SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ 356 અનુગદારાઈ -(270) ઉત્તરવૈક્રિય આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 6 રનિ પ્રમાણ જાણવી. ઉત્તરવૈક્રિય અવગાહના સૌધર્મકલ્પ અનુસારછે. સાનકુમારની જેટલી અવગાહના માહેન્દ્ર કલ્પમાં જાણવી., બuઅનેલાંતક આબે કલ્પોમાં ભવધારણીય અવગાહના. જઘન્ય અંગુલના અસંખ્યાત મા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પાંચ ત્નિ પ્રમાણ છે. ઉત્તરવૈક્રિય અવગાહના સૌધર્મ કલ્પ પ્રમાણે મહાશુક્ર અને સહસાર આ બે કલ્પમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ચારરનિ પ્રમાણ ઉત્તર વૈક્રિય અવગાહના સૌધર્મકલ્પ પ્રમાણે જાણવી, આનત, પ્રાણ. આરણ અને અશ્રુત કલ્પોમાં ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ પત્નિની છે. તેઓની ઉત્તરવૈક્રિય અવગાહના. સૌધર્મકલ્પ પ્રમાણે જાણવી. શૈવેયક દેવોની શરીરવગાહના કેટલી છે? શૈવેયક દેવોને ભવધારણીય અવગાહનાજ હોય છે, ઉત્તરવૈક્રિય અવગાહના હોતી નથી. તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ બે રપ્રિમાણ અનુત્તરવિમાનો ના દેવોની શરીરવગાહના કેટલી હોય છે ? ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલના. અસંખ્યમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક રત્નિપ્રમાણ હોય છે. ઉત્તરક્રિયઅવગાહના ત્યાં પણ હોતી નથી. તે ઉસૈધાંગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારનો છે. સુäગુલ, પ્રતરાંગુલ, અને ઘનાંગુલ, એક અંગુલ લાંબી અને એક પ્રદેશ પહોળી જે આકાશના પ્રદેશોની શ્રેણી છે તે સૂગુલ કહેવાય છે. સૂચીને સૂચી વડે ગુણન કરતાં પ્રતરાંગુલ બને છે અને સૂચીથી પ્રતરાંગુલને . ગુણતાં ઘનાંગુલ બને છે. સૂટ્યગુલપ્રતરાંગુલ અને ઘનાંગુલ, આ ત્રણમાંથી કોણ. કોનાથી અલ્પ, મહાન, તુલ્ય અથવા વિશેષાધિક છે ? સૌથી અલ્પ સૂટ્યગુલ છે, સૂટ્યગુલથી અસંખ્યાત ગણા પ્રતરાંગુલ છે. પ્રતરાંગુલથી અસંખ્યાગણા ઘનાંગુલ છે. આ પ્રમાણે ઉત્સોધાંગુલનું સ્વરૂપ છે. પ્રમાણાંગુલ શું છે? ઉત્સોધાંગુલને હજાર ગણા કરવાથી પ્રમાણાંગુલ બને છે. અથવા જેનું પ્રમાણ પ્રકષપ્રાપ્ત-સૌથી વધુ હોય તે પ્રમાણાંગુલ કહેવાય છે. તે આ પ્રમાણે સંપૂર્ણ ભરતક્ષેત્ર પર અખંડ શાસન કરનાર ચક્રવર્તીનું કાકિણીરત્ન અસુવર્ણપ્રમાણ હોય છે. તે કાકિણીરત્નને છ તલ (ચાર દિશાના ચાર અને ઉપર-નીચે બે), બાર કોટી, આઠ કર્ણિકાઓ હોય છે. તેનું સંસ્થાન સોનીની એરણ જેવું અથતુ સમચતુરન્ટ્સ હોય છે. આ કાકિણીરત્ન એક એક કોટી ઉત્સોધાંગુલ પ્રમાણ પહોળી હોય છે. તે એક-એક કોટી શ્રમણભગવાન મહાવીર સ્વામીના અધગુલ પ્રમાણ છે. તેને હજારગુણા કરવાથી પ્રમાણાંગુલ બને છે. આ અંગુલાપ્રમાણથી 6 અંગુલોનો પાદ, 12 અંગુલોની એક વિતસ્તિ, 2 વિતતિઓની 1 રત્નિ, 2 રત્નિની એક કુક્ષિ, બે કુક્ષિઓનું એક ધનુષ, બે હજાર ધનુષોનો એક ગભૂતિ અને 4 ગભૂતિ બરાબર એક યોજન હોય છે. આ પ્રમાણાંગુલથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? આ પ્રમાણાંગુલથી રત્નપ્રભા વગેરે પૃથ્વીઓના કાંડોનું, પાતાળ કળશો, ભવનપતિના ભવનો, ભવનોના પાવડાઓ, નારકાવાસો, નરકોના પાથડાઓ, સૌધર્મ વગેરે કલ્યો, દેવવિમાનો, વિમાનોના પ્રસ્તરો, છિન્નટેકો, રત્નકૂટ વગેરે મંડપર્વતો, શિખરવાળાપર્વતો, ઈષતુ નમિત પર્વતો, વિજયો, વક્ષસ્કારો, વિષ, વર્ષધરપર્વતો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005109
Book TitleAgam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy