SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ આવી રહ્યાં છે. આ જૂઠાણાંઓનો અભ્યાસ કરતાં ‘ચંદ્રની સપાટી ઉપર પાણી મળી આવ્યું' એવી નાટ્યાત્મક જાહેરાત પણ ‘નાસા’ અને ‘ઇસરો’ સંસ્થાના સહયોગમાં ફેલાવાઇ રહેલું એક વધુ જૂઠાણું હોવાની જ શંકા જાય છે. ગયાં વર્ષના ઓક્ટોબર મહિનાની ૨૨ તારીખે ભારતના ‘ચંદ્રયાન’ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ગોઠવવામાં આવ્યું હતું. ભારતનું આ ‘ચંદ્રયાન' હકીકતમાં અવકાશયાન નથી પણ એક જાતનો કૃત્રિમ ઉપગ્રહ જ છે. સામાન્ય રીતે ચંદ્રયાનને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું ૩,૮૪,૦૦૦ કિલોમીટરનું અંતર કાપતા પાંચ દિવસનો સમય લાગતો હોય છે; પણ ભારતનું ‘ચંદ્રયાન’ ૧૩ દિવસ સુધી પૃથ્વીના આસપાસ ચક્કર લાગાવીને છેવટે ૧૮ દિવસે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. આ રીતે 'ચંદ્રયાન'ને સીધું ચંદ્રની દિશામાં લઇ જવાને બદલે તેને પૃથ્વીની પાંચ વખત પ્રદક્ષિણા કરાવવાની જરૂર કેમ પડી? તેનો કોઇ ખુલાસો ઇસરોના વિજ્ઞાનીઓ આપતા નથી. ભારતનું ‘ચંદ્રયાન’ તારીખ ૮ નવેમ્બરે ચંડની નજીક પહોંચ્યું તે દિવસથી જ તેને વધુ પડતી ગરમીની સમસ્યા નડી રહી હતી. 'ઇસરો'ના વિજ્ઞાનીઓની પારણા એવી હતી કે ચંદ્રથી ૧૦૦ કિલોમીટર દૂરની ભ્રમણકક્ષામાં ઉષ્ણતામાન ૭૫ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નહીં હોય. આ ધારણા મુજબ જ ‘ચંદ્રયાન'ની ડિઝાઇન બનાવવામાં આવી હતી. આ ધારણા ખોટી સાબિત થઇ હતી. તારીખ ૨૫ નવેમ્બરે ઉષ્ણતામાનની સમસ્યા એટલી વિક્ટ બની ગઇ કે ‘ઇસરો' તરફથી 'ચંદ્રયાન'માં બેસાડવામાં આવેલાં ૧૧ ઉપકરણો પૈકી અનેક ઉપકરણો કામ કરતાં બંધ થઇ ગયાં હતાં. તેને કારણે અનેક પ્રયોગો પડતાં મૂકવાની ફરજ પડી હતી. ચંદ્ર ઉપર વાતાવરણ નથી. તેને કારણે ચંદ્રની સપાટી ઉપર પડતી સૂર્યની ગરમીનું વાતાવરણમાં વહન થઇને તે આકાશમાં ફેલાઇ જતી નથી. જો ચંદ્રની ધરતીથી ૧૦૦ કિલોમીટરના અંતરે પણ ૭૫ ડિગ્રી કરતાં વધુ ઉષ્ણતામાન હોય તો “ચંદ્ર ઉપર વાતાવરણ નથી' Jain Education International એવી થિયરી જ ખોટી સાબિત થઇ જાય છે. ચંદ્રની ભ્રમણકક્ષામાં જોવા મળતા બળબળતા તાપને કારણે ‘ચંદ્રયાન’નું સ્ટાર સેન્સર નામનું ઉપકરણ તારીખ ૨૫મી એપ્રિલે જ કામ કરતું બંધ થઇ ગયું હતું. આ સેન્સરનું કામ ‘ચંદ્રયાન’ને અવકાશમાં યોગ્ય જગ્યાએ રાખવા માટે મહત્ત્વનું હોય છે. મે મહિનાના બીજા સપ્તાહમાં સ્પેરમાં રાખેલું સેન્સર પણ કામ કરતું બંધ થઇ ગયું. સ્ટાર સેન્સર બંધ થવાને કારણે ‘ચંદ્રયાન’ની હાલત સ્ટીયરીંગ વગર ચાલતી ગાડી જેવી થઇ ગઇ હતી. તો પણ 'ઇસરો'ના દાવા મુજબ સ્ટાર સેન્સરને બદલે 'ગાયરોસ્કોપ' નામનાં ઉપકરણનો ઉપયોગ કરીને તેમણે ‘ચંદ્રયાન' ઉપરનો કાબુ ટકાવી રાખ્યો હતો. દીકતમાં ગાયરોસ્કોપ બાવકાશમાં વાપરવા માટે નથી હોતું, તેનો ઉપયોગ પૃથ્વીના વાતાવરણમાં વિમાન સીધી રેખામાં જાય છે કે નહીં તેનો નિર્ણય કરવા માટે જ કરવામાં આવે છે. પરિસ્થિતિ એવી વિકટ બની કે ‘ચંદ્રયાનને જો ગરમીથી બચાવવું હોય તો તેને ચંદ્રની સપાટીથી વધુ દૂર લઇ જવું અનિવાર્ય બની ગયું હતું. આ કારણે આ વર્ષની ૧૯મી મેના દિવસે ચંદ્રપાનને ૧૦૦ કિલોમીટરની ભ્રમણકક્કામાંથી ૨૦૦ કિ લો મીટ રની ભ્રમણકક્ષામાં લઇ જવામાં આવ્યું હતું. આ માટે ‘ઇસરો’ તરફથી સત્તાવાર રીતે એવું કારણ આપવામાં આવ્યું હતું કે ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રનો વધુ અભ્યાસ કરવા અને ચંદ્રની વધુ વ્યાપક સપાટીની તસવીરો લેવા’’ આમ કરવામાં આવ્યું છે. આ રીતે ‘ઇસરો’ તરફથી ઇરાદાપૂર્વક જૂઠું કારણ આગળ ધરવામાં આવ્યું હતું અને ખરી હકીકતો પ્રજાથી છપાવી રાખવામાં આવી હતી. બન્ને સ્ટાર સેન્સર કામ કરતાં બંધ થઇ ગયાં પછી પણ ‘ઇસરો'ના વિજ્ઞાનીઓએ એવું જૂઠાણું ચલાવ્યા કર્યું હતું કે “ચંદ્રયાનને કોઇ ચ નહીં આવે અને તે બે વર્ષની તેની મુકરર કામગીરી પુરી કરશે. ‘ચંદ્રયાન'ના સ્ટાર સેન્સર કામ કરતાં બંધ થઇ ગયાં છે એ વાત પણ ‘ઇસરો' જાહેર કરવા માંગતું નહોતું; પણ આ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૪૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy