SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 120 પિડનિજજુત્તિ- પ૧૧) કહ્યું કે “તને તો જરા પણ ન આપું.” આથી સાધુએ માનદશામાં આવી કહ્યું કે હું તારે ઘેરથી જ અવશ્ય ઘી ગોળ સાથે સેવ લેવાનો.' સુલોચના પણ અભિમાન પૂર્વક બોલી કે “જો તું આ સેવમાંથી જરા પણ સેવ મેળવે તો મારા નાક ઉપર પેસાબ કર્યો એમ સમજે.' ક્ષુલ્લક સાધુએ વિચાર કર્યો કે “અવશ્ય એમ જ કરીશ.” પછી ઘરમાંથી બહાર નીકળીને કોઈને પૂછયું કે “આ કોનું ઘર છે?” તેણે કહ્યું કે વિષ્ણમિત્રનું આ ઘર છે. વિષ્ણમિત્ર ક્યાં છે? અત્યારે ચોરા ઉપર હશે. ગુણચંદ્ર મૂનિ ચોરા ઉપર પહોંચ્યો અને ત્યાં જઈને પૂછ્યું કે “તમારામાં વિષ્ણમિત્ર કોણ છે ?" તમારે તેમનું શું કામ છે? મારે તેમની પાસે કંઈક માગણી કરવી છે. તે વિષ્ણુમિત્ર, આ બધાનો બનેવી જેવો થતો હતો એટલે મશ્કરીમાં તે બધા બોલ્યા કે “એ તો કપણ છે, એ તમોને કાંઈ આપે એવો નથી, માટે અમારી પાસે પાસે જ જે માગવું હોય તે માગો.” વિષ્ણુમિત્રને થયું કે આ તો મારી હલકાઈ થશે, એટલે તે બધાની સમક્ષ સાધુને કહ્યું હું વિષ્ણુમિત્ર છું, તમારે જે માગવું હોય તે માગો, આ બધા મશ્કરીમાં બોલે છે તે તમે ગણશો નહિ.” ત્યારે સાધુએ કહ્યું કે જો તમે સ્ત્રી પ્રધાન છ પુરુષોમાંના એકે ન હો તો હું માગું.” આ સાંભળી ચોરા ઉપર બેઠાલા બીજા માણસોએ પૂછયું કે તે સ્ત્રીપ્રધાન છ પુરુષો ક્યા? જેમાંના એક એવા વિષેની આમને માટે તમે શંકા કરો છો ?" ગુણચંદ્ર મુનિએ કહ્યું કે “સાંભળો ! તેમના નામો 1. શ્વેતાંગુલી, 2, બકોડાયક, 3. કિંકર, 4. સ્નાતક, 5. ગીધડાની જેમ કૂદનાર અને 6. બાળકના મલમૂત્ર સાફ કરાર. આ પ્રમાણે તે સાધુએ કહ્યું કે તુરત ચોરા ઉપર બેઠેલા બધા માણસો એક સાથે હાસ્યપૂર્વક બોલી ઉઠ્યા કે “આ તો એ પુરુષોના ગુણોને ધારણ કરનારો છે, માટે સ્ત્રીપ્રધાન એવા આની પાસે કંઈ માગતા કરતા નહિ.' આ સાંભળી વિષ્ણમિત્ર બોલ્યો કે હું તે છ પુરુષોના જેવો બાયલો નથી. માટે તમારે જે જોઈએ તે માગો, હું જરૂર આપીશ.” સાધુએ કહ્યું કે “જો એમ છે, તો ઘી, ગોળ સાથે પાતડું ભરીને સેવ મને આપો.' ચાલો પાતડું ભરીને સેવા આપું.' એમ કહીને વિષ્ણમિત્ર સાધુને લઈને પોતાના ઘર તરફ ચાલવા માંડ્યું. રસ્તામાં સાધુએ બધી વાત કરી કે તમારે ઘેર ગયો હતો પણ તમારી પત્નિએ આપવાનો ઈન્કાર કર્યો છે, જો તે હાજર હશે તો તમને આપવા નહિ દે. વિષ્ણુમિત્રે કહ્યું કે જે એમ છે તો તમે અહીં બાજુમાં ઉભા રહો, થોડી વાર પછી તમને બોલાવીને સેવ આપું.’ વિષ્ણુમિત્ર ઘેર ગયો અને પોતાની પત્નિને પૂછ્યું કે કેમ સેવ રંધાઈ ગઈ છે ?" ઘી, ગોળ બધું તૈયાર કર્યું છે? સ્ત્રીએ કહ્યું કે “હા, બધું તૈયાર છે.” વિષ્ણુમિત્રે બધું જોયું અને ગોળ જોતાં બોલ્યો કે “ગોળ આટલો નહિં થાય, માળીયા ઉપરથી બીજો ગોળ કાઢી આવ.” સ્ત્રી નીસરણી મૂકીને ગોળ લેવા માળીયા ઉપર ગઈ, એટલે વિષ્ણુમિત્રે નીસરણી લઈ લીધી. પછી સાધુ બોલાવીને ઘી, ગોળ, સેવ આપવા લાગ્યો. ત્યાં સુલોચના સ્ત્રી ગોળ લઈને નીચે આવવા જાય છે તો નીસરણી મળે નહિ. એટલે નીચે જોવા લાગી તો વિષ્ણમિત્ર તે સાધુને સેવ વગેરે આપતો હતો. આ જોતાં તે બોલી ઉઠી “અરે! આને સેવા આપતા નહિ, આપતા નહિ. સાધુએ પણ તેની સામે જોઇને પોતાની આંગળી નાક ઉપર મૂકીને બતાવ્યું કે હું તારી નાસિકા ઉપર મૂતયોં.' એમ કહી ઘી, ગોળ, સેવથી ભરેલું પાડ્યું લઈને ઉપાશ્રયે ગયો. આ પ્રમાણે ભિક્ષા લેવી એ માનપિંડ કહેવાય. આવી ભિક્ષા સાધુને કહ્યું નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy