SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - 646 135 થાય, ચૂલો સળગાવતી હોય તો તેઉકાયનો આરંભ થાય, પંખો નાખતી હોય કે બસ્તીમાં પવન ભરતી હોય તો વાયુકાયનો આરંભ થાય, શાક સમારતી હોય તો વનસ્પતિકાયનો આરંભ થાય, મસ્યાદિ છેદન કરતી હોય તો ત્રસકાયનો આરંભ થાય. આ રીતે આરંભ કરનાર ભિક્ષા આપતા હોય તો તેમની પાસેથી ભિક્ષા લેવી કશે નહિ. લિખહસ્ત-દહીં આદિથી ખરડાએલ હાથ હોય તો તેની પાસેથી ભિક્ષા લેવી કલ્પ નહિ. હાથ ખરડાએલ હોય તો હાથ ઉપર જીવજંતુ લાગેલા હોય તે તેની વિરાધના થાય માટે કહ્યું નહિ. લિખમાત્ર દહીં આદિથી ખરડાયેલ વાસણથી આપે તો લેવું ન કલ્પે. ઉદ્ધતી-મોટું, ભારે કે ગરમ વાસણ આદિ ઉપાડીને ભિક્ષા આપે તો લેવી કહ્યું નહિ. મોટું વાસણ વારંવાર ફેરવવામાં ન આવે એટલે તે વાસણની નીચે મંકોડા, કીડી વગેરે આવીને રહ્યા હોય તો તે ઉપાડીને આપે તો પાછુ મૂકતા તેની નીચેના તે કીડા, મંકોડા હોય તે ચગદાઈ જાય. વાસણ ઉપાડતાં કીડી, મંકોડા આદિ હાથ નીચે દબાઈ જાય, ઉપાડતાં કષ્ટ પડે, દાઝે ઇત્યાદિ દોષો રહેલા છે. માટે મોટા વાસણ આદિ ઉપાડીને આપે તો તે ભિક્ષા લેવી કહ્યું નહિ. સાધારણ-ઘણાની માલિકીવાળી વસ્તુ બધાની રજા સિવાય આપતા હોય તે તે ભિક્ષા લેવી કહ્યું નહિ. દ્વેષ આદિ દોષો થાય, માટે ન કલ્પે. ચોરેલું-ચોરીછુપીથી અથવા ચોરેલું આપતા હોય તો તેવી ભિક્ષા લેવી ન કલ્પે. નોકર પુત્રવધ આદિએ. ચોરી છૂપીથી આપેલું સાધુ લે અને પાછળથી તેના માલિક કે સાસુ આદિને ખબર પડે તો તેને મારે, બાંધે, ઠપકો આપે વગેરે દોષો થાય માટે તેવો. આહાર સાધુને લેવા કહ્યું નહિ. પ્રાભૃતિકા-લહાણી કરવા માટે એટલે બીજાને આપવા માટે મૂલ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલું હોય તે આપે તો સાધુને લેવું કહ્યું નહિ. પ્રત્યપાય-આહાર આપતાં આપનારને કે લેનારના શરીરે કોઈ અપાય-નુકશાન થાય એમ હોય તો લેવું કહ્યું નહિ. આ અપાય-ઉપર, નીચે અને તીર્જી એમ ત્રણ પ્રકારે. જેમકે ઉભા થવામાં માથા ઉપર ખીંટી, બારણું વાગે એમ હોય, નીચે જમીન ઉપર કાંટા, કાચ આદિ પડેલ હોય તો વાગવાનો સંભવ હોય, આજુ બાજુમાં ગાય, ભેંસ વગેરે હોય અને તે શીંગડું મારે એવો સંભવ હોય, અથવા ઉંચે છાપરામાં સર્પ આદિ લટકતા હોય તે ઉભા થતાં કરડે એમ હોય તો સાધુએ ભિક્ષા લેવી કહ્યું નહિ. અન્ય ઉદેશ-કાપત્રિકાદિ ભિક્ષાચરો વગેરેને આપવા માટે અથવા બલિ આદિને માટે રાખેલો આહાર સાધુને લેવો કહ્યું નહિ. આવો આહાર ગ્રહણ કરવામાં અદત્તાદાનનો દોષ લાગે. કેમકે તે આહાર તે કાર્પેટિકદિને માટે કલ્પેલો છે. વળી ગ્લાના આદિ સાધુને ઉદ્દેશીને આહાર આપ્યો હોય તે ગ્લાન આદિ સિવાય બીજાને વાપરવો. કહ્યું નહિ, પરંતુ જો એમ કહ્યું હોય કે તે ગ્લાન આદિ ન વાપરે તો બીજા ગમે તે વાપરજો.' તો તે આહાર બીજાને વાપરવા કહ્યું. તે સિવાય કહ્યું નહિ. આભોગ-સાધુને ન કલ્પે તેવી વસ્તુ જાણી જોઈને આપે તો તે લેવી કલો નહિ. કોઈને એમ વિચાર આવે કે મહાનુભાવ સાધુઓ હંમેશાં લુખ, સુક પાકુ ભિક્ષામાં જે મળે તે વાપરે છે, તો ઘેબર આદિ બનાવીને આપું કે જેથી તેમના શરીરને ટેકો મળે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy