SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જેથી તેમાં ૧૬ ખંડુક આવેલાં છે, જે પૈકી ચાર બસનાડીમાં અને ૧૨ બહાર રહેલાં છે. બીજા નરકનો વિસ્તાર અહી રજુ જેટલો છે, જેથી તેમાં ૧૦ ખંડુક આવેલાં છે, જે પૈકી ચાર ત્રસનાડીમાં અને છ બહાર લાં છે. પહેલા નરકનો વિસ્તાર એક રજ્જુ જેટલો છે, જેથી તેમાં ચાર ખંડક આવેલાં છે, જે તમામ ત્રસનાડીમાં આવેલાં છે. ત્યાર બાદ રત્નપ્રભાથી લઈ સૌધર્મ સુધી એક રજ્જુ થાય છે. તીર્થ્ય લોકનો વિસ્તાર ચાર ખંડક જેટલો છે. આ ચાર ખંડુકની ઊંચાઈ અડધી જ હોય છે. નીર્જી લોકથી ઉપર સૌધર્મ દેવલોકના સ્થાને વિસ્તાર છે ખંડુક જેટલો છે, પણ જાડાઈ એક ખંડુકના અડધા ભાગ જેટલી છે. આ કારણે છ ખંડનાં ૧૨ ખાનાં થાય છે. આ પૈકી ચાર સનાડીમાં છે અને બે ખંડુક બહાર છે. સૌધર્મ દેવલોકથી લઈ માહેન્દ્ર સુધી નવમી રજ્જુ ફ્લાયેલી છે. તેમાં ખંડકની ચાર પંક્તિનો પડે છે. આ ચારે પંક્તિઓ પા-પા રાજ જેટલી જાડી છે. ખંડુકની પ્રથમ પંક્તિની જગ્યાએ વિસ્તાર ૮ ખંડક જેટલો છે. તેમાં ચાર ખંડક સનાડીમાં છે અને ચાર બહાર છે. બીજી પંક્તિમાં વિસ્તાર ૧૦ ખંડુક જેટલો છે. તેમાં ચાર ત્રસનાડીમાં અને છ બહાર છે. ત્રીજી અને ચોથી પંક્તિમાં વિસ્તાર ૧૨-૧૨ ખંડુક જેટલો છે. તે પૈકી ચાર ખંડુક બસનાડીની અંદર અને આઠ બહાર છે. આ રીતે નવમો રાજલોક ફૂલ ચાર પંક્તિઓમાં વહેંચાયેલો છે. દસમો રાજલોક મહેન્દ્ર દેવલોકથી બ્રહ્મ દેવલોક સુધી ફેલાયેલો છે. તેમાં પણ નવમા રાજલોક પ્રમાણે ખંડુકોની ચાર પંક્તિઓ છે. આ પૈકી પડેલી બે પંક્તિઓમાં લોકવિસ્તાર ૧૬૧૬ ખંડક જેટલો અને બીજી બે પંક્તિઓમાં ૨૦-૨૦ ખંડક જેટલો હોય છે. અગિયારમો રાજલોક બ્રહ્મ દેવલોકના અંતથી સવારના અંત સુધી ફેલાયેલો છે. આ રાજલોકમાં પણ ખંડુની ચાર પંક્તિઓ છે. આ પૈકી પ્રથમ બે પંક્તિઓમાં લોકવિસ્તાર ૨૦-૨૦ ખંડક જેટલો છે અને બીજી બે પંક્તિઓમાં ૧૬-૧૬ ખંડક જેટલો છે. બારમો રાજલોક સસાર દેવલોકના અંતથી અચ્યુતના અંત સુધી ફેલાયેલો છે. તેમાં પણ ચાર ખંડુક પંક્તિઓ આવેલી છે. Jain Education International પહેલી બે પંક્તિઓમાં ૧૨-૧૨ ખંડુકો આવેલાં છે અને બીજ બે પંક્તિઓમાં ૧૦-૧૦ ખંડુકો આવેલાં છે. તેરમો રાજલોક અચ્યુત દેવલોકથી શરૂ થઈને નવ ગ્રેઐયકમાં પૂરો થાય છે. તેમાં પણ ખંડુકોની ચાર પંક્તિઓ આવેલી છે. આ પૈકી પ્રથમ બે પંક્તિઓમાં ૧૦-૧૦ અને બીજી બે પંક્તિઓમાં ૮-૮ ખંડુકો આવેલાં છે. ચૌદમો રાજલોક નવ ચૈવેયકથી લઈને સિદ્ધશિલાના અંત સુધી આવેલો છે. તેમાં પણ ચાર ખંડક પંક્તિઓ આવેલી છે. આ પૈકી પ્રથમ બે પંક્તિમાં ૬-૬ ખંડુકો આવેલાં છે અને બાકીની બે પંક્તિઓમાં ૪-૪ ખંકો આવેલાં છે, જે બધાં જ ત્રસનાડીની અંદર રહે છે. આ રીતે સંપૂર્ણ સિદ્ધશિલા ત્રસનાડીમાં રહેલી છે. ૧૪ રાજલોકમાં આવેલાં ખંડકોની કુલ ઊંચાઈ ૫૬ છે પણ પહોળાઈને પણ ગણતરીમાં લેતાં કુલ ખડકો ૮૧૬ છે. આ ૮૧૬ અંકોને યોગ્ય રીતે ગોઠવવાથી ૧૪ રાજલોકનું સમગ્ર ચિત્ર આપણને મળે છે, જે બે ાથ કમર ઉપર રાખીને ટટ્ટાર ઊભા રેલા, પહોળા પગવાળા મનુષ્યને મળતું આવે છે. સિદ્ધશિલાનું સ્વરૂપ ૧૪ રાજલોકના અંતે, સર્વાસિદ્ધ વિમાનથી ૧૨ યોજન ઉપર, ૪૫ લાખ યોજનનો વ્યાસ ધરાવતી સિદ્ધશિલા આવેલી છે. આ સિંહશિલા કેન્દ્રમાં આઠ યોજન જાડી છે પણ આ અનુક્રમે ઘટતી ઘટતી બહારના ભાગમાં માખીની પાંખથી પણ પાતળી બની જાય છે. દિગંબર જૈનોની માન્યતા મુજબ સિદ્ધશિલાની પહોળાઈ એક રાજલોક એટલે કે મધ્ય લોક જેટલી છે અને તે લોકાંત સુધી ફેલાયેલી છે. આ સિદ્ધશિલાની વચ્ચે આવેલા ૪૫ લાખ યોજન વિસ્તારમાં અહીં દ્વીપમાંથી સિદ્દિગતિને વરેલા અનંતા આત્માઓ બિરાજમાન છે. આ સિદ્ધ ભગવંતો સર્વ કર્મોનો ક્ષય કરીને સિકિાલા ઉપર આવ્યા છે અને અહીં તેઓ અનંત કાળ સુધી અવ્યાબાધ સુખની અનુભૂતિ કરવાના છે. આ સિદ્ધશિલાની ઉપરની સપાટીથી ઉત્સેધાંગુલથી એક યોજન બાદ લોકનો પણ અંત આવે છે અને અલોકાકાશનો પ્રારંભ થાય છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy