SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૪૨૨ હોતી નથી. પરંતુ ઘરના માણસ થોડા છે અને આટલી બધી રસોઇ કેમ ? તે વિચારવાથી મિશ્રજાત દોષનું જ્ઞાન થઈ શકે છે. જ્યારે અધ્યવપૂરકમાં પાછળથી પાણી, મસાલા, અનાજ, શાક આદિ ભેળવેલ હોવાથી, ભાત અધપક, દાળ આદિના વર્ણ, ગંધ. રસમાં તફાવત-પાતળાપણા આદિનો ફેરફાર હોય છે. તેથી તે રીતે અધ્યપૂરફદોષનો નિર્ણય કરી શકાય છે. આ પ્રમાણે ઉદ્ગમના સોળ દોષ થયા. તેમાં કેટલાક વિશોધિકોટિના છે અને કેટલા અવિશોધિકોટિના છે. [423-428] વિશોધિકોટિ-એટલે જેટલું સાધુ માટે કોલું કે રાંધેલું હોય તેટલું દૂર કરવામાં આવે તો બાકી રહેલામાંથી સાધુ ગ્રહણ કરી શકે અથતુ સાધુને લેવું કલ્પી શકે. અવિશોધિક્ષેટિ - એટલે તેટલો ભાગ જુદો કરવા છતાં પણ સાધુ પ્રહણ ન કરી શકે તેનું. અર્થાત્ સાધુને લેવું કલ્પી ન શકે. જે પાત્રમાં તેવો એટલે અવિશોધિકોટિ આહાર ગ્રહણ થઇ ગયો હોય તો તે પાત્રમાંથી તેવો આહાર કાઢી નાખી તે પાત્રને રાખ આદિથી. ત્રણવાર સાફ કર્યા પછી તે પાત્રમાં બીજો શુદ્ધ આહાર લેવો કલ્પી શકે. ' આધાકર્મ સર્વભેદ, વિભાગ ઉદેશના છેલ્લા ત્રણ ભેદ, સમદેશ,આદેશ અને સમાદેશ, બાદર ભક્તપાન પૂતિ. મિશ્રદોષના છેલ્લા બે ભેદ પાખંડી મિશ્ર અને સાધુમિશ્ર, બાદર પ્રાભૃતિક, અધ્યવપૂરકના છેલ્લા બે સ્વગૃહ પાખંડી અધ્યપૂરક અને સાધુ અધ્વપૂરક, મૂલ છ દોષમાંથી દશ ભેદો અવિશોધિ કોટીના છે. એટલે તેટલો ભાગ જુદો કરવા છતાં બાકીનું પણ સાધુને લેવું કે વાપરવું કલ્પી શકે નહિ. બાકીના બીજા દોષો વિશોધિ-કોટીના છે. - ઉદેસિકના નવ ભેદો, પૂતિદોષ, યાવદર્થિકમિશ્ર, યાવદર્થિક અધ્યવપૂરક, પરિવર્તિત, અભ્યાહત, ઉમિન, માલાપહત, આચ્છેદ્ય, અનિસૃષ્ટ, પ્રાદુષ્કરણ, ક્રીત, પ્રામિત્ય. સૂક્ષ્મપ્રાભૃતિકા, સ્થાપનાના બે પ્રકારો. આ બધા વિશોધિકોટિના જાણવા. ભિક્ષાએ ફરતાં પાત્રમાં પહેલાં શુદ્ધ આહાર પ્રહણ કર્યો હોય, ત્યાર બાદ અનાભોગ આદિના કારણે વિશોધિકોટિ બ્રેષવાળું ગ્રહણ કર્યું હોય, પાછળથી તેની ખબર પડે કે “આ તો વિશોધિ કોટિ દોષવાળું હતું,' તો ગ્રહણ કરેલા આહાર વિના જો નિવહ થઈ શકે એમ હોય તો તે બધો (શુદ્ધ આહાર અને વિશોધિ દોષવાળો) આહાર પરઠવી દે. જો નિવહ થઈ શકે એમ ન હોય તો જેટલો આહાર વિશોધિ દોષવાળી હોય તેટલો બરાબર જોઈને કાઢી નાખે. હવે જો સરખા વર્ણ અને ગંધવાળો હોય એટલે ઓળખી શકાય તેવો ન હોય, કે ભેગો થઈ ગયેલો હોય અથવા તો પ્રવાહી હોય તો તે બધો પરઠવી દે. છતાં કોઈ સૂક્ષ્મ અવયવો પાત્રમાં રહી ગયા હોય તો પણ બીજો શુદ્ધ આહાર તે પાત્રમાં લાવવો કલ્પી શકે છે. કેમકે તે. આહાર વિશોધિકોટિનો હતો માટે. 4i29) વિવેક (પરઠવવું) ના ચાર પ્રકારો- દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, દ્રવ્ય વિવેક દોષવાળા દ્રવ્યનો ત્યાગ કરવો તે. ચત્ર વિવેજે ક્ષેત્રમાં તે દ્રવ્યનો ત્યાગ કરવો તે. કાલ વિવેક- ખબર પડે કે તુરત વિલંબ કર્યા વિના ત્યાગ કરવો તે. ભાવ વિવેક- ભાવથી મૂચ્છ રાખ્યા સિવાય તેનો ત્યાગ કરવો તે. અથવા અસક સાધુ જેને દોષવાળું જૂએ ને તેનો ત્યાગ કરે. પાત્રમાં ભેગી થઈ ગયેલી ગોચરી વગર નિવહ થઈ શકે એમ હોય તો બધો શુદ્ધ અને દોષવાળો આહારનો ત્યાગ કરવો. નિવહ થઈ શકે એમ ન હોય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy