________________ 350 અનુગદારાઈ -(287) સાગરોપમથી કોઇપણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ કેવું છે? જેમ કોઈપલ્ય હોય, તે પલ્ય એક યોજન લાંબો, એક યોજન પહોળો, એક યોજના ઊંડો અને કંઈક ઓછા ષષ્ઠભાગ અધિક ત્રણ યોજનની પરિાઘવાળો હોય. તે પલ્યમાં એક-બે-ત્રમ યાવતું સાત દિવસના બાલાઝો ભરવામાં આવે, તે એક-એક બાલાઝાના અસંખ્યાત-અસંખ્યાતખંડો કરવામાં આવે. તે ખંડો દ્રષ્ટિ વિષયીભૂત થતા પદાર્થની અપેક્ષાની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગમાત્ર હોય અને સૂક્ષ્મપનક જીવની શરીર વગહનાથી અસંખ્યાગણી હોય. આ બાલાગખંડો ઠાંસી-ઠાંસીને ભરવાથી તે અગ્નિથી બળતા નથી, યાવતુ દુર્ગધને પ્રાપ્ત થતાં નથી. તે પલ્યમાંથી સો-સો વર્ષે એક-એક બાલાગ્રખંડને બહાર કાઢતાં જેટલા સમયમાં તે પલ્ય બાલાઝખંડની રજથી રહિત, સંશ્લેષરહિત સંપૂર્ણ પણે ખાલી થઈ જાય તેટલા સમયને સૂક્ષ્મ અાપલ્યોપમ કહે છે. દશકોટાકોટિ સૂક્ષ્મ અદ્ધપલ્યોનો એક સૂક્ષ્મ અદ્ધાસાગરોપમ થાય છે. [288 હે ભદત ! આ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધાસાગરોપમથી. કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? આ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ અને સાગરોપમથી નારકીઓ, તિર્યંચો, મનુષ્ય અને દેવોના આયુષ્યની ગણના થાય છે. ૨૮૯નરજીવોની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? સામાન્યરૂપે નરક જીવોની સ્થિતિ જઘન્ય દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ પ્રમાણ છે. રત્નપ્રભા પૃથ્વીના નારકોની સ્થિતિ કેટલી છે? જઘન્ય દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમ પ્રમાણ છે. રત્નપ્રભા પૃથ્વીના અપતિક નારકોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની પ્રમાણ છે. રત્નપ્રભા પૃથ્વીના પતિક નારકોની સ્થિતિ કેટલી છે? જઘન્ય અન્તર્મુહૂર્તન્યૂન દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ અંતર્મુહબતન્યૂન એક સાગરોપમની જાણવી શર્કરપ્રભાપૃથ્વીના નારકોની સ્થિતિ કેટલી છે? સામાન્ય સ્વરૂપે શર્કરપ્રભાના નારકોની જઘન્ય સ્થિતિ એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ જેટલી છે. ત્રીજી વાલુકપ્રભાપૃથ્વીના નારકોની સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમ છે. ચતુર્થ પંકપ્રભા નારકીઓની જઘન્યા સ્થિતિ સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમ છે. પંચમ ધૂમપ્રભાનામક નારકોની જઘન્ય સ્થિતિ દશસાગરોપમ અને ઉત્કૃષ્ટ 17 સાગરોપમની છે. છઠ્ઠી તમપ્રભાનામક નારકોની જઘન્ય સ્થિતિ 17 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 22 સાગરોપમ પ્રમાણ છે. સાતમી તમસ્તમઃ પૃથ્વીના નારકોની જઘન્ય સ્થિતિ 22 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ પ્રમાણ જાણવી. અસુરકુમાર દેવોની સ્થિતિ કેટલા કાળની છે ? જઘન્ય દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક એક સાગરોપમ પ્રમાણ છે. અસુરકુમાર દેવોના દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમ જેટલી છે.નાગકુમાર દેવોના સ્થિતિ કેટલી છે? જઘન્ય દશહજારવર્ષ અને ઉત્કૃષ્ટ કંઈકન્ન બે પલ્યોપમ પ્રમાણ જાણવી.નાગકુમારની દેવીઓની સ્થિતિ કેટલા કાળ પ્રમાણ છે? જઘન્ય દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ કંઈકન્યૂન એક પલ્ય પ્રમાણ જાણવી. નાગકુમાર દેવદેવીની જેટલી સ્થિતિ કહેવામાં આવી છે તેટલીજ શેષ સુવર્ણકુમાર યાવતું સ્વનિતકુમાર સુધીના દેવો અને દેવીઓની સ્થિતિ જાણવી. પૃથ્વીકાયિક જીવોની સ્થિતિ કેટલા કાળપ્રમાણ છે? જઘન્ય અન્તર્મુહૂર્તની અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org