SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સર-૯૨ 355 આનુપૂર્વઆદિ દ્રવ્યો કયા ભાવમાં છે. અબ્બહુત્વ. [2] પ્રશ્ન-નૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ આનુપૂર્વદ્રવ્યો છે કે નથી? અવશ્ય છે. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો છે કે નથી ? અવશ્ય છે. નૈગમવ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્યો છે કે નથી? અવશ્ય છે. આ પ્રથમ ભેદ છે. [7] નૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ આનુપૂર્વદ્રવ્યો શું સંખ્યાત છે ? અસંખ્યાત છે ? અથવા અનંત છે? સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. આ પ્રમાણે અનાનુપૂર્વી દ્રવ્યો અને અવકતવ્યદ્રવ્યો પણ અનંત જાણવા. આ બીજો ભેદ. [9] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વદ્રવ્યો શું લોકના સંખ્યામાં ભાગમાં અવગાઢ છે? અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ છે? કે સંખ્યાતભાગોમાં અવગાઢ છે કે અસંખ્યાત ભાગોમાં અવગાઢ છે ? કે સમસ્ત લોકમાં અવગાઢ છે? એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યામાં ભાગમાં અવગાઢ હોય છે. કોઈ લોકના અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ હોય છે. સંખ્યાત ભાગોમાં અવગાઢ હોયછે. અસંખ્યાત ભાગોમાં અવગાઢ હોય છે અથવા સમસ્ત લોકમાં અવગાઢ હોય છે. અનેક આનુપૂર્વીદ્રવ્યોની અપેક્ષાએ તે સમસ્ત લોકમાં અવગાઢ છે. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાત ભાગમાં અવગાઢછે યાવતુ સમસ્ત લોકમાં અવગાઢછે ? એક અનાનુપૂવદ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યામાં ભાગમાં અવગાઢ નથી. અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ છે, સંખ્યાત ભાગોમાં અવગાઢ નથી, અસંખ્યાત ભાગોમાં કે સમસ્ત લોકમાં અવગાઢ નથી. અનેક અનાનુપૂર્વદ્રવ્યો નિયમથી. સમસ્ત લોકમાં અવગાઢ છે. આ પ્રમાણે જ અવકતવ્ય દ્રવ્યના વિષયમાં સમજવું. | [5] નૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ આનુપૂર્વીદ્રવ્યો શું લોકના સંખ્યાતમા. ભાગને સ્પર્શે છે ? અસંખ્યાતમાં ભાગને સ્પર્શે છે ? સંખ્યામાં ભાગોને સ્પર્શે છે, અસંખ્યાતમા ભાગોને સ્પર્શે છે? કે સમસ્ત લોકને સ્પર્શે છે? એક-એક આનુપૂર્વીદ્રવ્ય લોકના સંખ્યામાં ભાગને સ્પર્શે છે યાવતુ સમસ્ત લોકને સ્પર્શે છે, અનેક આનુપૂર્વીદ્રવ્યો નિયમથી સમસ્ત લોકને સ્પર્શે છે. નૈગમ-વ્યવહારનયની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્યો શું લોકના સંખ્યામાં ભાગને સ્પર્શે છે યાવતુ સમસ્ત લોકને સ્પશેછે? એક-એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ લોકના સંખ્યાતમાં ભાગને સ્પર્શતું નથી પણ અસંખ્યાતમાં ભાગને સ્પર્શે છે,સંખ્યાત ભાગોને અસંખ્યાત ભાગોને કે સર્વલોકને સ્પર્શતું નથી. અનેક અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ તે નિશ્ચયથી સમસ્તલોકને સ્પર્શ છે. અવકતવ્યદ્રવ્યોની સ્પના પણ આજ પ્રમાણે સમજવી જોઈએ. [9] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો કાળની અપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે? એક આનુપૂર્વીદ્રવ્ય જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી તે સ્વરૂપે રહે છે. વિવિધ આનુપૂર્વીદ્રવ્યોની અપેક્ષાએ નિશ્ચયથી સર્વકાળમાં હોય છે, અનાનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્યોની સ્થિતિ પણ ઉપર પ્રમાણે એટલે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની સમજવી. [97] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વી દ્રવ્યનું વ્યવધાનવિરહકાળ કાળની અપેક્ષાએ કેટલું હોય છે? એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર હોય છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ વિરહકાળ થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005109
Book TitleAgam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy