SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ કાજળના જેવી શ્યામ કાંતિવાળા મેઘ પેદા કર્યા. તેને કારણે ચારે બાજુ જળબંબાકાર થઈ ગયો અને આકાશમાં ગાઢ અંધકાર વ્યાપી ગયો. ભરત મહારાજાએ પોતાના સૈન્યનું રક્ષણ કરવા ચર્મરત્ન કામે લગાડ્યું, જેની લંબાઈ-પહોળાઈ ૧૨ યોજન હતી. આ ચર્મરત્ન ઉપર આખું સૈન્ય તરવા લાગ્યું. ભરત મહારાજાએ છત્રરત્ન વડે ચર્મરત્નને ઢાંકી દીધું. છત્રરત્નના દંડ ઉપર રાજાએ મણિરત્ન આરોપ્યું, જેને કારણે પ્રકાશ થઈ ગયો. આ રીતે ભરત ચક્રવર્તીના અન્ય સાત દિવાશન સ્થનીન કર્યા. ભરત મહારાજા વિચારી રહ્યા હતા કે ‘‘આ કોણ પાપીઓ મને આવો ઉપસર્ગ કરવા ઉદ્યત થયા છે?'' રાજાના મનમાં આવો વિચાર જાણીને તેમની સદા સમીપે રહેતા સોળ હજાર યક્ષો યુદ્ધ માટે તૈયાર થયા અને નાગકુમારો પાસે આવીને કહેવા લાગ્યા કે ''તમે પૃથ્વીના પતિ આ ભરત ચક્રવર્તીને જાણતા નથી?’’ યક્ષોની આ ચેતવણીથી નાગકુમારોએ મેઘબળને સંહરી લીધું અને ‘તમે ભરત રાજાને શરણે જાઓ' એવી સલાહ ભીતોને આપી તેઓ પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. હવે બીજો કોઈ જ ઉપાય ન રહેતા ભીલકુમારો ભત ચક્રવર્તીના શરણે થયા. ત્યાર બાદ ભરત ચક્રવર્તીની આજ્ઞા મુજબ તેમના સેનાપતિ સુષેણ સિંધુ નદીની પશ્ચિમે આવેલા ઉત્તર નિષ્કુટ ખંડને ની આવ્યા. આ દરમિયાન ભરત મહારાજા પોતાના સૈન્ય સાથે રાજધાની અયોધ્યામાં રહેતા હોય તેમ ઉત્તર ભરતમાં રહ્યા. હવે ચક્રરત્ન લઘુ હિમવંત પર્વતને સમાંતર પૂર્વ દિશામાં ચાલ્યું અને ભરત ચક્રવર્તી પણ સૈન્ય સાથે તેની પાછળ ચાલ્યા. કેટલાક દિવસે ભરત મહારાજા લઘુ હિમવંત પર્વતના દક્ષિણ ભાગ પાસે આવી પહોંચ્યા. અહીં ભરત મહારાજાએ અમાનું તપ કર્યું અને રથઉપર સવાર થઈ જાધુ હિમવંત પર્વતને રથના આગલા ભાગથી ત્રણ વખત ટક્કર મારી. ત્યાર બાદ તેમણે પોતાના નામથી અંકિત કરેલું બાણ શુદ્ર હિમાદ્રિકુમાર દેવ તરફ છોડ્યું, પીની પેઠે આકાશમાં ૭૨ યોજન જઈને તે બાણ હિમાદ્રિકુમાર દેવની સામે પડ્યું. હિમાદ્રિકુમાર દેવ આ બાણ લઈને ભરત ચક્રવર્તીના શરણે આવ્યો. અહીંથી ભરત ચક્રવર્તીલપુ હિમવંત પર્વતની તળેટીમાં આવેલા ઋષભકૂટ ઉપર ગયા. તેમણે કાકિણીરત્ન હાથમાં લઈને ઋષભકૂટના પૂર્વ શિખર ઉપર પોતાનું નામ અંકિત કર્યું. અહીં તેમણે અઠ્ઠમ તપનું પારણું કર્યું અને અષ્ટાનિકા મહોત્સવ કર્યો. ભટ ઉપર પોતાનું નામ અંકિત કરીને ભરત ચક્રવર્તી ફરીથી ચૈતાઢ્ય પર્વતની નજીક આવ્યા. આ પર્વતના ઉત્તર ભાગમાં તેમણે પોતાની છાવણી નાખી. ત્યાં ી તેમણે નિમવિનય નામના વિદ્યાધરો ઉપર દંડને માગનારું બાણ છોડ્યું. બન્ને વિદ્યાધરો યુદ્ધને માટે તૈયાર થઈ ગયા. આ યુદ્ધ ૧૨ વર્ષ ચાલ્યું. અંતે ભરત Jain Education International ચક્રવર્તીએ વિદ્યાધરોને જીતી લીધા. તેઓ ભરત બારાજાને શરણે આવ્યા. વિનમિ રાજાએ તો પોતાની સુભદ્રા નામની પુત્રી ભરત ચક્રવર્તીને અર્પણ કરી. ભરત મહારાજાએ વિદાય કરેલા નિમિવનિમએ પોતાના પુત્રોના પુત્રોને રાજ્ય .સોંપી દીધું. વૈરાગ્યવાસિત થઈ તેઓ ઋષભદેવ ભગવાનનાં ચરણોમાં આવ્યા અને સાધુવ્રત ગ્રહણ કર્યું. અહીંથી ચક્રરત્નનો પીછો કરતાં ભરત મહારાજા ઉત્તર ભરત ક્ષેત્રમાં વહેતી ગંગા નદીના તટ ઉપર આવ્યા. અહીં તેમણે અઠ્ઠમનું તપ કરીને ગંગાદેવીની સાધના કરી. ગંગાદેવીએ પ્રસન્ન થઈ તેમને અનેક ભેટો આપી. હવે ભરત ચક્રવર્તી વૈતાઢ્ય પર્વતની તળેટીમાં આવેલી ખંડપ્રપાતા ગુફા સામે આવી પહોંચ્યા. ત્યાં તે ગુફાના અધિષ્ઠાયક નાટ્યમાલ દેવને મનમાં ધારણ કરીને અઠ્ઠમનું તપ કર્યું. દેવ શરણે આવ્યો. હવે ભરત ચક્રવર્તીએ સુષેણ સેનાપતિને આજ્ઞા કરી કે ‘ખંડપ્રપાતા ગુફાના દ્વારા ઉપાડો.'' સેનાપતિએ ચક્રવર્તીના દંડરત્નથી ખંડપ્રપાતા ગુફાના દ્વાર ઉપર પ્રહાર કર્યા એટલે તે દ્વાર ઊંઘી ગયા. આહીં નિષ્ના અને ઉન્મના નદીને પાર કરીને તેઓ દક્ષિણ દિશાના દ્વાર પાસે આવ્યા તો તે દ્વાર આપોઆપ ઊઘડી ગયા. ભરત ચક્રવર્તીએ ગુફામાંથી બહાર આવી ગંગા નદીના પશ્ચિમ તટ ઉપર પડાવ નાખ્યો. અહીં તેમને નવનિધાનની પ્રાપ્તિ થઈ. ત્યાર બાદ ભરત મહારાજાની આજ્ઞાથી સુષેણ સેનાપતિ ગંગા નદી પાર કરીને દક્ષિણ દિશામાં રહેલા પ્રદેશને નાની પલ્લીની જેમ સહેલાઈથી જીતીને પાછો આવી ગયો. છે ભરત ચક્રવર્તીએ હવે ભરત ક્ષેત્રના છ ખંડો ની લીધા હતા એટલે હવે ચક્રરત્ન અયોધ્ધા તરફ પાછું વળ્યું, ભરત ચક્રવર્તીને આ છ ખંડનું સામ્રાજ્ય જીતવામાં ૬૦,૦૦૦ વર્ષ જેટલો સમય લાગી ગષો તો. છ ખંડ ઉપર વિજય પ્રાપ્ત કરીને આવેલા ભરત મહારાજાનું અર્થોધ્યા નગરીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમની સાથે તેમની ૬૪,૦૦૦ રાણીઓ હતી અને તેમણે જીતેલા ૩૨,૦૦૦ સામંત રાજાઓ તા. એક વખતે સુરનરોએ આવી ભરત મહારાજાને વિનંતી કરી કે “તમે છ ખંડ ઉપર વિજય મેળવ્યો છે, માટે હવે અમને આપનો રાજ્યાભિષેક કરવાની આજ્ઞા આપો.'' ભરત મહારાજાએ આજ્ઞા આપી. એટલે દેવનાઓએ તેમ જ પ્રજાજનોએ મળીને ભરત મહારાજાના રાજ્યાભિષેકના ભવ્ય મહોત્સવનું અયોધ્યામાં આયોજન કર્યું. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૫ · For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy