SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ એવો પણ દાવો કરે છે કે પૃથ્વી વિષુવવૃત્ત આગળ થોડી ફૂલી ગયેલી છે અને ઉત્તર તેમ જ દક્ષિણ ધ્રુવ આગળ ચપટી છે. જો આ વાત સાચી હોય તો વિષુવવૃત્ત પૃથ્વીના ગુરુત્વકેન્દ્રથી દૂર હોવું જોઈએ અને ઉત્તર તેમ જ દક્ષિણ ધ્રુવ નજીક હોવા જોઈએ. જો આ વાત પણ સાચી હોય તો એક મનુષ્યનું ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ પર જેટલું વજન થાય તેના કરતાં વિષુવવૃત્ત ઉપર ઓછું વજન થવું જોઈએ. આજ દિવસ સુધી આ વાત વિજ્ઞાનીઓ સાબિત કરી શક્યા નથી. કોઈ પણ વ્યક્તિનું વજન પૃથ્વીના કોઈ પણ ભાગમાં એકસરખું જ જોવા મળે છે. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી વિષુવવૃત્ત આગળ ફૂલી ગયેલી નથી અને હકીકતમાં પૃથ્વી ફરતી નથી અને ગોળ પણ નથી. ૯૯ ગોળાનો મધ્યભાગ ન હોય આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વી ગોળ છે, માટે તેમાં ઉપર, નીચે, ડાબે, જમણે એવું કંઈ નથી. જો આ વાત સાચી હોય તો તેમાં ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અને વિષુવવૃત્ત કેમ હોઈ શકે? ગોળામાં તો કોઈ ઉત્તર, દક્ષિણ કે મધ્ય શક્ય નથી. જો વિષુવવૃત્ત પૃથ્વીના ગોળાના મધ્યમાં દોરેલી કાલ્પનિક રેખા હોય તો ગોળાના મધ્યમાંથી આવી અસંખ્ય વર્તુળાકાર રેખાઓ દોરી શકાય. એ બધાને વિષુવવૃત્ત તરીકે શા માટે ઓળખાવી ન શકાય? જો પૃથ્વીનો ગોળો બધી બાજુએથી સમાન હોય તો શા માટે વિષુવવૃત્ત તરીકે ઓળખાઈ રહેલો ભાગ જ ફૂલી ગયો છે? શા માટે ધ્રુવ પ્રદેશો ચપટા છે? શા માટે આ ગોળાની ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા કરી શકાતી નથી? આ બધા જ સવાલોના કોઈ જવાબો આજના વિજ્ઞાનીઓ પાસે નથી, કારણ કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. મારો પૃથ્વી ઉપર ૧૦૦ નવ અજાણ્યા પ્રદેશો છે Jain Education International આજના ભૂગોળશાસ્ત્રીઓ પૃથ્વીના ગોળાનો જે આકાર રજૂ કરે છે તે મુજબ આજની તારીખમાં આ પૃથ્વી ઉપર એક પણ પ્રદેશ એવો નથી કે જેની આપણને જાણ ન હોય અને જ્યાં આપણે પહોંચ્યા ન હોઈએ. તેમ છતાં આજે પણ એટલાન્ટિક મહાસાગરમાં બર્મ્યુડા ટ્રાયેન્ગલ નામનો વિસ્તાર છે, જ્યાં મોટાં મોટાં વિમાનો અને સ્ટીમરો ગુમ થઈ જાય છે પણ તેનો ક્યારેય પત્તો લાગતો નથી. આ સ્ટીમરોનો કે વિમાનનો કાટમાળ અથવા તેમાં રહેલા મનુષ્યોના મૃતદેહો પણ કદી હાથમાં આવતા નથી. એવું કહેવાય છે કે બર્મ્યુડા ટ્રાયેન્ગલ એવી અજ્ઞાત પૃથ્વીનું પ્રવેશદ્વાર છે, જ્યાં હજી સુધી કાળાં માથાંનો માનવી પહોંચી શક્યો નથી. પૃથ્વી ઉપર આવો એક પણ પ્રદેશ હોય તો પૃથ્વીનો વર્તમાન નકશો ખોટો સાબિત થાય છે અને પૃથ્વી દડા જેવી ગોળ હોવાની માન્યતા પણ ખોટી પડે છે. ૧૦૧ એન્ટાર્કટિકા ખંડ સાબિતી છે પૃથ્વી દડા જેવી ગોળ ન હોવાની સૌથી મોટી સાબિતી દક્ષિણ મહાસાગરને છેવાડે આવેલો હિમાચ્છાદિત એન્ટાર્કટિકા ખંડ છે. હજી સુધી કોઈ કાળા માથાનો માનવી સ્ટીમરમાં કે વિમાનમાં બેસીને આ ખંડની આરપાર નીકળી શક્યો નથી. અત્યારે જેટલા લોકો એન્ટાર્કટિકાનો પ્રવાસ કરે છે તેઓ તેના પરિઘ ઉપર જઈને પાછા ફરે છે, પણ કેન્દ્ર સુધી કોઈ પહોંચતું નથી. આધુનિક વિમાનો કે હેલિકોપ્ટરો વડે પણ એન્ટાર્કટિકા ખંડને કોઈ ઓળંગી શક્યું નથી. આ માટેના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે. જેને આજના વિજ્ઞાનીઓ દક્ષિણ ધ્રુવ કહે છે તે પ્રદેશ સુધી પણ કોઈ પહોંચી શકતું નથી. આ ઉપરથી સાબિત થાય છે કે અજ્ઞાત વિશ્વ બહુ મોટું છે, જેનો પ્રારંભ એન્ટાર્કટિકાથી થાય છે. પૃથ્વીમાં દક્ષિણ ધ્રુવ જેવું કોઈ કેન્દ્ર જ નથી, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy