________________ અનુઓ દારાઈ -(11). આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્યક છે. દ્રવ્યાનુપૂર્વીની જેમ ક્ષેત્રાનુપૂર્વીના. પણ 26 ભાંગા કહેવા જોઈએ. આ પ્રમાણે ભંગસમુત્કીર્તનતાનું વર્ણન પૂર્ણ થયું. નૈગમવ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે ? નૈગમ-વ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતા દ્વારા ભંગોપદર્શનતા કરાય છે. નૈગમ-વ્યવહારનયસંમત ભંગો પદર્શનતાનિર્દિષ્ટ ભંગોના અર્થના કથનનું સ્વરૂપ કેવું છે? ત્રણ અાકાશપ્રદેશાવગાહી ચણકાદિ કંધ “આનુપૂવ' આ શબ્દના વાચ્યાર્થ રૂપ છે એટલે આનુપૂવી કહેવાય છે. એક આકાશપ્રદેશાવગાહી પરમાણુ-સંઘાત હોય કે સ્કંધોનો સમૂહ હોય તે અનાનુપૂર્વી કહેવાય છે. બે આકાશપ્રદેશાવગાહી દ્વયણકાદિસ્કંધ ક્ષેત્રાપેક્ષા અવકતવ્યક કહેવાય છે. ત્રણ આકાશપ્રદેશાવાહી ઘણા સ્કંધો આનુપૂર્વીઓ આ બહુવચનાન્ત પદના વાચ્યાર્થરૂપ વિવક્ષિત છે. એક આકાશપ્રદેશાવગાહી ઘણા પરમાણુ-સંઘાતો “અનાનુપૂર્વીઓ' આ પદના વાચ્યાર્થરૂપ છે. દ્વિઅાકાશપ્રદેશાવ ગાહી ઘણા સ્કંધો “અવકતવ્યકો' આ પદના વાચ્ય છે. અથવા ત્રિપ્રદેશાવગાઢસ્કંધ અને એક પ્રદેશાવગાઢસ્કંધ એક આનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે. દ્રવ્યાનુપૂર્વીના પાઠની જેમ 26 ભંગ અહીં પણ સમજી લેવા જોઇએ. આ પ્રકારનું નૈગમવ્યવહારનયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ છે. સમવતારનું સ્વરૂપ કેવું છે ? નૈગમવ્યવહારનવસંમત આનુપૂર્વીદ્રવ્યોનો સમાવેશ ક્યાં થાય છે ? શું આનુપૂર્વી દ્રવ્યોમાં સમાવેશ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યોમાં કે અવકતવ્યકદ્રવ્યોમાં સમાવેશ થાય છે ? આનુપૂર્વીદ્રવ્યો આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે પરંતુ અનાનુપૂર્વી અને અવકતવ્યકદ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી. તે રીતે ત્રણે સ્વ-સ્વસ્થાનમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રકારનું સમવતારનું સ્વરૂપ છે. અનુગમનું સ્વરૂપ કેવું છે? અનુગમના નવ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે સાદપ્રરૂપણતા યાવત્ અલ્પ-બહુત્વ. [11] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો છે કે નહીં? નિયમથી છે, આ કથન અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્યો માટે પણ સમજવું નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે? આનુપૂર્વીદ્રવ્યો સંખ્યાત નથી, અનંત નથી પરંતુ અસંખ્યાત છે. આ પ્રકારનું કથન અનાનુપૂર્વી અને અવકતવ્યદ્રવ્ય માટે પણ સમજવું. નૈગમ-વ્યવહારનયસંમત ક્ષેત્રાનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાતભાગમાં છે કે અસંખ્યાતમાં ભાગમાં છે? કે વાવતુ સમસ્ત લોકમાં છે? એક દ્રવ્યની અપેક્ષાએ આનુપૂવદ્રવ્ય લોકના સંખ્યાતમાભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતભાગો, અને અસંખ્યાત બાગોમાં અને અમુક દેશોના લોકમાં પણ રહે છે. વિવિધ દ્રવ્યોની. અપેક્ષાએ નિયમથી સર્વવોકવ્યાપી છે, નૈગમ-વ્યવહારનયસંમત અનાનુ- પૂર્વીદ્રવ્યના પ્રશ્નના વિષયમાં સમજવું જોઈએ કે એક દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યામાં ભાગમાં. સંખ્યામાં ભાગોમાં અસંખ્યાત ભાગોમાં કે સમસ્ત લોકને અવગાહીને રહેલ નથી પરંતુ લોકના અસંખ્યાતમા ભાગને અવગાહીને રહેલ છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ નિયમથી સર્વલોકમાં અવગાહીને રહેલ છે. અવકતવ્યદ્રવ્ય માટે પણ એમજ સમજી લેવું. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂવદ્રવ્યો શું સંખ્યાતમા ભાગને સ્પર્શે છે કે અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે કે સંખ્યામા ભાગોને કે અસંખ્યાતમા ભાગોને કે સર્વલોકને સ્પર્શે છે? એક દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યામાં ભાગને, અસંખ્યાતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org