SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ કરો અને આ સળિયાની ધરી પર ગોળાને જોરથી ઘુમાવો. આ ગોળામાં માટી, કાંકરા, પાણી વગેરેના અથડાવાનો અવાજ આવ્યા વિના રહેશે નહીં. હવે આ ગોળામાં કેટલાંક છિદ્રો પાડી તેને ઘુમાવો. છિદ્રોમાંથી માટી, પાણી, કાંકરા વગેરે તીવ્ર ગતિએ બહાર આવશે. આજના વિજ્ઞાનીઓના મતે આપણી પૃથ્વી પણ આ ગોળા જેવી છે, જે મિનિટના ૧૧૦૦ માઇલની ઝડપે ગોળ-ગોળ ઘૂમે છે. તો પછી શા માટે તેમાંથી બધું બહાર નથી આવતું? કારણ કે પૃથ્વી ગોળ નથી અને ફરતી પણ નથી. ૯૭ બધું જ ફર્યા કરતું હોવું જોઈએ આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને સૂર્યની આજુબાજુ અને પોતાની ધરીની આજુબાજુ ફરતી માને છે. પૃથ્વી જો સૂર્યની આજુબાજુ ફરતી ન હોય તો પોતાની ધરીની આજુબાજુના પરિભ્રમણને કારણે અવકાશમાં ફંગોળાઈ જાય. અવકાશમાં સૂર્ય પણ સ્થિર રહી શકતો નથી. ન્યુટનની ગતિના નિયમ મુજબ તેણે પણ કોઈ તારાની આજુબાજુ ફરવું જરૂરી છે. અન્યથા ન્યુટનનો નિયમ ખોટો સાબિત થાય. સૂર્ય જે તારાની આજુબાજુ ફરતો હોય એ તારો પણ કોઈ બીજા મોટા તારાની આજુબાજુ ફરતો હોવો જોઈએ. ન્યુટનના નિયમ મુજબ અવકાશમાં કોઈ વસ્તુ સ્થિર રહી શકે નહીં. આ રીતે પ્રત્યેક અવકાશી પદાર્થ અન્ય પદાર્થની આજુબાજુ ફરતો હોવો જોઈએ. છેવટે તો કોઈ વસ્તુ સ્થિર માનવી પડે. ત્યારે આ સ્થિર વસ્તુ કેમ સ્થિર છે તેનો જવાબ ન્યુટનની થિયરી આપી શકતી નથી. હકીકત એ છે કે આ સ્થિર પદાર્થ જ પૃથ્વી છે. ૯૪ બુધ અને સૂર્ય વચ્ચે કોઈ ગ્રહ નથી આજના વિજ્ઞાનીઓએ બુધની અને સૂર્યની ગતિનું માપ કાઢીને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને આધારે એવું અનુમાન કર્યું હતું કે બુધ અને સૂર્ય વચ્ચે પણ ‘વલ્કન’ નામનો ગ્રહ હોવો જોઈએ. ટેલિસ્કોપ વડે જોતાં આજ સુધી વિજ્ઞાનીઓને આ નવતર ગ્રહનો પત્તો મળ્યો નથી. આ ઉપરથી ન્યુટનની ગુરુત્વાકર્ષણની થિયરી ખોટી સાબિત થાય છે અને પૃથ્વી ફરતી હોવાની વાત પણ તેવી જ રીતે ખોટી સાબિત થાય છે. ૫ Jain Education International ગ્રહો ધ્રુવના તારાની પ્રદક્ષિણા કરે છે વિજ્ઞાનીઓ કહે છે કે બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ વગેરે ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે, પણ હકીકતમાં આપણે જોઈ શકીએ છીએ કે તમામ ગ્રહો, નક્ષત્રો અને તારાઓ ધ્રુવના તારાની પ્રદક્ષિણા કરે છે. આ ઉપરથી એવું સાબિત થાય છે કે ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરતા નથી, પૃથ્વી ગ્રહ નથી અને ફરતી પણ નથી. ગુરુનો ગ્રહ પૃથ્વી (૯૬ જેવો નથી ગેલિલિયોએ દૂરબીન વડે ગુરુનો ગ્રહ બારીકાઈથી જોયો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ગુરુના ગ્રહની આજુબાજુ કેટલાક ઉપગ્રહો છે, જેઓ ગુરુની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. આ નિરીક્ષણ ઉપરથી તેને એવો વિચાર આવ્યો કે ગુરુ સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. આ વિચારનો કોઈ પુરાવો નહોતો છતાં તેણે આ વાત સાચી માની લીધી. તેના આધારે તેણે એવી કલ્પના કરી કે ગુરુની જેમ પૃથ્વી પણ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આ વાતનો પણ કોઈ પુરાવો નહોતો છતાં તેણે આ વાત સાચી માની લીધી. ત્યાર પછી તેણે એવી કલ્પના કરી કે જેમ ગુરુના ગ્રહની આજુબાજુ ઉપગ્રહો પ્રદક્ષિણા કરે છે તેમ પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે અને તે પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. આ વાતનો પણ કોઈ પુરાવો નથી. આ રીતે કલ્પનાઓને જ હકીકતો માની લેવામાં આવી છે. ,, ૯૭ તો મનુષ્યોને બાંધી રાખવા પડે પૃથ્વી જો ખરેખર દડા જેવી ગોળ હોય તો આ દડાની એકદમ ઉપરના ભાગમાં રહેલા મનુષ્યો અને પ્રાણીઓ જ સ્થિર ઊભાં રહી શકે. દડાની બાજુએ અને નીચે રહેલાં મનુષ્યો તેમ જ પ્રાણીઓ આકાશમાં ગબડી ન પડે એ માટે તેમને પટ્ટાથી બાંધી રાખવાં જોઈએ. આ બાબતનો ઉકેલ આપતાં વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી બધી દિશામાં રહેલી ચીજોને પોતાના કેન્દ્ર તરફ આકર્ષે છે, માટે દક્ષિણ ગોળાર્ધમાં લોકો ગબડી પડતા નથી. આ માટે રબરના ગોળામાં બધી બાજુથી ખેંચાવેલી ટાંકણીનું દૃષ્ટાંત આપવામાં આવે છે. અહીં ફરક એટલો છે કે ટાંકણીઓને રબ્બરમાં ખેંચાવી દીધી હોવાથી તે સ્થિર રહે છે, જ્યારે મનુષ્યો અને પ્રાણીઓ હલનચલન કરતાં હોય છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રાણીઓ જો જમીન સાથે ચોંટી ગયાં હોય તો તેઓ હલનચલન કરી શકે નહીં. હકીકતમાં પૃથ્વીના ગોળ હોવાની અને ગુરુત્વાકર્ષણની વાત જ ખોટી છે. વજનમાં ફરક (૮ ૮ હોવો જોઈએ For Private & Personal Use Only જે વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ કહે છે તેઓ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૨ www.jaine||brary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy