________________ અનુઓગદારાઈ -(79) નિપ્પન નામ છે. ભાવસંયોગનિષ્પનનામનું સ્વરૂપ કેવું છે ? ભાવસંયોગના બે પ્રકારો છે. પ્રશસ્તભાવસંયોગ અને અપ્રશસ્તભાવસંયોગ. પ્રશસ્તભાવસંયોગથી નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાન, દર્શન, ચારિત્ર આ પ્રશસ્તભાવો છે. આ ભાવોના સંયોગથી જેમકે- જ્ઞાનથી “જ્ઞાની, દર્શનથી “દર્શની’ ચારિત્રથી ચારિત્રી આ નામ પ્રશસ્તભાવસંયોગનિષ્પન્ન નામ છે. અપ્રશસ્તભાવસંયોગનિષ્પન નામનું સ્વરૂપ કેવું છે? ક્રોધ, માન, માયા, લોભ એ અપ્રશસ્ત ભાવો છે. આ ભાવોના સંયોગથી જેમ ક્રોધથી. ‘ક્રોધી', માનથી “માની, માયાથી “માવી અને લોભથી “લોભી’ નામ હોવું. આ. સર્વનામો અપ્રશસ્તભાવનિષ્પન્ન નામ કહેવાય છે. પ્રમાણથી નિષ્પન નામનું સ્વરૂપ કેવું છે? જેના વડે વાનો નિર્ણય કરવામાં આવે છે તે પ્રમાણ. તેનાથી નિષ્પનનામના ચાર પ્રકારો છે. તે આ પ્રમાણે નામ પ્રમાણથી નિષ્પનનામ, સ્થાપનાપ્રમાણથી નિખનના દ્રવ્યપ્રમાણથી નિષ્પન્નનામ અને ભાવપ્રમાણથી નિષ્પન્નનામ. નામ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? કોઈપણ જીવનું અથવા અજીવનું, જીવોનું કે અજીવોનું, જીવાજીવનું અથવા જીવોઅજીવોનું, “પ્રમાણ' એવું નામ- સંજ્ઞા રાખવામાં આવે છે તે નામપ્રમાણ. તેનાથી નિષ્પનનામ “નામ પ્રમાણનિષ્પ નનામ' કહેવાય. [23] સ્થાપના પ્રમાણથી નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે? સ્થાપના પ્રમાણના. કારણથી જે સાત નામ નિષ્પન્ન થાય છે તે આ પ્રમાણે- નક્ષત્રનામ દેવનામ કુળનામ પાખંડનામ ગણનામ જીવિતહેતુનામ આભિપ્રાયિકનામ. (240-24 નક્ષત્રનામ-નક્ષત્રના આધારે જે નામ રાખવામાં આવે છે. તેનું સ્વરૂપ કેવું છે ? “કૃતિકા' નામના નક્ષત્રમાં જન્મેલાઓના નામ કૃત્તિક કૃત્તિકાદા, કૃત્તિકાધમ કૃત્તિકાશમાં કૃત્તિકાદેવ, કૃત્તિકાદાસ, કૃત્તિકાસન, કૃત્તિકારક્ષિત, એવા નામ રાખવા, રોહિણી નક્ષત્રમાં જન્મેલાઓના નામ- રોહિણેય, રોહિણીદત્ત, રોહિણધર્મ રૌહિણીશમ, રોહિણીદેવરોહિણીદાસ. રોહિણીસેન રોહિણીરક્ષિત. વગેરે નામ રાખવામાં આવે છે. આ પ્રમાણે બીજા નક્ષત્રોપરથી પણ નામો રાખવામાં આવે છે તે આ પ્રમાણે જ જાણવા જોઈએ. નક્ષત્રોના નામ ત્રણ સંગ્રહણી ગાથાઓ વહે આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે- કૃત્તિકા રોહિણી, મૃગશિર, આદ્ર પુનર્વસુ પુષ્ય આશ્લેષા, મઘા પૂર્વાફાલ્ગની ઉત્તરાફાલ્ગની હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા, અનુરાધા જ્યેષ્ઠા મૂલા પૂર્વષાઢા ઉત્તરાષાઢા અભિજિત શ્રવણ ધનિષ્ઠા શતભિષા ઉત્તરાભાદ્રપદ પૂર્વાભાદ્રપદ રેવતી અશ્વિની ભરણી. આ નક્ષત્રની પરિપાટી છે. આ 28 નક્ષત્ર અગ્નિ વગેરે 28 દેવતાઓથી અધિષ્ઠિત છે. આથી ઘણીવાર કોઈ નક્ષત્રમાં જન્મેલ વ્યક્તિનું નામ તે નક્ષત્રના અધિષ્ઠાયક દેવના નામ પરથી રાખવામાં આવે છે. [24-24] આ દેવતાઓના આધારે જે નામ સ્થાપિત કરવામાં આવે છે તે કેવા હોયછે? અગ્નિદેવતાના અધિષ્ઠિત નક્ષત્રમાં જન્મેલાઓના નામ-આનિક, અગ્નિદત્ત, અગ્નિશમ, અગ્નિધર્મ, અગ્નિદેવ, અગ્નિદાસ, અગ્નિસેન, અગ્નિ રક્ષિત, આજ પ્રમાણે બીજા સર્વ દેવતાઓના આધારે પણ નામ પાડવામાં આવે છે. દેવતાઓના નામ બે સંગ્રહણી ગાથા વડે જણાવ્યા છે. અગ્નિ પ્રજાપતિ સોમ રુદ્ર અદિતિ બૃહસ્પતિ સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org