SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા- 54 137 ગણાય અને લીધા પછી લેનારની સત્તાનું ગણાય. આપનારથી ભાવ અપરિણત-જે અશનાદિના બે અથવા વધારેના સંબંધીનું હોય અને તેમાંથી એક આપતો હોય અને બીજાની ઈચ્છા ન હોય તે. લેનારથી ભાવ અપરિણત-જે અશનાદિ લેતી વખતે સંઘાટ્ટક સાધુમાંથી એક સાધુને અચિત્ત કે શુદ્ધ લાગતું હોય અને બીજા સાધુને અચિત્ત કે અશુદ્ધ લાગતું હોય તે. (પ્રશ્ન) સાધારણ અનિસૃષ્ટિ અને આપનારથી ભાવ અપરિણતમાં શો ફરક છે ? અનિસૃષ્ટમાં બધા માલિક ત્યાં હાજર ન હોય ત્યારે તે સાધારણ અનિવૃષ્ટ કહેવાય અને આપનાર ભાવ અપરિણતમાં માલિકો ત્યાં હાજર હોય. આટલો તફાવત છે. ભાવથી અપરિણત ભિક્ષા લેવી કહ્યું નહિ. કેમકે તેમાં કલહ આદિ દોષોનો સંભવ છે. દાતાના વિષયવાળું ભાવ અપરિણત તે ભાઈઓ અને સ્વામી સંબંધી છે, જ્યારે ગ્રહણ કરનાર વિષયવાળું ભાવ અપરિણત સાધુ સંબંધી છે. ૬પપ-૬૬૮] લિપ્ત એટલે જે અશનાદિથી હાથ, પાત્ર આદિ ખરડાય, જેવાં કે દહીં, દૂધ, દાળ આદિ વગેરે દ્રવ્યો લિપ્ત કહેવાય છે. શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં દહીં, દૂધ, ઘી વગેરે લેપવાળા દ્રવ્યો સાધુને લેવા કહ્યું નહિ. કેમકે ખરડાયેલા હાથ, વાસણ વગેરે ધોવામાં પશ્ચાત્કર્મ વગેરે દોષો લાગે છે, તથા રસની વૃદ્ધિ-આસક્તિપણે થવાનો સંભવ છે. ખરડાયેલા હાથ, ખરડાયેલું ભાજન, સવિશેષ (બાકી રહેલું) દ્રવ્યના. આઠ ભાંગા થાય છે, અલેપવાળું લેવામાં દોષ ન લાગે. અપવાદ લેપવાળું લેવું કહ્યું. | ‘લેપવાળું દહીં આદિ ગ્રહણ કરવામાં પશાત્કર્મ આદિ દોષો થાય, માટે સાધુએ તેવું લેપવાળું દ્રવ્ય ગ્રહણ ન કરવું.' એમ આપે કહ્યું તો પછી સાધુએ ભોજન કરવું જ નહિ, અર્થાત્ રોજ ઉપવાસ કરવા જેથી પશ્ચાત્કર્મ દોષ ન લાગે. ભિક્ષા લેવા માટે જવા આવવાનું કષ્ટ ન થાય. રસની આસક્તિ વગેરે કોઈ દો લાગે નહિ. રોજ તપ કરે. આહાર કરવાનું શું પ્રયોજન ? હે મહાનુભાવ ! જીંદગી સુધીનો ઉપવાસ કરવાથી ચિરકાલ સુધી થનારા તપ, સંયમ, નિયમ વૈયાવચ્ચ આદિની હાનિ થાય, માટે જીંદગી સુધી તપ કરવો યોગ્ય નથી-તપ ન કરી શકાય. જીંદગી સુધીનો તપ ન કરે તો ઉત્કૃષ્ટ છ મહિનાના ઉપવાસ તો કહ્યા છે ને? તો છ મહિનાના ઉપવાસ કરે, પારણે લેપ વિનાનું વાપરે, પાછા છ મહિનાના ઉપવાસ કરે. જો છ છ મહિનાના ઉપવાસ કરવાની શક્તિ હોય તો ખુશીથી કરે. એમાં નિષેધ નથી. જો છ મહિનાનો તપ ન કરી શકે તો એક એક દિવસ ઓછો કરતાં યાવતુ ઉપવાસના પારણે આયંબીલ કર્યા કરે. આમ કરવાથી અલેપકૃત પ્રહણ થઈ શકે અને નિવહિ પણ થઈ શકે, ઉપવાસ પણ ન કરી શકે તો રોજ આયંબીલ કરે. જો તેવી શક્તિ પહોંચતી હોય અને તેથી તે કાળમાં અને ભાવિકાળમાં આવશ્યક એવા પડિલેહણ, વૈિયાવચ્ચ આદિ સંયમયોગોમાં હાનિ થાય એમ ન હોય તો ભલે તેવો તપ કરે,. ઉપવાસની શક્તિ ન હોય અને રોજ આયંબીલ કરવાની શક્તિ હોય તો રોજ આયંબીલ કરે. પરંતુ વર્તમાન કાળમાં શરીરનું છેવä સંઘયણ છે, તેથી એવી શારીરિક શક્તિ નથી કે તેવો તપ કરી શકે. માટે શ્રી તીર્થકર ભગવંતો અને શ્રી ગણધર ભગવંતોએ એવો. ઉપદેશ આપ્યો નથી. આપ કહો છો કે “છેવટ્ટે સંઘયણ હોવાથી તેવો તપ નિરંતર ન કરી શકે. તો પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy