SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ છેડાથી ૮૩૪ પોજન ઉપરાંત ૪/૭ ભાગના અંતરે સીતા મહાનદીના પૂર્વ તટ ઉપર એક અને પશ્ચિમ તટ ઉપર એક એમ બે ચમક પર્વનો છે. આ પર્વતોની ઊંચાઈ એક ગુજાર યોજન છે અને તેઓ ૨૫૦ યોજન ધરતીમાં છે. આ પર્વતોની મૂળમાં પહોળાઈ ૧૦૦૦ યોજન, મધ્યમાં ૭૫૦ યોજન અને ટોચ ઉપર ૫૦૦ યોજન છે. આ બન્ને પર્વતોનો આકાર ગાયના ઊંધા પૂંછડા જેવો છે, નીલવંત પર્વતથી ૮૩૪ યોજન ઉપરાંત ૪૭ ભાગના અંતરે સીતા મહાનદીની વચમાં નીલાવત નામનો રહ છે. આ ની લંબાઈ ૧,૦૦૦ યોજન અને પહોળાઈ ૫૦૦ યોજન છે. આ નીલવંત દ્રહની પૂર્વ અને પશ્ચિમ દિશામાં બન્ને પડખે ૧૦-૧૦ યોજનના અંતરે કુલ ૨૦ કાંચન પર્વતો છે. ઉત્તર કુરૂ ક્ષેત્રમાં આવા પાંચ હતો અને ૧૦૦ કંચનગિરિઓ છે. મેરુ પર્વતની દક્ષિણ દિશામાં અને નિષધ પર્વતની ઉત્તર Jain Education International દિશામાં દેવપુર નામનું ક્ષેત્ર આવેલું છે, જેમાં કાયમ અવસર્પિણીના પહેલા સુષમા સુષમા આરાના પ્રારંભિકકાળ જેવું વાતાવરણ હોય છે અને યુગલિક મનુષ્યો વસવાટ કરે છે. આ ક્ષેત્રની પહોળાઈ ૧૧૮૪૨ યોજન ઉપરાંત ૨૧૯ ભાગ જેટલી છે. આ ક્ષેત્રમાં નિષેધ પર્વતથી ઉત્તર દિશામાં ૮૩૪ યોજન ઉપરાંત ૪ ૩ ભાગના અંતરે ચિત્રકૂટ અને વિચિત્રકૂટ નામના બે પર્વતો છે. એક પર્વત સીતોદા નદીના પૂર્વ તટે આવેલો છે તો એક પર્વત તેના પશ્ચિમ તટે આવેલો છે. આ બે પર્વતો ઉત્તર કુરુક્ષેત્રમાં આવેલા યમક ગિરિ જેવા જ છે. આ બે ચિત્રકૂટથી ૮૩૪ યોજન ઉપરાંત ૪/૭ ભાગના અંતરે નિષધ નામનો દ્રહ છે. આ દ્રહની પૂર્વ-પશ્ચિમ દિશામાં ૧૦-૧૦ કંચનગિરિઓ આવેલા છે. આવા પાંચ હની આજુબાજુ કુલ ૧૦૦ કંચનગિરિઓ આવેલા છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy