SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ 139 ગાથા -દદ૯ સાધુ નિમિત્તે ધોવાનું થતું નથી. માટે સાધુને લેવું કલ્પી શકે. [669-670] ગૃહસ્થ આહારાદિ વહોરાવતો જમીન ઉપર છાંટા પાડે તે છર્દેિતદોશવાળો આહાર કહેવાય. તેમાં સચિત્ત, અચિત્ત અને મીશ્રની ત્રણ ચતુર્ભાગી થાય છે. તે પૃથ્વી કાયાદિ છની સાથે ભાંગ કરતાં કુલ 432 ભાંગા થાય છે. પહેલી ચતુભગી સચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય, મિશ્ર વસ્તુ સચિત્તમાં વેરાય, સચિત્ત વસ્તુ મિકમાં વેરાય, મિશ્ર વસ્તુ મિશ્રમાં વેરાય. બીજી ચતુર્ભાગી સચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય, અચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય, સચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય, અચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય ત્રીજી ચતુર્ભાગી મિશ્ર વસ્તુ મિશ્રમાં વેરાય, અચિત્ત વસ્તુ મિશ્રમાં વેરાય, મિશ્ર વસ્તુ અચિત્તમાં વેરાય, અચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય. સચિત્ત પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના 36 ભાંગા મિશ્ર પૃથ્વી કાયાદિમાં સચિત્ત પૃથ્વિકાયાદિના 36 ભાંગા ચિત્ત પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના 36 ભાંગા મિશ્ર પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના 36 ભાંગા કુલ 144 ત્રણ ચતુર્ભગીના 432 ભાંગા થાય. કોઇ પણ ભાંગામાં સાધુને ભિક્ષા લેવી કહ્યું નહિ. જો છર્દિત દોષવાળી ભિક્ષા ગ્રહણ કરે તો-૧ આજ્ઞાભંગ, 2 અનવસ્થા, 3 મિથ્યાત્ત્વ, 4 સંયમ વિરાધના, 5 આત્મવિરાધના, 6 પ્રવચન વિરાધના આદિ દોષો લાગે. એ જ રીતે ઉદેશિકદિ દોષવાળી ભિક્ષા લેવામાં પણ મિથ્યાત્ત્વાદિ દોષો લાગે તે સમજી લેવું. ગવેયણાના અને ગ્રહણએષણાના દોષો જણાવ્યા. હવે ગ્રાસ એષણાના દોષો [71-676] ગ્રાસએષણાના ચાર નિક્ષેપ છે-૧ નામ ગ્રાસએષણા, ર સ્થાપના ગ્રાસએષણા, 3 દ્રવ્ય ગ્રાસએષણા, 4 ભાવ ગ્રાસએષણા. દ્રવ્ય ગ્રાસ એષણામાં મત્સ્યનું ઉદાહરણ, ભાવ ગ્રાસએષણા પાંચ પ્રકારે છે- નામ ગ્રાસએષણા-ગ્રાસએષણા એવું કોઇનું નામ હોય છે. સ્થાપના શાસએષણા-ગ્રાસએષણાની કોઈ આકૃતિ કરી હોય તે. દ્રવ્ય ગ્રાસએષણા-ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત કે મિશ્ર. ભાવ ગ્રાસએષણા-બે પ્રકારે. આગમભાવગ્રાસએષણા. નોઆગમભાવ ગ્રાસએષણા. આગમભાવ ગ્રાસએષણાગ્રાસ એષણાને જાણનાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમભાવ રાસએષણા-બે પ્રકારે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્તસંયોજનાદિ પાંચ દોષથી રહિત આહાર વાપરવો. અપ્રશસ્ત-સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણદોષવાળો આહાર વાપરવો. કોઈ એક માછીમાર માછલાં પકડવા માટે સરોવર ઉપર ગયો. ત્યાં જઈને કાંટામાં ગલમાંસનો ટુકડો ભરાવીને સરોવરમાં નાખ્યો. તે સરોવરમાં બુદ્ધિશાળી અને હોંશી.આર એક વૃદ્ધ માછલું રહેતું હતું. તે માછલું માંસની ગંધથી ત્યાં આવ્યું અને સાચવીને કાંટાની આજુબાજુ માંસ ખાઈ ગયું અને પછી પૂંછડાથી કાંટો હલાવીને આવું જતું રહ્યું. માછીમાર સમજ્યો કે “માછલું પકડાયું છે એટલે કાંટો બહાર કાઢ્યો અને જોયું તો માછલું ન હતું અને માંસ પણ હતું નહિ. આ પ્રમાણે ત્રણવાર થયું. ત્રણ વાર તે માછલું માંસ ખાઈ ગયું. માછીમાર વિચારમાં પડ્યો કે આમ કેમ થાય છે? ત્યાં તો માછલો બોલી ઉઠ્યો કે હે માછીમાર ! તું શું વિચાર કરે છે? મારું પરાક્રમ સાંભળ. એકવાર હું પ્રમાદમાં હતો, ત્યાં એક બગલાએ મને પકડ્યો. બગલો ભક્ષ ઉછાળીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy