SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ આરાનું સ્વરૂપ જૈન ભૂગોળનું જ્યારે પણ વર્ણન આવે ત્યારે છ આરાની વાત અવશ્ય આવે છે. અઢીદ્વીપના ભરત ક્ષેત્ર અને ઐરવત ક્ષેત્રમાં અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ ક્રમસર આવ્યા કરે છે. બાકીનાં ક્ષેત્રોમાં એક જ પ્રકારનો નિશ્ચિત કાળ રહે છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાં છ-છ આરાઓ હોય છે. આ રીતે ૧૨ આરાઓનું કાળચક્ર નિત્ય ફર્યા કરે છે. અવસર્પિણી કાળમાં એક થી છ સુધી ક્રમશઃ આરાઓ આવે છે. ઉત્સર્પિણી કાળમાં છઠ્ઠાથી પાંચ, ચાર, ત્રણ, બે થઈને પહેલો આરો આવે છે. આમ કુલ ૧૨ આરા છે. આજ સુધીમાં ૧૨ આરાનું એક એવા અનંતા કાળચક્રો પસાર થઈ ગયાં છે અને ભવિષ્યમાં પણ અનંતા કાળચક્રો પસાર થશે. આ ઘટમાળ અનાદિ કાળથી ચાલે છે અને અનંત કાળ સુધી ચાલ્યા કરશે. અવસર્પિણી કાળનો પહેલો આરો સુષમા-સુષમા નામનો હોય છે. આ આરામાં માત્ર સુખ અને સુખ જ હોય છે. આ આરાની સમયાવવિધ ૪ કોડાકોડી સાગરોપમ એટલે કે ૪ કરોડ ગુણ્યા એક કરોડ સાગરોપમ જેટલી હોય છે. આ આરામાં જન્મ ધારણ કરતા મનુષ્યોનું આયુષ્ય ત્રણ પલ્યોપમ અને શરીરની ઊંચાઈ ત્રણ ગાઉ જેટલી હોય છે. અવસર્પિણી કાળનો બીજો આરો સુષમા નામે છે. આ કાળમાં મનુષ્યોને સુખ ઘણું હોય છે. આ આરાની સમયાવધિ ત્રણ કોડાકોડી સાગરોપમ જેટલી હોય છે. આ આરામાં જન્મ ધારણ કરતાં મનુષ્યોનું આયુષ્ય બે પલ્યોપમ અને તેમના શરીરની ઊંચાઈ ૨ ગાઉ જેટલી હોય છે. અવસર્પિણી કાળનો ત્રીજો આરો સુષમા-દુઃખમા નામે હોય છે. આ આરામાં સુખ વધુ હોય છે અને દુઃખ અલ્પ હોય છે. મનુષ્યનું આયુષ્ય એક પૌષમ અને ઊંચાઈ એક ગાઉની હોય છે. અવસર્પિણી કાળના પહેલા, બીજા અને ત્રીજા આરામાં સર્વ મનુષ્યો અને પ્રાણીઓ પણ ચુગલ એટલે કે નર-નારીના જોડા તરીકે જ જન્મે છે. આ બાલક-બાલિકા યુવાન થાય ત્યારે પતિ-પત્ની તરીકે વ્યવાર કરે છે. આ યુગલનું આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પણ એક જ સમયે થાય છે. આ ત્રણ આરાઓમાં જન્મ ધારણ કરતાં સર્વ મનુષ્યો અને પ્રાણીઓ ઉત્તમ મન ધરાવતાં હોય છે. તેમને રાગદ્વેષ, મમત્વ, કામવાસના વગેરે ખૂબ અલ્પ હોય છે. આ આરાઓમાં જન્મ ધારણ કરતા વાઘ-સિંહ પણ અહિંસક હોય છે. તેઓ શાકાહારી હોવાથી શિકાર કરવાને બદલે કલ્પવૃક્ષનાં ફૂલ-ફળ-પાંદડાં ખાઈને પોતાનો નિર્વાહ કરે છે. આ કાળના સિંહ-વાઘ જેવાં પ્રાણીઓ પણ અહિંસક હોવાને કારણે મૃત્યુ પામીને બીજા સ્વર્ગ સુધીની દેવગતિમાં જાય છે. યુગલિક મનુષ્યોમાં પુરુષો કરતાં સ્ત્રીઓની ઊંચાઈ કંઈક ઓછી હોય છે. આ કાળમાં ાથી, ઘોડા, ઊંટ વગેરે પ્રાણીઓ હોય છે પણ મનુષ્યો તેમનો ઉપયોગ કરવાને બદલે પગે ચાલવાની આદત Jain Education International ધરાવે છે, ત્યાંની ભૂમિમાં ઘઉં, ડાંગર વગેરે ધાન્ય કુદરતી રીતે પાકે છે પણ ચગલિક મનુષ્યો તેનો આાર કરવાને બદલે કપવૃક્ષ પાસેથી આહાર, વસ્ત્ર, ઘર વગેરે મેળવી લે છે. યુગલિક ક્ષેત્રની માટી પણ સાકર કરતાં અનેક ગણી મીઠી હોય છે. કલ્પવૃક્ષનાં ફળ-લ-પત્ર વગેરે ચક્રવર્તીના ભોજન કરતાં પણ વધુ મીઠાશ ધરાવતાં હોય છે. યુગલિક મનુષ્યોના પુણ્યપ્રભાવથી ત્યાં માખી, મચ્છર, ડાંસ, બગાઈ, સાપ, વીંછી, જૂ, માંકડ વગેરે ઉપદ્રવ કરનારાં જંતુઓ થતાં નથી. ત્યાં મારી-મરકી વગેરે રોગો પણ થતાં નથી. અહીં કોઈ મનુષ્યનું અકાળે મોત નથી થતું. તેમનું આયુષ્ય પૂર્ણ થાય એટલે છીંક, ખાંસી, બગાસું કે ઓડકાર ખાઈને તેઓ મૃત્યુ પામે છે. અવસર્પિણી કાળના પહેલા, બીજા અને ત્રીજા આરામાં ૧૦ પ્રકારનાં કલ્પવો થાય છે. (૧) બેર્નંગ ઃ આ વૃક્ષોનાં ફળોનો રસ અત્યંત મધુર અને આલાદક હોય છે. આ રસ પીવાથી યુગલિકોને પાણીની જરૂર પડતી નથી. (૨) મૃનાંગ : આ વૃક્ષો યુગલિક મનુષ્યોને ઘડો, કળા, પાત્ર, ઝારી વગેરે વાસણો આપે છે. આ વાસણો સુવર્ણની સુંદર કારીગરીવાળાં અને રમણીય હોય છે. (૩) તુટિતાંગ : આ વૃક્ષનાં ફળો તેના સ્વભાવથી વાજિંત્રોની ગરજ સારે છે. આ કારણે યુલિક મનુષ્યોને વાંસળી, વીણા, મૃદંગ વગેરે વાજિંત્રોની જરૂર પડતી નથી. (૪) જ્યોતિરંગ : આ વૃક્ષનાં ફળોનો પ્રકાશ સૂર્ય જેવો હોય છે પણ તેનામાં સૂર્ય જેવી ચતા હોતી નથી. દિવસે તો સુર્ય હોવાથી આ વૃક્ષનું કોઈ પ્રયોજન નથી હોતું પણ રાતે આ પ્રકાશ ઉપયોગી બની રહે છે. (૫) દીપાંગ : આ વૃક્ષનાં ફળો દીવાની ગરજ સારે છે. જ્યાં જ્યોતિરંગ કલ્પવૃક્ષો ન હોય ત્યાં દીપાંગ વૃક્ષો રોશની ફેલાવે છે. (૬) ચિત્રાંગ ઃ આ વૃક્ષોનાં ફળ પુષ્પમાળાઓના સ્વરૂપમાં હોય છે. યુગલિક મનુષ્યોને જ્યારે ચિત્રમાળા પહેરવાની ઈચ્છા થાય છે ત્યારે તેઓ આ વૃક્ષોનાં ફળો પહેરી લે છે. (૭) ચિત્રરસાંગ ઃ આ વૃક્ષોનાં ફળો વિવિધ મીઠાઈઓ અને વાનગીઓના રૂપમાં હોય છે. કોઈ વૃક્ષનાં ફળ ખીરના સ્વાદવાળાં હોય છે તો કોઈ શ્રીખંડના સ્વાદવાળાં હોય છે. યુગલિક મનુષ્યોને જે વાનગી આરોગવાની ઇચ્છા થાય તે મુજબનાં ફળોનો આહાર કરીને તેઓ સંતોષ પ્રાપ્ત કરે છે. (૮) મયંગ : આ વૃક્ષોનાં ફળો મણિરત્ન અને સુવર્ણના હાર, ફેક્ત, મુગટ, કંકણ, મુદ્રિકા વગેરે આકારનાં હોય છે. યુગલિક સ્ત્રી-પુરુષોને જે કોઈ આભૂષણો પહેરવાની ઇચ્છા થાય તે આભૂષણ આ વૃક્ષના ફળમાંથી મળી રહે છે. (૯) ગૃહાકાર ઃ આ વૃક્ષો સ્વભાવથી જ ઘરના આકારમાં હોય છે. તેમાં એક, બે, ત્રણ વગેરે માળવાળાં વૃક્ષો પણ હોય છે. આ ઘરો ગોળ, ચોરસ અને ત્રિકોણ આકારનાં હોય છે. યુલિકોને જેવાં ઘરોમાં જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * ૨૨૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy