SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ છેતરપિંડીનો ખ્યાલ આવી જશે એવા ભયથી ‘નાસા’ દ્વારા જ આ ટેપોનો નાશ કરી દેવામાં આવ્યો છે. જો મૂળ ટેપ મોજૂદ હોત તો તેના વડે આધુનિક ટેક્નોલોજીની મદદથી સ્ટાન્ડર્ડ ટીવીની અત્યંત સ્પષ્ટ વિડિયો ટેપ બનાવી શકાઈ હોત. એપોલોની ચંદ્રયાત્રા વિશે જે મૂળ વિડિયો ટેપો રેકોર્ડ કરવામાં આવી તેને ૭૦૦ બોક્સમાં સાચવીને ‘નાસા’ના સંગ્રહસ્થાનમાં રાખવામાં આવી હતી. આ વાત ‘નાસા’એ વર્ષો સુધી છુપાવી રાખી હતી. છેવટે ઈ.સ. ૨૦૦૬ની ૧૬ ઓગસ્ટે તેણે આ ટેપો ગુમ થવાની જાહેરાત કરીને સનસનાટી ફેલાવી દીધી હતી. ૨૦૨૦ની સાલમાં ફરીથી ચંદ્ર ઉપર મનુષ્યને મોકલવાનો પ્રોજેક્ટ બનાવી રહ્યા હોવાથી તેમને આ ટેપો ભવિષ્યનાં અવકાશયાનોની ડિઝાઇન બનાવવા માટે જોઈએ છે. શું ‘નાસા' પાસે પોતે જ બનાવેલાં અવકાશાધનોની ડિઝાઇન નહીં હોય કે તેણે ટેપની મદદ હોવી પડે ‘નાસા’નું કહેવું એમ છે કે માત્ર એપોલો-૧૧ની ચંદ્રયાત્રાની મૂળ ૪૫ ટેપો જ ગુમ થઈ ગઈ છે ત્યાર બાદ જે એપોલો ૧૨-૧૪-૧૫-૧૬ અને ૧૭ની ચંદ્રયાત્રાની સારી ગુણવત્તાની ટેપો હજી 'નાસા' પાસે મોજુદ છે. વળી અત્યારે ‘નાસા' પાસે ઓરિજિનલ ટીવી ઉપરથી જે નસવીરો ખેંચી હતી તે મોજૂદ છે. આ મુળ તસવીરો ઉપરથી જ બિલ કેસિંગ અને રાલ્ફ ઈ.સ. ૨૦૦૯ની ૧૬ જુલાઈએ ‘નાસા’એ અમેરિકામાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને કબૂલ કર્યું કે ચંદ્રયાત્રાની મૂળ વિડિયો ટેપો ખોવાઈ નથી ગઈ પણ તેના ઉપર ભૂલથી બીજુંરેને જેવા લેખકોએ અમેરિકાની ચંદ્રયાત્રાની બનાવટ પકડી પાડી છે. ‘નાસા’ને ડર છે કે મૂળ તસવીરો પ્રગટ કરવાથી આટલી બનાવટ ખુલ્લી પડી ગઈ હોય તો મૂળ વિડિયો ટેપ પ્રગટ કરવામાં આવશે ત્યારે કંઈ બાકી જ દેશે નહીં. આ કારણે જ ‘નાસા'એ મૂળ ટેપોનો ઇરાદાપૂર્વક નાશ કરી નાખ્યો હોય તેવી તમામ સંભાવનાઓ રહે છે. રેકોર્ડિંગ થઈ ગયું છે, આ પ્રેસ કોન્ફરન્સમાં 'નાસા'ના અધિકારીઓએ ૪૦ વર્ષ જૂની ચંદ્રયાત્રાની ફિલ્મો થોડા સુધારાઓ સાથે રજુ કરી હતી, જે અગાઉ ટીવી ઉપર દર્શાવલી ટેપો કરતાં થોડી વધુ સ્પષ્ટ જણાતી હતી. 'નાસા'એ એવી માહિતી આપી હતી કે ચંદ્રયાત્રાનાં સિગ્નલો ઓસ્ટ્રેલિયામાં આવેલા અર્થ સ્ટેશનમાં ગ્રહણ કરવામાં આવ્યાં હતાં. અહીંથી તેની ટેપ બનાવી અમેરિકા મોકલવામાં આવી હતી. ‘નાસા’ ખાતે આ ટેપો પહોંચી ગઈ તે પછી ઓસ્ટ્રેલિયામાં રહેલી મૂળ ટેપો ભૂંસી નાખવામાં આવી હતી. ‘નાસા’ તરફથી આટલી મહત્ત્વની અનિાસિક ઘટનાની બબ્બે ટેપો ભેંસી નાખવામાં આવે તેની પાછળ જરૂર કોઈ કાવતરું જ હતું. ‘નાસા’એ ચઢયાત્રાની જે ઓરિજિનલ વિડિયો ટેપો ખોલ નાખી હોવાનું કહેવાય છે, તેની શોધ વિવિધ લોકો વિવિધ કારણોસર કરી રહ્યા છે. ચંપાત્રાને બનાવટી ગણાવતા લોકોને વિશ્વાસ છે કે આ મૂળ ટેપો જો તેમના હાથમાં આવશે તો તેઓ સજ્જડ પરાવાઓ આપી શક્શે કે આ ચંદ્રયાત્રા બનાવટી હતી. એપોલો-૧૧માં બેસીને જે અવકાશયાત્રીઓ ‘ચંદ્ર” ઉપર ગયા નો તેઓ પોતાની જિદંગીના એક સંભારણા તરીકે આ ટેપ હાંસલ કરવા માગે છે. જ્યારે ‘નાસા’ના વિજ્ઞાનીઓ કહે છે કે તેઓ ઈ.સ. Jain Education International અમેરિકાએ ઈ.સ. ૧૯૭૨ પછી ચંદ્ર તરફ એક પણ અવકાશયાન મોકલ્યું નહોતું; પણ નકલી ચંદ્રયાત્રાનાં ૪૦ વર્ષની ઉજવણી કરવા તેને ફરીથી ચંદ્ર ઉપર યાન મોકલવાનું શૂરાતન ચડ્યું છે. આ મુજબ ઈ.સ. ૨૦૦૯ની ૨૦મી જૂને કેપ કેનેડી મથકેથી ચંદ્રની દિશામાં લ્યુનાર રિકોનેસાં ઓર્બિટર નામનું અવકાશયાન છોડવામાં આવ્યું છે. આ અવકાશયાન એટલાસ-૫ રોકેટ વડે છોડવામાં આવ્યું છે અને તે ચાર જ દિવસમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. આ અવકાશયાન ‘ચંદ્ર’ ઉપર મોકલવાનું મુખ્ય કારણ ભવિષ્યની સમાનવ ચંદ્રયાત્રાઓ માટે માહિતી એકઠી કરવાનું છે એમ 'નાસા'ના અધિકારીઓ કહે છે. જો ‘નાસા' પાસે અત્યાર સુધી ચંદ્ર વિશે પર્યાપ્ત માહિતી નહોતી તો ઈ.સ. ૧૯૬૯થી ૧૯૭૨ વચ્ચે છ અવકાશયાનો કેવી રીતે ચંદ્ર ઉપર જઈને પાછાં આવ્યાં? એવો સવાલ થયા વિના રહેતો નથી. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy