SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા -521 123 બની જાય.’ આમ વિચાર શ્રાવકે પધારો મહારાજ.’ સિંહ કેસરીયા લાડવાનો ભરેલો ડબો લઈને તેમની પાસે આવીને કહ્યું કે “લો મહારાજ સિંહકેસરીયા લાડવા. ગ્રહણ કરી મને લાભ આપો.” મુનિએ લાડવા ગ્રહણ કર્યા. પાત્રામાં સિંહકેસરીઆ લાડવા આવતાં તેમનું ચિત્ત સ્વસ્થ થઈ ગયું. શ્રાવકે મુનિને પૂછ્યું કે 'ભગવન્! આજે મેં પુરિમઢનું પચ્ચખાણ કર્યું છે, તો તે પુરૂં થયું કે નહિ ?' સુવ્રતમુનિએ સમય જોવા માટે આકાશ તરફ જોયું, તો આકાશમાં અનેક તારાઓનાં મંડળો જોયાં અને અધરાત્રી થયાનું જાણ્યું. અર્ધરાત્રી જાણતાં જ મુનિ વિચારમાં પડી ગયા. પોતાનો ચિત્તભ્રમ જાણ્યો. હા! મૂખ ! એવા મેં આજે શું કર્યું? અયોગ્ય આચારણ થઈ ગયું. ધિક્કાર છે મારા જીવતરને, લોભમાં અંધ બની જઈને દિવસ અને રાત્રી સુધી ભમ્યા કર્યું. આ શ્રાવક ઉપકારી કે સિંહકેસરીઆ લાડવા વહોરાવીને મારી આંખ ઉઘાડી. મુનિએ શ્રાવકને કહ્યું કે ભો! મહાશ્રાવક ! તમે સારૂં કર્યું. સિંહકેસરીઆ લાડવા આપીને પુરિમષ્ઠ પચ્ચકખાણનો સમય પૂછીને સંસારમાં ડૂબતાં મારો બચાવ કર્યો.' રાત્રે ગ્રહણ કરેલું હોવાથી પોતાના આત્માની નિંદા કરતા અને લાડને પરઠવતા શુક્લધ્યાનમાં ચઢ્યાં, ક્ષપકશ્રેણી માંડી લાડવાના ચૂરા કરતા આત્મા ઉપર લાગેલા ઘાતી કર્મોના પણ ચૂરા કરી નાંખ્યા. કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ રીતે લોભથી પણ ભિક્ષા લેવી કહ્યું નહિ. પિ૨૨-૫૩૧ સંસ્તવ એટલે પ્રશંસા. તે બે પ્રકારે છે-૧ સંબંધી સંતવ, 2 વચન સંસ્તવ. સંબંધી સંસ્તવ તે પરિરૂપ છે અને વખાણવારૂપ વચનો બોલવાં તે વચન સંતવ છે. સંબંધી સંસ્તવમાં પૂર્વ સંતવ અને પશ્ચાતુ સંસ્તવ. વચન સંસ્તવમાં પણ પૂર્વસંસ્તવ અને પશ્ચાત્ સંસ્તવ. સંબંધી પૂર્વસંસ્તવમાતાપિતાદિના સંબંધથી પરિચય પાડવો. સાધુ ભિક્ષાએ ફરતા કોઇના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં આહારની લંપટતાથી પોતાની ઉંમર અને સામાની ઉમર જાણીને ઉંમરને સંબંધથી બોલે. જે તે સ્ત્રી વયોવૃદ્ધ અને પોતે મધ્યમ ઉંમરનો હોય તો કહે કે “મારી માતા તમારા જેવી હતી.” તે સ્ત્રી મધ્યમ ઉંમરની હોય તો કહે કે “મારી બેન તમારા જેવી હતી. નાની ઉંમરની હોય તો કહે કે “મારી પુત્રી કે પુત્રની પુત્રી તમારા જેવી હતી.” ઈત્યાદિ રીતે બોલીને આહાર મેળવે. આથી સંબંધી પૂર્વસંસ્તવ નામનો દોષ લાગે. સંબંધી પક્ષાત્સસ્તવ-પાછળથી સંબંધ બંધાયો હોય તે સાસુ-સસરા આદિના સંબંધથી પરિચય પાડવો. “મારી સાસુ, પત્નિ તમારા જેવા હતાં' વગેરે બોલે તે સંબંધી પશ્ચાત્યંતવ કહેવાય. વચન પૂર્વસંસવ-દાતારના ગુણો આદિ જે જાણવામાં આવ્યા હોય, તેની પ્રશંસા કરે. ભિક્ષા લીધા પહેલા સાચા કે ખોટા ગુણોની પ્રશંસા આદિ કરવી. જેમકે “અહો ! તમે દાનેશ્વરી છો તેની માત્ર વાર્તા જ સાંભળી હતી. પરંતુ આજે તમને પ્રત્યક્ષ જોયા. તમારા જેવા ઉદારતા આદિ ગુણો બીજાના સાંભળ્યા નથી. તમે ભાગ્યશાળી છો કે તમારા ગુણની પ્રશંસા તો ચારે દિશામાં પૃથ્વીના છેડા સુધી પ્રસરી ગઈ છે.' વગેરે બોલે. તે વચન પૂર્વસંસ્તવ કહેવાય. વચન પશ્વાત્સસ્તવભિક્ષા લીધા પછી દાતારની. પ્રશંસા આદિ કરવી. ભિક્ષા લીધા પછી બોલે કે “આજ તમને જોવાથી મારાં નેત્રો નિર્મળ થયાં. ગુણવાનને જોવાથી ચક્ષુ નિર્મળ થાય તેમાં શું આશ્ચર્ય ! તમારા ગુણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy