SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પાછળ પણ ચંદ્ર કારણરૂપ છે, એવી ખોટી માન્યતાનો કેપ્લરે પ્રચાર કર્યો. તેનું કારણ એ હતું કે ચંદ્રની કળા મુજબ સમુદ્રમાં ભરતીઓટના સમયમાં પરિવર્તન થતું હતું. જોકે ચંદ્ર અને ભરતી-ઓટ વચ્ચે કાર્ય-કારણ ભાવનો સંબંધ પ્રસ્થાપિત કરવામાં કેપ્લરને સફળતા નહોતી મળી. વર્ષો પછી ન્યુટને જે ગુરુત્વાકર્ષણ બળની કલ્પના કરી એ બળનો મૂળ વિચાર કેપ્લરનો હતો. કેપ્લરે એમ પણ કહ્યું કે અંતર વધે છે તેમ આ બળની અસર ઘટે છે. કેટલાક વિજ્ઞાનીઓ એવા હોય છે કે જેઓ જગતને અસત્ય તરફથી પ્રકાશ તરફ લઈ જાય છે. કેટલાક અજ્ઞાનીઓ એવા હોય છે કે જેઓ જગતને પ્રકાશમાંથી અંધકાર તરફ લઈ જાય છે પણ પોતે એવા જ ભ્રમમાં હોય છે કે તેઓ બધાને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જઈ રહ્યા છે. જોહાનિસ કેપ્લર આવો એક અજ્ઞાની હતો. હજારો-લાખો વર્ષોથી પૃથ્વીના મનુષ્યો જે સનાતન સત્યોને જાણતા હતા કે સ્વીકારતા હતા તેનાથી ઊંધી વાતો તેના દિમાગમાં આવી. આ વાતોનો પ્રચાર કરવા માટે તેણે જે તર્કો આપ્યા તે અણિશુદ્ધ નહોતા અને પુરાવાઓ આપ્યા તે પાંગળા હતા. યુરોપની પ્રજાના દુર્ભાગ્યે લોકો કેપ્લરને વિજ્ઞાની અને સંશોધક માનતા હતા. હકીકતમાં તે કલ્પનાની દુનિયામાં જીવતો એક પાગલ હતો. તે કાળે યુરોપમાં કોઈ વિજ્ઞાની ન હોવાથી કેપ્લરને પડકારનાર કોઈ હતું નહીં. ગેલિલિયો ગેલિલિ પૃથ્વીને ફરતી માનતો હતો દૂરબીનની શોધ કરીને કોપરનિક્સ અને કેપ્લરનાં જૂઠાણાંઓને આગળ ધપાવનાર કહેવાતા ખગોળશાસ્ત્રી ગેલિલિયો ગેલિલિનો જન્મ ઈ.સ. ૧૫૬૪ની ૧૬મી ફેબ્રુઆરીએ ઇટાલીના પિત્ઝા શહેરમાં થયો હતો, જે તેના વિખ્યાત ઢળતા મિનારા માટે મશહૂર છે. ગેલિલિયોએ ગણિતનો અભ્યાસ કર્યો હતો. તેની નિયુક્તિ પિત્ઝા યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કરવામાં આવી હતી. ઈ.સ. ૧૬૦૯માં ગેલિલિયોએ પોતાનું દૂરબીન બનાવ્યું. તેમણે પોતાના દૂરબીનથી આકાશનું અવલોકન કરવાની શરૂઆત કરી. રાત્રિના સમયે આકાશમાં જ્યાં ખાલી જગ્યા દેખાતી હતી ત્યાં તેણે દૂરબીનથી તારાઓ જોયા. તેણે આકાશગંગામાં લાખો તારાઓ જોયા. વેનિસના લોકોને આ દૂરબીન પૃથ્વી ઉપર. દૂરની વસ્તુઓ જોવા માટે અને દરિયાઈ યાત્રા માટે ઉપયોગી જણાયું પણ Jain Education International ગેલિલિયો તેનાથી આકાશદર્શન કરી રહ્યો હતો. એક દિવસ ગેલિલિયો દૂરબીન વડે ગુરુના ગ્રહનું નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યારે તેને નજીકમાં એક રેખા ઉપર ચાર તારા દેખાયા. આ તારાઓ પ્રતિદિન પોતાની જગ્યા બદલતા હતા. એક દિવસ આ ચારે તારાઓ ગુરુના ગ્રહની પાછળ ખોવાઈ ગયા અને થોડા દિવસ પછી પાછા બહાર આવ્યા. આ ઉપરથી ગેલિલિયોએ તારણ કાઢ્યું કે આ તારાઓ હકીકતમાં ગુરુના ઉપગ્રહો છે. અમુક તારાઓ ગુરુના ગ્રહની પ્રદક્ષિણા કરતા હોય તેમાં કંઈ ખોટી વાત નહોતી. સપ્તર્ષિના તારાઓ જેમ ધ્રુવના તારાની પ્રદક્ષિણા કરે છે તેમ અમુક તારાઓ ગુરુની પણ પ્રદક્ષિણા કરે છે. આ નિરીક્ષણ ઉપરથી ગેલિલિયો કોઈ પણ જાતના તર્ક અથવા પુરાવા વિના એવા તારણ ઉપર આવ્યો કે ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે અને પૃથ્વી સહિતના ગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે. ગુરુને ઉપગ્રહો હોય તેનાથી આ વાત સાબિત થતી નહોતી પણ ગેલિલિયોએ એવું માની લીધું. આગળ જતાં ગેલિલિયોએ એવું પણ શોધી કાઢ્યું કે શુક્ર પણ ચંદ્રની જેમ કળા કરે છે. પોતાના દૂરબીન વડે ગેલિલિયોએ સૂર્યની સપાટી ઉપર કાળાં ટપકાઓ જોયાં. આ ટપકાઓને તેણે સૂર્યકલંક તરીકે ઓળખાવ્યાં. તેણે જોયું કે આ ટપકાઓ દરરોજ પોતાનું સ્થાન બદલે છે. હકીકતમાં સૂર્યનો જ્યારે ઉદય થતો હોય ત્યારે આપણી આંખોને સૂર્યનો એક તરફનો ભાગ દેખાય છે, તે મધ્ય આકાશમાં હોય ત્યારે તેનો માત્ર નીચેનો ભાગ દેખાય છે અને તેનો અસ્ત થતો હોય ત્યારે આપણને તેનો બીજી તરફનો ભાગ દેખાય છે. સૂર્યનો આકાર અર્ધા કાપેલા તરબૂચ જેવો છે, જેને કારણે ટપકાઓ ખસતાં દેખાય છે. આ હકીકતની જાણ બિચારા ગેલિલિયોને નહોતી એટલે તેણે કલ્પના કરી કે સૂર્ય પોતાની ધરી ઉપર ફરે છે, માટે ટપકાઓનાં સ્થાન બદલાય છે. ભ્રમણાનો ભોગ બનેલો ગેલિલિયો પોતાની ભ્રમણાને જ સત્ય માનવા લાગ્યો. કેપ્લર અને ગેલિલિયો સમકાલીન હતા પણ ક્યારેય મળ્યા હોય એવી નોંધ મળતી નથી. ગેલિલિયોએ પોતાના દૂરબીનમાંથી શનિના ગ્રહ તરફ જોયું તો તેને શનિનો આકાર વિચિત્ર જણાયો પણ શનિના ગ્રહની આજુબાજુ વલયો છે તેનો ખ્યાલ ગેલિલિયોને આવ્યો નહોતો. ગેલિલિયોએ પોતાના દૂરબીન દ્વારા જે કોઈ નિરીક્ષણો કર્યાં હતાં તેનું વર્ણન ‘ધ સ્ટોરી મેસેન્જર' નામના પુસ્તકમાં કર્યું છે. દૂરબીન દ્વારા ગેલિલિયોએ જે નિરીક્ષણો કર્યાં તે સાચાં હતાં પણ તેના દ્વારા તેઓ જે તારણો ઉપર આવ્યા તે ખોટાં હતાં. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૦ For Private & Personal Use Only www.jaine||brary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy