SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ ગ્રહમાળા શોધવામાં આવી નથી. એમ કહેવાય છે કે ન્યુટનના ગુરુત્વાકર્ષણના અને ગતિના નિયમોને કારણે પૃથ્વી, સૂર્ય, ચંદ્ર વગેરેની ગતિઓની સમજૂતી મળી રહે છે. ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ પૃથ્વી ચંદ્રને પોતાની તરફ ખેંચે છે. તો પછી ચંદ્ર પૃથ્વી ઉપર પડી જતો કેમ નથી? તેના ઉત્તરમાં ન્યુટન કહે છે કે ચંદ્ર પોતાની ધરી ઉપર પણ ફરતો હોવાથી તેમાં કેન્દ્રત્યાગી બળ પેદા થાય છે. આ કેન્દ્રત્યાગી બળ તેને પૃથ્વીથી દૂર લઈ જવાની કોશિશ કરે છે. આ બે બળની સમતુલા થતાં ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે. ન્યુટનની ગતિના પહેલા નિયમ મુજબ સ્થિર વસ્તુ સ્થિર રહે છે અને ગતિમાન વસ્તુ ગતિમાં રહે છે. આ કારણે સૂર્ય,ચંદ્ર વગેરે અવકાશમાં ગતિમાન રહે છે; પરંતુ તેમને સર્વપ્રથમ ગતિ કોણે આપી તેનો કોઈ જવાબ ન્યુટન આપી શકતો નથી. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જો પ્રચંડ હોય તો ધુમાડો કેમ આ બળનો મુકાબલો કરે છે તેનો જવાબ પણ ન્યુટન પાસે નથી. ન્યુટનની થિયરી મુજબ ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે અને પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. તો પછી સૂર્ય કેવી રીતે આકાશમાં સ્થિર રહી શકે છે? ન્યુટને એવી કલ્પના કરી છે કે આખી સૂર્યમાળા પણ વિશ્વના કોઈ કેન્દ્રની પ્રદક્ષિણા કરી રહી છે. જો સૂર્યને પણ ગતિમાન બતાડવામાં ન આવે તો ન્યુટનની થિયરી ખોટી સાબિત થઈ જાય છે. આ કારણે સૂર્યને પણ કોઈની પ્રદક્ષિણા કરતો બતાડવો પડે છે. હવે સવાલ એ થાય છે કે સૂર્ય કોની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે? એ જો કોઈ મોટો સૂર્ય હોય તો તે પણ સ્થિર રહી ન શકે. તેને વળી કોઈ મોટા સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરતો બતાડવો પડે. આનો કોઈ અંત જ આવે નહીં. આ કારણે ન્યુટન છેવટે એવું વિચિત્ર વિધાન કરે છે કે વિશ્વ અનંત છે, તેનો કોઈ અંત નથી. ન્યુટનની થિયરી આ કારણે પોતાના જ ભારથી ખોટી સાબિત થાય છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને ન્યુટનની થિયરી ખોટી સાબિત કરી હતી આઇઝેક ન્યુટને પૃથ્વીનાં ગુરુત્વાકર્ષણ બળની જે કલ્પના કરી એ કલ્પના આશરે ૨૦૦ વર્ષ સુધી બધા જ વિજ્ઞાનીઓ સાચી માનતા હતા. વીસમી સદીમાં પેદા થયેલા વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમો ખોટા સાબિત કર્યા અને તેના સ્થાને નવા નિયમો સ્થાપિત કર્યા. Jain Education International આલ્બર્ટ આઇન્સ્ટાઇન યહૂદી હતા. તેમનો જન્મ ઈ.સ. ૧૮૭૯માં જર્મનીનાં એક ગામડામાં થયો હતો. જન્મ પછી એક વર્ષે તેમનો પરિવાર મ્યુનિકમાં રહેવા ગયો. અહીં આઇન્સ્ટાઇનના પિતાએ ઈલેક્ટ્રિક સાધનોની દુકાન ખોલી. આ ધંધો ન ચાલ્યો એટલે તેમનો પરિવાર દુકાન બંધ કરીને ઇટાલી રહેવા ચાલ્યો ગયો. આઇન્સ્ટાઇનનું સ્કૂલનું શિક્ષણ સ્વિટ્ઝરલેન્ડમાં થયું હતું. ઈ.સ. ૧૯૦૦ની સાલમાં તેમને ગણિત અને ભૌતિકવિજ્ઞાનમાં ડિપ્લોમા મળ્યો. આઇન્સ્ટાઇને ઈ.સ. ૧૯૧૫માં તેની વિખ્યાત રિલેટિવિટિ (સાપેક્ષતા)ની થિયરી રજૂ કરી અને જાહેર કર્યું કે પદાર્થનું રૂપાંતર ઊર્જામાં કરી શકાય છે. આ સાથે આઇન્સ્ટાઇને દુનિયાને ઈ=એમસીવર્ગ એવું સમીકરણ આપ્યું. ત્યાર પછી તેણે શોધી કાઢ્યું કે પ્રકાશ પણ ફોટોન નામના કણોનો બનેલો છે. ઈ.સ. ૧૯૧૭માં આઇન્સ્ટાઇને પોતાના સાપેક્ષતાના સિદ્ધાંતને અવકાશી પદાર્થો અને બ્રહ્માંડમાં લાગુ કર્યો. ન્યુટનની થિયરી એમ કહેતી હતી કે કોઈ પણ બે પદાર્થ વચ્ચે આકર્ષણબળ હોય છે. આ બળનો આધાર બે વસ્તુઓના દળ અને અંતર ઉપર છે. જેમ પદાર્થનું દળ વધે છે તેમ તેનું આકર્ષણબળ વધે છે, પણ અંતર વધે છે તેમ આકર્ષણબળ તેના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. આ બળને કારણે સ્થિર અથવા ગતિમાન પદાર્થમાં પ્રવેગ પેદા થાય છે, એમ ન્યુટન કહે છે. ન્યુટનની થિયરી એમ કહેતી હતી કે જો બે ગતિમાન પદાર્થો એક જ સમતલમાં સીધી રેખામાં સમાંતર ગતિ કરતા હોય તો તેમની વચ્ચે આકર્ષણ પેદા થાય છે, જેના કારણે તેમનો પથબદલાય છે અને છેવટે તેઓ ભેગા થઈ જાય છે. આ વાતને અલગ રીતે રજૂ કરતાં આઇન્સ્ટાઇને કહ્યું કે આ બે પદાર્થો વચ્ચે કોઈ આકર્ષણબળ નથી. હકીકતમાં તેઓ એક સમતલમાં પ્રવાસ કરવાને જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૩ For Private & Personal Use Only www.jaine||brary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy