SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ડાબે અથવા જમણે ખસી હોવાથી આંગળી ખસી ગઈ હોવાની આભાસ થાય છે. આ આભાસને વૈજ્ઞાનિક ભાષામાં ‘પેરેલેક્સ’ કહેવામાં આવે છે. હવે આપણને જો બે આંખ વચ્ચેનું અંતર ખબર હોય અને આંગળી કેટલી ખસી તેનું માપ કાઢવામાં આવે તો આ પેરેલેક્સનો ખૂણો શોધી શકાય છે. આ ખૂણો મળી જાય એટલે આંગળી આપણી આંખથી કેટલી દૂર છે તેનું અંતર પણ મળી જાય છે. બરાબર આ જ સિદ્ધાંતનો ઉપયોગ આજના વિજ્ઞાનીઓ નજીક આવેલા તારાઓનું અંતર શોધવા માટે કરે છે. ધારો કે પૃથ્વીથી અમુક અંતરે એક તારો આવેલો છે. આ તારાનું નિરીક્ષણ પહેલાં જાન્યુઆરી મહિનામાં અને પછી જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. આજના વિજ્ઞાનીઓ એવું ખોટી રીતે માને છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. આ કારણે તેઓ એવું માને છે કે પૃથ્વી જાન્યુઆરી મહિનામાં સૂર્યના એક છેડે હોય છે અને જુલાઈ મહિનામાં બીજે છેડે હોય છે. વિજ્ઞાનીઓની માન્યતા મુજબ જાન્યુઆરી-જુલાઈ મહિનાઓ વચ્ચે પૃથ્વી લગભગ ૧૮ કરોડ ૬૦ લાખ માઇલ જેટલો પ્રવાસ અવકાશમાં કરી ચૂકી હોય છે. (આકૃતિ-સ્ટાર ડિસ્ટન્સ) જો પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી હોય તો જાન્યુઆરી મહિનામાં આપણને એક નજીકનો તારો ડાબી બાજુએ દેખાશે અને જુલાઈ મહિનામાં આપણને આ તારો જમણી બાજુએ દેખાશે. દૂરનો તારો જાન્યુઆરીમાં તારો પેરેલક્સ ખૂણો જુલાઈમાં પૃથ્વી Jain Education International સૂરજ 아 જુલાઈમાં તારો પેરેલક્સ પરિવર્તન નજીકનો તારો જાન્યુઆરીમાં પૃથ્વી આકાશમાં અત્યંત દૂર રહેલા તારાઓ લગભગ સ્થિર જ દેખાય છે. આ સ્થિર તારાઓની અપેક્ષાએ આપણે નજીકનો તારો છ મહિનામાં આકાશમાં કેટલો ખસ્યો તેનું માપ મેળવી શકીએ છીએ અને તેના આધારે પેરેલેક્સનો ખૂણો નક્કી કરીને નજીકના તારાનું અંતર શોધી શકીએ છીએ. પૃથ્વી હકીકતમાં સૂર્યની આજુબાજુ ફરતી ન હોવાથી આ ગણતરી ખોટી સાબિત થાય છે. આપણે જો પૃથ્વીને સ્થિર માનીએ અને સૂર્યને ફરતો માનીએ તો પેરેલેક્સની પદ્ધતિ વડે સૂર્યનું સાચું અંતર શોધી શકીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્થળ ‘એ’ ઉપર ઊભા રહીને આપણે મધ્યાહ્ના સૂર્યને નિરખીએ છીએ અને પછી ‘બી’ સ્થળ ઉપર જઈને સૂર્યને નિહાળીએ છીએ. બન્ને સ્થળેથી સૂર્યને નિહાળવાના ખૂણા ઉપરથી આપણને પેરેલેક્સનો ખૂણો મળે છે. ‘એ’ અને ‘બી’ વચ્ચેનું અંતર આપણને ખબર હોય છે, જેના ઉપરથી આપણને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સાચું અંતર જાણવા મળે છે. આ અંતર આશરે ૭૦૦ માઇલ જેટલું જણાયું છે. આપણે જો આખું આકાશ ૩૬૦ ડિગ્રીમાં વહેંચી દઈએ તો વિજ્ઞાનીઓ જેને સૌથી નજીકના તારાઓ ગણે છે તેઓ છ મહિનામાં એક ડિગ્રી કરતાં પણ ઓછા ખસતા હોય છે. પેરેલેક્સના ખૂણાનું માપ ડિગ્રી, મિનિટ અને સેકન્ડમાં કરવામાં આવે છે. એક પેરડિગ્રીની ૬૦ પેમિનિટ બને છે અને ૧ પેમિનિટની ૬૦ પેરસેકન્ડ બને છે. આપણી પૃથ્વીથી અથવા સૂર્યથી સૌથી નજીકનો તારો પ્રોકિઝમા છે, એવું વિજ્ઞાનીઓ માને છે. આ તારાનું પૃથ્વી ઉપરથી પેરેલેક્સ ૦.૭૭ સેકન્ડ જેટલું છે. આ માપ ઉપરથી જો પ્રોક્ઝિમાનું માપ કાઢવામાં આવે તો તેનું સૂર્યથી અંતર ૪.૩ પ્રકાશવર્ષ જેટલું આવે છે. જો કે આ અંતર ભ્રામક છે, કારણ કે પૃથ્વી ખસતી નથી પણ તારાઓ ખસે છે. વિજ્ઞાનીઓ કોઈ પણ તારાનું અંતર માપવા માટે પહેલાં સૂર્યોદય અગાઉ તારાની સામે જુએ છે. આ તારો તેની નજીક રહેલા પણ અત્યંત દૂરના સ્થિર તારા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે તે માપવામાં આવે છે. પછી છ મહિના રાહ જોવામાં આવે છે. આ છ મહિના દરમિયાન આપણી પૃથ્વી આશરે ૧૮ કરોડ ૬૦ લાખ માઇલ ખસી ગઈ છે, એવું માની લેવામાં આવે છે. છ મહિના પછી ફરીથી સૂર્યોદય અગાઉ આ જ તારાને નિહાળવામાં આવે છે. તેની નજીક દેખાતો પણ અત્યંત દૂર રહેલો તારો આ છ મહિના દરમિયાન સ્થિર જ રહ્યો હશે, એમ પણ માની લેવામાં આવે છે. આ વખતે આપણો તારો સ્થિર તારા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે તે પણ માપી લેવામાં આવે છે. આ ઉપરથી પેરેલેક્સનો ખૂણો નક્કી કરવામાં આવે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭૪ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy