SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ખ્યાલ હતો કે ૧૯૭૬માં જ્વાળાઓ એકદમ ઓછી રહેવાની છે. ઈ.સ. ૧૯૬૯થી ૧૯૭૨ દરમિયાન સાત એપોલો યાનને અવકાશમાં મોકલવામાં આવ્યાં ત્યારે સૂર્યની ૨૭,૦૧૯ જ્વાળાઓ જોવા મળી હતી; અથવા રોજની ૧૯ જ્વાળાઓ જોવા મળી હતી. પૃથ્વીથી આશરે ૫૦૦ માઇલના અંતરે વાન એલન બેલ્ટ નામનો પટ્ટો આવેલો છે. આ પટ્ટામાં સૂર્યના જીવલેણ કિરણોત્સર્ગનો સંગ્રહ થયો હોવાનું માનવામાં આવે છે. પૃથ્વી ઉપરથી ચંદ્ર તરફ જતું અવકાશયાન કલાકના ૨૬,૦૦૦ માઇલની ઝડપે ઊડતું હોય છે, એમ વિજ્ઞાનીઓ કહે છે. આ ઝડપે અવકાશયાનને વાન એલન બેલ્ટમાંથી પસાર થતાં અમુક મિનિટો જ લાગતી હોય છે; પણ આ મિનિટોમાં પણ અવકાશયાનની અંદર રહેલા યાત્રિકો માટે જોખમ ઊભું થઈ શકે છે. એપોલો– ૧૫ અવકાશયાનમાં મુસાફરી કરનાર દેવ સ્કોટ નામનો અવકાશયાત્રી તેના મૃત્યુ અગાઉ અમેરિકાની ચંદ્રયાત્રાને બનાવટી ઠરાવનાર વિજ્ઞાની બિલ કેસિંગના પરિચયમાં આવ્યો હતો. હકીકતમાં એપોલો-૧૫ જેટલા દિવસ પૃથ્વીની બહાર રહ્યું હોવાનું કહેવાય છે એ દરમિયાન સૂર્યમાં સૌથી વધુ ૨૬૮ ભડકાઓ જોવા મળ્યા હતા. બિલ કેસિંગના પરિચયમાં આવ્યા પછી અને તેના આક્ષેપોનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા પછી દેવ સ્કોટ માનસિક રીતે અસ્થિર થઈ ગયો હતો. આ અવકાશયાત્રી બિલ કેસિંગ સમક્ષ એપોલોની અવકાશયાત્રાનાં તમામ રહસ્યો પ્રગટ કરી દેવાનો હતો; પણ તે પહેલાં જ ઈ.સ. ૧૯૯૧ની આઠમી ઓગસ્ટે તેના ઉપર હૃદયરોગનો જીવલેણ હુમલો આવ્યો અને તે મરી ગયો. જ્યારે કોઈ પણ મધ્યમ ઉંમરના મનુષ્યને કોઈ ગુપ્તચર સંસ્થા કાયમ માટે ચૂપ કરી દેવા માગતી હોય ત્યારે તેનો સૌથી સહેલો પ્રકાર હાર્ટ એટેકથી થતું મોત છે. હાર્ટ એટેક માટે જે કારણો આપવામાં આવે છે તે એકદમ તકલાદી હોય છે, તો પણ લોકો તેને માની લે છે. અમેરિકાની નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એમિનિસ્ટ્રેશન નામની એજન્સીએ ઈ.સ. ૧૯૬૯ના જુલાઈ મહિનામાં સૂર્યની ભારે અગનજ્વાળાઓની આગાહી કરી હતી તો પણ ‘નાસા’એ આ દિવસોમાં જ એપોલો યાન ઉડાડવાનું શા માટે નક્કી કર્યું? અવકાશયાન વિશે ‘પ્રોસ્પેક્ટસ ફોર ઇન્ટરસ્ટેલર ટ્રાવેલ’ નામનું પુસ્તક લખનાર વિજ્ઞાની જોન એમ. મોલ્ડીન લખે છે કે ‘‘કોસ્મિક અણુઓ બધી બાજુથી આવે છે અને બહુ ભયંકર હોય છે. જો અવકાશમાં આ કોસ્મિક અણુઓથી બચવું હોય તો આપણા શરીરની આસપાસ ધાતુનું ઓછામાં ઓછા બે ફૂટની જાડાઈનું આવરણ હોવું જોઈએ. પૃથ્વીથી થોડા જ કલાકોના અંતરે આપણે Jain Education International જઈએ તે પછી સૂર્યનાં કિરણો આપણી ઉપર એવો ઘાતક કિરણોત્સર્ગ છોડે છે કે આપણી ઉપર હજારો ‘રેમ’ રેડિયેશનનું આક્રમણ થાય છે. જો કોઈ પણ વ્યક્તિ ઉપર ૫૦૦ ‘રેમ’ જેટલો કિરણોત્સર્ગ પડે તો ટૂંક સમયમાં તેમનું મરણ થાય છે.’’ એપોલો યાનનું બહારનું આવરણ અત્યંત પાતળું હતું અને તે ટંગસ્ટન ધાતુનું બનેલું હતું. આ આવરણમાં સૂર્યના કિરણોત્સર્ગ સામે સંરક્ષણ આપવાની જરાય ક્ષમતા નહોતી. તેમ છતાં શા માટે ‘નાસા’એ આ જોખમ પ્રત્યે આંખ આડા કાન કર્યા? હવે ‘નાસા' એમ કહે છે કે ચંદ્રયાનની આજુબાજુ સીસાનાં પતરાંઓ જડવામાં આવ્યાં હતાં. ચંદ્રયાનને જેમ સીસાંનાં પતરાંની જરૂર પડે તેમ એપોલો યાનને જરૂર ન પડે? કે પછી એપોલો યાનનાં પતરાં ચંદ્ર ઉપરનાં ઉતરાણ વખતે કાઢીને ચંદ્રયાન ઉપર જડી દેવામાં આવ્યાં હતાં? જોકે ‘નાસા’ તો એવો દાવો પણ કરે છે કે અવકાશયાત્રીઓને જે સ્પેસ સૂટ આપવામાં આવ્યા હતા તે પણ તેમને સૂર્યના કિરણોત્સર્ગ સામે સંરક્ષણ આપી શકે તેમ હતા. વિજ્ઞાનીઓ જ્યારે એમ કહેતા હોય કે બે ફૂટ જાડાઈનું ધાતુનું આવરણ જ કિરણોત્સર્ગ સામે રક્ષણ આપી શકે; ત્યારે ‘નાસા’નો સ્પેશિયલ કાપડનો બનાવેલો સ્પેસ સૂટ તેમને કેવી રીતે રક્ષણ આપી શકે? બ્રિટિશ રોયલ એરફોર્સની માર્ગદર્શિકા એમ કહે છે કે એક કલાકમાં ૧૦ મિલીરેમ કરતાં વિમાનમાં રેડીયેશન વધી જતું હોય તો તેને ઓછી ઊંચાઈએ ઉડાડવું જોઈએ. આ નિયમ શા માટે અવકાશયાનને લાગુ પડતો નથી? એપોલોની ચંદ્રયાત્રાના છબરડાઓ For Private ઈ.સ. ૧૯૬૯ની સાલમાં એસોસિયેટેડ પ્રેસ નામની સંસ્થાએ ‘ફૂટપ્રિન્ટ્સ ઓન ધ મૂન' નામનું ૨૦૦ પાનાનું રંગબેરંગી અને સચિત્ર પુસ્તક પ્રગટ કર્યું હતું. આ પુસ્તકનો ઝીણવટથી અભ્યાસ કરીને રાલ્ફ રેનેએ તેનાથી પુરવાર થતાં ચંદ્રયાત્રાના સંખ્યાબંધ છબરડાઓ શોધી કાઢ્યા હતા. છબરડો-૧ આ પુસ્તકના ૧૯૨ નંબરના પાના ઉપર એપોલો૧૧ની ચંદ્રયાત્રા બાબતે ‘નાસા' તરફથી સત્તાવાર રીતે પ્રગટ કરાયેલી એક તસવીર છે, જેમાં ‘ચંદ્રની’ ધરતી ઉપર અવકાશયાત્રીઓ અમેરિકાના રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે. આ તસવીરમાં નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ ઓલ્ડ્રીન ધ્વજની આજુબાજુ ઊભા છે અને ક્ષિતિજ ઉપરના સૂર્યના પ્રકાશમાં તેમના લાંબા પડછાયાઓ પડે છે. આ તસવીરમાં નીલ આર્મસ્ટ્રોન્ગના જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન • ૧૨૩ Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy