવું ચાર્લ્સ કે. જેન્સન કરે છે. ફ્લોટ અર્થ સોસાયટી માને છે કે ઇ.સ. ૧૪૯૨માં અમેરિકાની શોધ કરનારો ક્રિસ્ટોફર કોલમ્બસ પૃથ્વી ગોળ છે એવું નહિ પણ તે સપાટ છે, એવું જ માનતો હતો. આ કારણે જ વહાણ લઇને તેણે આટલે દૂર સમુદ્રમાં જવાની હિમ્મત કરી હતી. અમેરિકાની ફ્લેટ અર્થ સોસાયટીના સભ્યો માને છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે, એવી માન્યતા કોપરનિક્સ જેવા ક્રિક ફિલોસોફરે વહેતી મૂકી પણ તેને ખરું બળ ઇંગ્લેંડમાં પ્રોટેસ્ટન્ટ સુધારકોએ આપ્યું. જોકે અમેરિકન પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન પોતે પૃથ્વી સપાટ છે, એવું જ માનતા હતા, એવું ચાર્લ્સ કે. જોન્સન કહે છે. તેમના કહેવા મુજબ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ‘‘પૃથ્વી સપાટ છે'' એવા સિદ્ધાંતને આધારે જ થઇ હતી. આ કારણે યુનોનો જે નકશો છે તેમાં પૃથ્વીને સપાટ દર્શાવવામાં આવી છે અને કેન્દ્રમાં ઉત્તર ધ્રુવને દર્શાવવામાં આવ્યો છે. હકીકતમાં યુનોનો પૃથ્વીનો જે નકશો છે તેનો જ ઉપયોગ ફ્લેટ અર્થ સોસાયટીના સભ્યો પોતાની થિયરી મુજબના પૃથ્વીના નકશા તરીકે કરી રહ્યા છે. ચાર્લ્સ કે. જોન્સન કહે છે કે, “રશિયા અને અમેરિકા તરફથી અવકાશી કાર્યક્રમોનો જે પ્રારંભ કરવામાં આવ્યો તે પૃથ્વી દડા જેવી ગોળ છે એવી ખોટી ધારણાને સમર્થન આપવા માટે જ શરૂ કરાયો હતો. અમેરિકાએ ઇ.સ. ૧૯૬૯માં જે નાટક કર્યું તે તમન બૉગસ હતું. હોલિવુડના એક સ્ટુડિયોમાં એપોલો યાનના ચંદ્ર ઉપરના ઉતરાણનું શુટિંગ કરવામાં આવ્યું હતું. આ આખા નાટકની સિપ્ટ આર્થર સી. ક્લાર્ક નામના વિજ્ઞાન લેખકે તૈયાર કરી હતી. અત્યારે જે સ્પેસ શટલના કાર્યક્રમો ચાલી ય છે તે લોકોની આંખમાં ધૂળ નાંખવા બરાબર છે. આ સ્પેસ શટલ પૃથ્વીની ચારે બાજુ પ્રદક્ષિણા કરી શકે તે અશક્ય છે, કારણ કે પૃથ્વી દડા જેવી ગોળ નથી.’’ પૃથ્વી થાળી જેવી સપાટ છે અને દડા જેવી ગોળ નથી, એવું માનનારા માત્ર બાઇબલ જેવા ગ્રંથના આધારે જ આગળ વધી રહ્યા છે, એવું નથી. પોતાની આ માન્યતાના સમર્થનમાં તેમણે અનેક વૈજ્ઞાનિક કારણો પણ આપ્યાં છે, જે બુદ્ધિશાળી લોકોને પણ Jain Education International વિચારતા કરી મૂકે તેવાં છે. ફ્લેટ અર્થ સોસાયટી તરફથી જે વૈજ્ઞાનિક દલીલો કરવામાં આવે છે, તેના પાંચ મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છેઃ પ્રયોગો દ્વારા પૃથ્વી સ્થિર છે એવું વિજ્ઞાનીઓએ જ પુરવાર કર્યું છે વિજ્ઞાનની દૃષ્ટિએ કોઇ પણ પ્રકાશનાં કે વિદ્યુત ચુંબકીય મોજાંઓને પ્રવાસ કરવા માટે માધ્યમની જરૂર પડે છે. અવકાશમાં ઇર નામનું માધ્યમ ભરેલું છે, જેમાંથી પ્રકાશ વિગેરે તરંગો પસાર થાય છે, એવું વિજ્ઞાનીઓ પોતે માનતા હતા. ઇ.સ. ૧૮૮૭માં બે અમેરિકન વિજ્ઞાનીઓએ પૃથ્વીના પરિભ્રમણની ઝડપ માપવા માટે પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગમાં પૃથ્વી ઉપરથી પ્રકાશનું એક કિરણ છોડવામાં આવ્યું અને પૃથ્વીની ગતિને કારણે ચોક્કસ સમયમાં તે પૃથ્વીથી કેટલું દૂર રહી ગયું તેની ગણતરી કરવામાં આવી. આ પ્રયોગ ધસમસતી મોટરકારની સ્પિડ માપવા માટે તેની બારીમાંથી એક દડો હવામાં ઉછાળવા જેવો હતો. આ પ્રયોગ વખતે એવું માની લેવામાં આવ્યું હતું કે જો અવકાશમાં ઇથર જેવું કોઇ માધ્યમ હોય તો પ્રકાશનું કિરણ અવકાશમાં અથડાઇને પછી પા પૃથ્વી ઉપર આવશે, જેના આધારે પૃથ્વીની ઝડપનો ખ્યાલ આવશે. આ પદ્ધતિએ અમેરિકન વિજ્ઞાનીઓએ અવકાશમાં ગતિ કરવાની પૃથ્વીની સ્પિડ માપી જોઇ તો તે શૂન્ય જણાઇ હતી. આ પરિણામથી અમેરિકાના વિજ્ઞાનીઓ ચોંકી ગયા હતા, કારણ કે તેમને તો એવું કહેવામાં આવ્યું હતું કે પૃથ્વી સૂર્યની આજુબાજુ પ્રચંડ વેગથી ફરી રહી છે. આ હકીકતનો સ્વીકાર કરવાને બદલે તેમણે એવું જાહેર કરી દીધું કે અવકાશમાં ઇશ્વરનું જ અસ્તિત્ત્વ નથી અને પ્રકાશના કિરણો કોઇ પણ જાતના માધ્યમ વિના જ અવકાશમાં ગતિ કરે છે. હવે જો પ્રકાશને તરંગ માનવામાં આવે તો તેને આગળ વધવા માટે કોઇ માધ્યમની જરૂર તો રહે છે. વિજ્ઞાનીઓ આજ સુધી પ્રકાશ એક તરંગ છે, એવી માન્યતાને વળગી રહ્યા છે, પણ સાથે સાથે ઇથરના અસ્તિત્ત્વનો ઇનકાર કરી ર છે. આ બે ચીજ કેવી રીતે સાથે બની શકે? પૃથ્વી શા માટે થંભી જતી નથી? પૃથ્વીને સૂર્યની આજુબાજુ કલાકના લાખો માઇલની ઝડપે ફરતી માનનારાઓ કદી એ વાતનો જવાબ નથી આપી શક્યા કે પૃથ્વી જો અબજો વર્ષથી આ રીતે ફર્યા કરતી હોય તો તે શા માટે જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy