SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 132 પિંડનિજજુત્તિ-(૬૪૩) પણ લાળ પડે, તે જોઇને જુગુપ્સા થાય કે કેવી ગંદી ભિક્ષા લેનારા છે?” હાથ કંપતા હોય તેથી વસ્તુ ઢોળાઈ જાય કે નીચે વેરાય તેમાં છકાય જીવની વિરાધના થાય. વૃદ્ધ હોવાથી આપવા જતાં પોતે જ પડી જાય, તો જમીન ઉપર રહેલા જીવની વિરાધના થાય. કે વૃદ્ધના હાથ પગ આદિ ભાંગે કે ઉતરી જાય. વૃદ્ધ જે ઘરનો નાયક ન હોય તો ઘરના માણસોને તેના ઉપર દ્વેષ થાય કે આ છોકરો બધુ આપી દે છે. કાંતો સાધુ ઉપર દ્વેષ કરે કે બને ઉપર દ્વેષ કરે. અપવાદ-વૃદ્ધ હોવા છતાં મોંમાંથી લાળ પડતી ન હોય, શરીર કંપતું ન હોય. શક્તિશાળી હોય, ઘરનો માલિક હોય, તો તેનું આપેલું લેવું કલ્પી શકે. મતદારૂ વગેરે પીધેલો હોય, તો તેની પાસેથી ભિક્ષા લેવી ન કલ્પે. દારૂ આદિ પીધેલો હોવાથી ભાન ન હોય, એટલે કચ સાધુને વળગી પડે, અથવા તો બકવાટ કરે કે “અરે ! મુંડીઆ ! કેમ અહીં આવ્યો છે?' એમ બોલતો મારવા પણ આવે, કે પાત્ર આદિ ફોડી નાખે કે પાત્રમાં થુંકે કે આપતાં આપતાં ધરૂનું વમન કરે. તેથી કપડાં, શરીર કે પાત્ર ઉલટીથી ખરડાય. આ જોઈ લોકો સાધુની નિંદા કરે કે આ લોકોને ધિક્કાર છે, કેવા અપવિત્ર છે કે આવા ઘરૂ પીધેલા પાસેથી પણ આવી ભિક્ષા ગ્રહણ કરે છે.” અપવાદ-જે તે શ્રાવક હોય, પરવશ ન હોય અથતિ ભાનમાં હોય અને આજુબાજુમાં લોકો ન હોય તો તે આપે તો લેવું કહ્યું. ઉન્મત્ત-મહાસંગ્રામ આદિમાં જય મેળવવાથી અભિમાનમાં આવી ગયેલો અથવા તો ભૂત આદિનો વળગાડ થયેલો હોય તેથી ઉન્મત્ત થયેલો હોય, તેની પાસેથી પણ ભિક્ષા લેવી કહ્યું નહિ. ઉન્મત્તમાં ઉપર મત્તમાં કહ્યા મુજબના વમનદોષ સિવાયના દોષો લાગે. અપવાદ-તે પવિત્ર હોય, ભદ્રક હોય અને શાંત હોય તો લેવું કહ્યું. વેપમાન-શરીર કંપતુ હોય તેની પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. શરીર કંપતુ હોવાથી તેના હાથે ભિક્ષા આપતાં વસ્તુ ઢોળાઈ જાય, કે પાત્રમાં નાખતા બહાર પડે, અથવા ભાજન આદિ હાથમાંથી નીચે પડી જાય તો. ભાજન તૂટી જાય, છકાય જીવની વિરાધના આદિ થાય માટે ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-શરીર કંપતું હોય, પણ તેના હાથ સ્થિર હોય કંપતા ન હોય તો કહ્યું. જવરિત-તાવ આવતો હોય તેની પાસેથી લેવું કહ્યું નહિ ઉપર મુજબના દોષો લાગે, ઉપરાંત તેનો તાવ કદાચ સાધુમાં સંક્રમે, લોકોમાં ઉફાહ થાય કે “આ કેવા આહાર લંપટ છે તાવવાળા પાસેથી ભિક્ષા લે છે.’ માટે તાવવાળા પાસેથી ભિક્ષા લેવી ન કલ્પ. અપવાદ-તાવ ઉતરી ગયો હોય-ભિક્ષા આપતી વખતે તાવ ન હોય તો કલ્પ.. અંધ-આંધળા પાસેથી ભિક્ષા લેવી ને કહ્યું. શાસનનો ઉદ્દાહ થાય કે “આ આંધળો આપી શકે એમ નથી છતાં આ પેટભરા સાધુઓ તેની પાસેથી ભિક્ષા ગ્રહણ કરે છે.” આંધળો દેખતો નહિ હોવાથી જમીન ઉપર રહેલા છ જવનિકાયની વિરાધના કરે, પત્થર આદિ વચમાં આવી જાય તો નીચે પડી જાય તો તેને વાગે, ભાજન ઉપાડ્યું હોય અને પડી જાય તો જીવોની વિરાધના થાય.. આપતાં બહાર પડી જાય વગેરે દોષો હોવાથી આંધળા પાસેથી ભિક્ષા લેવી કહ્યું નહિ. અપવાદ-શ્રાવક કે શ્રદ્ધાળું આંધળા પાસે તેના પુત્રાદિ હાથ પકડીને અપાવે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy