SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ 390 અનુગદાસઈ-(૩૪૦) સદ્ભત્વ અને શ્રુત સામાયિકની સ્થિતિ 66 સાગરથી કંઈક અધિક, ચારિત્રસામાયિકની સ્થિતિ દેશઉણ કોડ પૂર્વની છે. સામાયિક કેટલી ? સમ્યકત્વને શ્રુતસામાયિકની અપેક્ષાએ અસંખ્યાત, સર્વવિરતિ આશ્રીને પૃથફત્વસહસ્ત્ર, દેશવિરતિઆશ્રી અસંખ્યાત. અંતર કેટલું પડે ? એક જીવ આશ્રી જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અધપુદ્ગલપરાવર્તન. વિરહ - સર્વજીવઆશ્રી વિરહ નથી. સામાયિકના કેટલા ભવ ? આરાધકઆશ્રીને જધન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ. આકર્ષ - સમ્યકત્વ અસંખ્યાતવાર આવે. એક ભવ આશ્રીને સામાચિકચારિત્ર પૃથકત્વ હજાર વાર આવે. સામાયિક કેટલા ક્ષેત્રને સ્પર્શે. એક જીવ આશ્રિત સંખ્યાનમાં ભાગને. નિરુક્તિ * સમ્યક પ્રકાર યુતિ પદરૂપ લાભની પ્રાપ્તિ થાય તે સામાયિકની નિયુક્તિ. આ ઉપોદ્દાત નિયુક્ત અનુગામનું કથન થયું. " [340-342 ] સૂત્રસ્પર્શિક નિયુક્તિ શું છે? સૂત્રનો સ્પર્શ કરનાર નિયુકિત તે સૂત્રસ્પર્શિક નિયુક્તિ છે. સૂત્રના ઉચારણ કરવાની વિધિ- સૂત્રનું ઉચ્ચારણ અસ્મલિત, અમીલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણઘોષ યુકત, કઠોષ્ઠ વિપ્રમુક્ત, તથા ગુરુવાચનોપગત હોય. આ પ્રકારે સર્વ દોષોથી રહિત સૂત્રનો ઉચ્ચાર કરવાથી જણાશે કે આ સ્વસમયનું પદ છે, આ પરસમયપદ છે કે બંધાદ છે કે મોક્ષપદ છે. આ સામાયિકપદ છે અથવા નોસામાયિક પદ છે. આ ઉપરાંત સૂત્રના વિધિપૂર્વક નિર્દોષ ઉચ્ચારણથી જ કેટલાક સાધુ ભગવંતોને અર્થનો બોધ થઈ જાય છે અને ક્ષયોપશમની વિચિત્રતાથી કેટલાક અથધિકારો અનધિગત અધિકારોનો અધિગમ થાય સંહિતા - અસ્મલિતરૂપથી મૂળ પાઠનું ઉચ્ચારણ કરવું પદ - મૂળ પાઠમાં આવેલા પદોને અલગ કરવા. પદવિગ્રહ પ્રકૃતિ - પ્રયત્ન આદિ દેખાડી અર્થ કહેવો. ચાલના - સૂત્રની અથવા અર્થની અનુપપત્તિનું ઉભાવન કરવું - પ્રસિદ્ધિ -સમાધાન. સૂત્ર અને તેના અર્થની યુકિતઓ વડે સ્થાપના કરવી. આ છ પ્રકારોથી સૂત્રની વ્યાખ્યા થાય છે. આ પ્રમાણે સૂત્રસ્પર્શિકાનિયુક્તિ અનુગમનું વર્ણન પૂર્ણ થયું. [343-348] નય શું છે? મૂળ નયો સાત છે, નૈગમન સંગ્રહન વ્યવહારનય ઋજુસૂત્રનય શબ્દનય સમભિરૂઢનય અને એવંભૂતનય નૈગમન -મહાસત્તા, સામાન્ય તેમજ વિશેષ આદિ અનેક પ્રકારોથી વસ્તુનો પરિચ્છેદ કરનાર નૈગમનાય છે. હવે બાકીના છ નયના લક્ષણો કહું છું. સમ્યક્ ગૃહીત અતએ એક જાતિનું પ્રાપ્ત એવો અર્થ જેનો વિષય છે એવું સંગ્રહનાનું વચન છે. તાત્પર્ય આ છે કે સંગ્રહનયનો વિષય સામાન્ય જ છે વિશેષ નહિ, જેમકે આત્મા એક છે. વ્યવહાર સર્વ દ્રવ્યોના વિષયમાં વિનિશ્ચય નિમિત્તે પ્રવૃત્ત થાય છે, જેમકે પાંચ વર્ષના વસ્ત્રમાં રક્તવર્ણ અધિક હોય તો લોકવ્યવહારમાં રકતવસ્ત્ર કહે. જુસૂત્રનવિધિ પ્રત્યુત્પન્નગ્રાહી હોય છે. તે વર્તમાનકાળને જ માને છે. અતીત અનાગતને સ્વીકારતો નથી. ઋજુત્રનયની. અપેક્ષાએ શબ્દનય સૂક્ષ્મ વિષયવાળો છે. શબ્દનો વિષય જો કે વર્તમાનકાળવર્તી પદાર્થ જ છે પરંતુ તે લિંગ, કારક, વચન આદિના ભેદથી વાચ્યાર્થમાં પણ ભેદ માને છે. સમભિરૂઢનય ઈન્દ્રાન્ટિ વસ્તુનું અન્યત્ર શક્રાદિમાં સંક્રમણને અવસ્તુનું - અવાસ્તવિક માને છે. અર્થાત ભેદ વ્યુત્પત્તિના ભેદથી શબ્દના અર્થમાં ભેદ માને છે. એવંભૂતનય વ્યંજન - શબ્દ અને તદુભયને વિશેષ રૂપે સ્થાપિત કરે છે. તાત્પર્ય એ છે કે જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005109
Book TitleAgam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy