SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 331 સુત્ર-૧૫૦ વિશેષિત નામો કહેવાય. જો પુદ્ગલાસ્તિકાયને પણ અવિશેષિત નામ માનવામાં આવે તો પુદ્ગલપરમાણુ, ક્રિપ્રદેશિક, ત્રિપ્રર્દેશિક થાવત્ અનંતપ્રદેશિકંધ આ નામો વિશેષિત કહેવાય. આ પ્રકારનું દ્રિનામનું સ્વરૂપ છે. [151] ત્રિનામનું-ત્રણ રૂપવાળા નામનું સ્વરૂપ કેવું છે? ત્રિનામના ત્રણ ભેદો છે. તે આ પ્રમાણે દ્રવ્યનામ ગુણનામ અને પર્યાયનામ. દ્રવ્યનામનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યનામ છ પ્રકારનું છે. જેમકે- ધમસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય જીવાસ્તિકાય પગલાસ્તિકાય અને અદ્ધાકાળ. ગુણનામનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યને આશ્રિત અને સહભાવી વિશેષને ગુણ કહે છે. તે ગુણનામના પાંચ પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકે- વર્ણનામ ગંધનામ રસનામ સ્પર્શનામ અને સંસ્થાનનામ. વર્ણનામનું સ્વરૂપ કેવું છે ? વર્ણનામનાં પાંચ ભેદો છે. જેમકે- કૃષ્ણવર્ણનામ નીલવર્ણનામ રક્તવર્ણનામ પીતવર્ણનામ અનએ શુકલવર્ણનામ. આ વર્ણ નામનું સ્વરૂપ છે. ગંધનામનું સ્વરૂપ કેવું છે? તેના બે પ્રકાર કહ્યા છે. જેમકે- સુરભિગંધ અને દુરભિગંધ. આ ગંધ નામનું સ્વરૂપ છે. રસનામનું સ્વરૂપ કેવું છે? તેના પાંચ પ્રકારો છે. જેમકે- (1) તીખો રસનામ (2) કડવો રસનામ (3) તુરો રસનામ (4) ખાટો રસનામ અને (5) મધુર રસનામ. આ રસ નામનું સ્વરૂપ છે. સ્પર્શનામનું સ્વરૂપ કેવું છે ? સ્પર્શનામના આઠ પ્રકાર પ્રરૂપ્યા છે. કર્કશસ્પર્શનામ કોમળસ્પર્શનામ ગુરપ્પનિામ લઘુસ્પર્શનામ શીતસ્પર્શનામ ઉષ્ણસ્પર્શનામ સ્નિગ્ધસ્પર્શનામ અને રૂક્ષસ્પર્શનામ. આ સ્પર્શ નામનું સ્વરૂપ છે. સંસ્થાનનામનું સ્વરૂપ કેવું છે? સંસ્થાનનામના પાંચ પ્રકારો કહ્યા છે. પરિમંડલસંસ્થાનનામ વૃત્તસંસ્થાનનામ વ્યસંસ્થાનનામ ચતુરસ્ત્રસંસ્થાનનામ આપતસંસ્થાનનામ. આ સંસ્થાનનામનું સ્વરૂપ છે. આ પ્રમાણે ગુણનામનું સ્વરૂપ જાણવું. પયરિનામનું સ્વરૂપ કેવું છે? દ્રવ્ય અને ગુણની ભિન્ન ભિન્ન અવસ્થાઓ પયય કહેવાય. તેના અનેક પ્રકારો હોય છે. જેમકે એક ગુણ કાળક, દ્વિગુણકાળક, ત્રિગુણ કાળક યાવત્ દસગુણકાળક, સંખ્યાતગુણકાળક,અસંખ્યાતગુણકાળક, અનંતગુણકાળક. નીલ, રક્ત, પીત, અને શુકલવર્ણની પર્યાયોના નામો પણ એમ જ સમજવા જોઇએ. એકગુણ સુરભિગંધ, દ્વિગુણસુરભિગંધ. ત્રિગુણસુરભિગંધ યથાવતુ અનંતગુણસુરભિગંધ, તે પ્રમાણે દુરભિગંધનામવિષે પણ કહેવું. એકગુણતીખો યાવતું અનંતગુણતીખો. તે પ્રમાણે કડવો, કસાયેલ, ખાટો, અને મધુરરસ વિષે કહેવું. એક ગુણ કર્કશ યાવતું અનંતગુણકર્કશ. તે પ્રમાણે મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સિધ્ધ અને રૂક્ષસ્પર્શ માટે પણ કહેવું. આવું પનામનું સ્વરૂપ છે. [15-158] ત્રિનામનું બીજા પ્રકારે કથન કરતાં સૂત્રકાર કહે છે. ત્રિનામના ત્રણ પ્રકાર છે. જેમકે સ્ત્રીનામ, પુરુષનામ અને નપુંસનામ, આ ત્રણે પ્રકારના નામોની તેમના અંત્યાક્ષરો દ્વારા પ્રરૂણા કરાય છે. પુરુષનામોને અંતે આ, ઈ, ઊ ક ઓ, આ. ચારમાંથી કોઈ એક વર્ણ હોય છે. સ્ત્રીનામોને અંતે “ઓ સિવાય ત્રણ (આ, ઈ, ઊં) વર્ણ હોય છે અને જે શબ્દોને અંતે એ, ઈ, કે ઉં હોય તેને નપુંસકલિંગના સમજવા. હવે ત્રણેય લિંગના ઉદાહરણો આપવામાં આવે છે. પુરુષનામના આકારાન્તનું ઉદ્ધહરણ “રાયા છે. કારત્તનું ગિરી’ તથા શિખરી છે. ઊકારાન્તનું ‘વિ છે. ઓકારાન્તનું ‘દુમો’ માલા' આ પદ આકારાન્ત નારીજાતિનું છે. ઇકારાન્તનું શ્રી લક્ષ્મી ઊંકારાન્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005109
Book TitleAgam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy